આતંકવાદી હુમલાને લઇ જુઓ ભારતીય નૌકાદળે શુ કહ્યું

Share this Article:

Last Updated on by Sampurna Samachar

હુમલાના ૯૬ કલાકની અંદર ગોળીબાર કરાયો

મુખ્ય ઠેકાણાઓનો નાશ કરવા માટે કરી હતી તૈયારી

(સંપૂર્ણ સમાચાર સેવા)

જમ્મુ કાશ્મીરના પહેલગામ હૂમલા બાદ તરત જ ભારતની નૌકાદળે પોતાની તાકાત અને રણનૈતિક ક્ષમતાનું પ્રદર્શન કરતા અરબી સમુદ્રમાં પોતાનો સતત પ્રભાવ જાળવી રાખ્યો હતો, નેવીના પ્રવક્તાએ X પોસ્ટ પર પોસ્ટ કરીને જણાવ્યું હતુ કે સિઝફાયર માટે પડોશી દેશને મજબૂર કરવા માટે નેવી ભૂમિકા કેટલી મહત્ત્વપૂર્ણ રહી હતી.

નૌકાદળના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પહેલગામ હુમલા બાદ, ભારતીય નૌકાદળના કેરિયર બેટલ ગ્રુપ, સરફેસ ફોર્સિસ, સબમરીન અને ઉડ્ડયન સંપત્તિઓને ભારતીય સંરક્ષણ દળોના સંયુક્ત ઓપરેશનલ પ્લાન અનુસાર સંપૂર્ણ યુદ્ધ તૈયારીમાં તરત જ સમુદ્રમાં તહેનાત કરવામાં આવી હતી.

નૌકાદળ ઉત્તર અરબી સમુદ્રમાં આગળ તૈનાત રહ્યું

આતંકવાદી હુમલાના ૯૬ કલાકની અંદર ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં અનેક શસ્ત્રો દ્વારા ગોળીબાર કર્યો હતો. જેથી સમુદ્રમાં યુક્તિઓ અને પ્રક્રિયાઓનું પરીક્ષણ કરી શકાય અને ક્રૂ, ઓર્ડનન્સ, સાધનો અને પ્લેટફોર્મની તૈયારીને ફરીથી માન્ય કરી શકાય જેથી પસંદગીના ટાર્ગેટ પર ચોકસાઈ સાથે વિવિધ દારૂગોળો પહોંચાડી શકાય.

તે જ સમયે, ઓપરેશન સિંદૂર અંગે પ્રેસ બ્રીફિંગમાં, નૌકાદળના ડાયરેક્ટર જનરલ ઓફ નેવલ ઓપરેશન્સ (DGNO) વાઇસ એડમિરલ એ.એન. પ્રમોદે કહ્યું કે નૌકાદળ ૯ મેની રાત્રે પાકિસ્તાનની દરિયાઈ સરહદમાં પ્રવેશ કરવા અને તેમના લશ્કરી ઠેકાણાઓ અને કરાચી બંદર જેવા મુખ્ય ઠેકાણાઓનો નાશ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર હતું. નૌકાદળ ફક્ત સરકારના આદેશોની રાહ જોઈ રહ્યું હતું.

તેમણે કહ્યું કે નૌકાદળ ઉત્તર અરબી સમુદ્રમાં આગળ તૈનાત રહ્યું છે અને દરિયા અને જમીન પર પસંદગીના ટાર્ગેટ પર પ્રહાર કરવા માટે સંપૂર્ણ તૈયારી અને ક્ષમતા સાથે પ્રતિરોધક સ્થિતિમાં હતુ, જેના કારણે પાકિસ્તાની નૌકાદળ અને હવાઈ એકમોને બંદરોની અંદર અથવા તેમના દરિયાકાંઠાની ખૂબ નજીક રક્ષણાત્મક સ્થિતિમાં રહેવાની ફરજ પડી છે.

તણાવ નિયંત્રણ પદ્ધતિના ભાગ રૂપે, નૌકાદળ દ્વારા બળનો ઉપયોગ સેના અને વાયુસેના સાથે સંકલનમાં આયોજન કરવામાં આવ્યું હતું. નૌકાદળના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળની સમુદ્રમાં પ્રચંડ ઓપરેશનલ ક્ષમતા સાથે સેના અને વાયુસેનાની ગતિશીલ કાર્યવાહીએ પાકિસ્તાનને તાત્કાલિક યુદ્ધવિરામની વિનંતીએ દબાણ ઊભુ કર્યુ હતું.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.