Last Updated on by Sampurna Samachar
GST સ્લેબમાં સુધારાના પ્રસ્તાવને GOM બેઠકમાં મંજુરી
હાનિકારક ચીજવસ્તુઓ પર થઈ શકે છે ૪૦% દર લાગુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્ર સરકારનો GST સ્લેબમાં ઘટાડો કરવાનો પ્રસ્તાવ ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સની બેઠકમાં સ્વીકારવામાં આવ્યો છે. દિવાળી સુધીમાં GST નો ૧૨ ટકા અને ૨૮ ટકાનો સ્લેબ દૂર થવાની સંભાવના પ્રબળ બની છે. કેન્દ્ર સરકારના GST સ્લેબમાં સુધારાના પ્રસ્તાવને ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે.

કેન્દ્ર સરકારે GST ના સ્લેબ ચારથી ઘટાડી બે કરવા ભલામણ કરી હતી. GST માં હાલ ૫ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકા એમ ચાર સ્લેબ લાગુ છે. જે ઘટાડી ૫ ટકા અને ૧૮ ટકા કરવાની દરખાસ્ત થઈ હતી.
નાણામંત્રી ર્નિમલા સીતારમણે આપી માહિતી
બિહારના ઉપ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળ યોજાયેલી છ સભ્યોની ય્ર્ંસ્એ કેન્દ્ર સરકારના ગુડ્સ એન્ડ સર્વિસિઝ પર ટેક્સ સ્લેબ ઘટાડી ૫ ટકા અને ૧૮ ટકા કરવાની માગ સ્વીકારી છે. તેમજ લકઝરી અને હાનિકારક પદાર્થો પર GST ૪૦ ટકા લાગુ કરવાની ભલામણને પણ મંજૂરી આપી છે.
GoM ની બેઠકમાં ઉત્તર પ્રદેશના નાણા મંત્રી સુરેશ કુમાર ખન્ના, રાજસ્થાનના આરોગ્ય મંત્રી ગજેન્દ્રસિંહ, પશ્ચિમ બંગાળના નાણા મંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્ય, કર્ણાટકના રેવેન્યુ મંત્રી ક્રિષ્ના ગોવડા, અને કેરળના નાણા મંત્રી કેએન બાલાગોપાલ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકને નાણા મંત્રી ર્નિમલા સીતારમણે સંબોધી હતી.
નાણા મંત્રી ર્નિમલા સીતારમણે GoM ની બેઠકને સંબોધતા કહ્યું હતું કે, GST ના દરોમાં સુધારો સામાન્ય પ્રજા, ખેડૂતો, મધ્યમ વર્ગ તેમજ એમએસએમઈને મોટી રાહત આપશે. જે કરમાળખામાં સુલભતા અને પારદર્શકતા વધારશે. તેમજ દેશના વિકાસને વેગ આપશે.
જીએસટી સ્લેબમાં ઘટાડો કરવાથી ૧૨ ટકા અને ૨૮ ટકાના સ્લેબમાં સામેલ ચીજવસ્તુઓ અને સેવાઓને ૫ ટકા અને ૧૮ ટકાના સ્લેબમાં આવરી લેવામાં આવશે. જેમાં ૧૨ ટકાના સ્લેબમાં સામેલ ૯૯ ટકા ગુડ્સ એન્ડ સર્વિસને ૫ ટકા જ્યારે ૨૮ ટકાના સ્લેબમાં સામેલ ૯૦ ટકા ચીજવસ્તુઓને ૧૮ ટકાના સ્લેબમાં આવરી લેવામાં આવશે. આ પગલાંથી જીએસટી વધુ સુલભ બનશે તેમજ તેનું વ્યાપક નિયમન થઈ શકશે.
GOM એ કેન્દ્ર સરકારના હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ પર GST ઘટાડવાની ભલામણની પણ સમીક્ષા કરી હતી. જેના અમલથી GST આવક વાર્ષિક રૂ. ૯૭૦૦ કરોડનું નુકસાન થવાની ભીતિ છે. તેમ છતાં મોટાભાગના રાજ્યોએ આ સુધારાને સમર્થન આપ્યું છે. જેથી પોલિસીધારકોને લાભ મળી શકે. જીએસટી કાઉન્સિલ આ મામલે આગામી બેઠકમાં ર્નિણય લેશે. તેમજ જીએસટી સ્લેબમાં ઘટાડાની દરખાસ્તને આગામી બેઠકમાં અંતિમ મંજૂરી આપી શકે છે.
બેઠકમાં કેન્દ્ર સરકારના દરોને સરળ બનાવવા પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યો છે. હવે આ પ્રસ્તાવને આગામી દિવસોમાં યોજાનાર GST કાઉન્સિલની બેઠકમાં રજૂ કરવામાં આવશે અને આ બેઠકમાં જ ફાઈનલ ર્નિણય લેવામાં આવશે. GST ના મામલે નાણામંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું હતું કે દરોને તર્કસંગત બનાવવાથી સામાન્ય માણસ, ખેડૂતો, મધ્યમ વર્ગ અને સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને વધુ રાહત મળશે. ઉપરાંત, એક સરળ અને પારદર્શક કર વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે.
નોધનીય છે કે, હાલમાં ૫, ૧૨, ૧૮ અને ૨૮ ટકાના દરે GST લાગુ થાય છે. ખાદ્ય અને આવશ્યક વસ્તુઓ પર શૂન્ય અથવા ૫ ટકા GST લાગે છે. જ્યારે લક્ઝરી અને તમાકુ જેવી વસ્તુઓ પર ૨૮ ટકા GST લાગે છે, આ ઉપરાંત આ વસ્તુઓ પર સેસ પણ લાગે છે.