દિત્વાહ વાવાઝોડાને લઇ જુઓ કેટલા રાજ્યોમાં એલર્ટ જાહેર

Share this Article:

Last Updated on by Sampurna Samachar

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાદળછાયુ વાતાવરણ રહેશે

દક્ષિણ ભારતના વિસ્તારમાં સામાન્ય વરસાદનું અનુમાન

(સંપૂર્ણ સમાચાર સેવા)

દિત્વાહ વાવાઝોડું ભારતની ખૂબ જ નજીક પહોંચી ગયુ તેમ માહિતી સામે આવી રહી છે. તે તમિલનાડુ પાસેથી પસાર થઇ રહ્યું છે. સૌથી વધુ તેની અસર તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પુડુચરીમાં થશે.વાવાઝોડાની અસરથી આ ત્રણેય રાજયોમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. ટૂંકમાં આ વાવાઝોડાની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતના રાજ્યો પર થશે.

દિત્વાહ વાવાઝોડાના પગલે મહારાષ્ટ્રના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે ખાસ કરીને મહારાષ્ટ્રના દક્ષિણ ભારતના વિસ્તારમાં સામાન્ય વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે આ વાવાઝોડની ગુજરાત પર અસરને નકારી છે. ગુજરાતના હવામાનની વાત કરીએ તો આગામી ૩થી ૪ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાદછાયું વાતાવરણ રહેશે અને સવાર ધુમ્મસ રહે તેવી શક્યતા છે.

પરિસ્થિતિના આધારે ફ્લાઇટ્સમાં વધુ ફેરફાર થઈ શકે

જોકે આગામી ૩ થી ૪ દિવસ સુધી ગુજરાતમાં વરસાદની કોઇ શક્યતા નથી. આગામી દિવસોમાં ગુજરાતમાં ૨થી ૩ ડિગ્રી તાપમાનનો પારો ગગડતાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા. ઉપરાંત ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં આગામી દિવસોમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે.

તમિલનાડુ સરકારે ચક્રવાત દિત્વાહના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને વ્યાપક તૈયારીઓ શરૂ કરી છે. રાજ્યભરમાં અઠ્ઠાવીસ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમો તૈનાત કરવામાં આવી છે, અને સંવેદનશીલ જિલ્લાઓમાં ૬,૦૦૦ રાહત શિબિરો તૈયાર કરવામાં આવી છે. સરકાર સતત કટોકટી યોજનાઓની સમીક્ષા કરી રહી છે, સલામત આશ્રયસ્થાનો સ્થાપિત કરી રહી છે અને એક મહિનાની અંદર આ બીજી મોટી હવામાન ઘટના માટે તૈયાર રહેવા માટે સ્થાનિક એજન્સીઓ સાથે સંકલન કરી રહી છે.

વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ૬ઠ્ઠી બટાલિયનની પાંચ ટીમો, જે FWR અને CSSR સાધનોથી સંપૂર્ણપણે સજ્જ છે, તેમને ગુજરાતના વડોદરાથી ચેન્નાઈ એરલિફ્ટ કરવામાં આવી છે. આ ટીમો તમિલનાડુમાં રાહત અને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવશે.

ચક્રવાત દિત્વાહએ પડોશી શ્રીલંકામાં ભારે વિનાશ મચાવ્યો છે. આ અઠવાડિયાની શરૂઆતમાં મુશળધાર વરસાદને કારણે ઓછામાં ઓછા ૧૫૩  લોકોના મોત થયા છે અને લગભગ ૨૦૦ લોકો હજુ પણ ગુમ છે. દરમિયાન, ચેન્નાઈ અને આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતીના પગલાં વધુ તીવ્ર બનાવવામાં આવ્યા છે.

ચેન્નાઈ એરપોર્ટે શનિવારે ૫૪ ફ્લાઇટ્સ રદ કરી હતી અને રવિવાર માટે ૪૭  વધુ ફ્લાઇટ્સની જાહેરાત કરી હતી – જેમાં ૩૬ સ્થાનિક અને ૧૧ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. અધિકારીઓએ મુસાફરોને ચેતવણી આપી છે કે પરિસ્થિતિના આધારે ફ્લાઇટ્સમાં વધુ ફેરફાર થઈ શકે છે, તેથી તેઓએ અપડેટ્સ માટે તેમની એરલાઇન્સને ઇન્કાયરી કરવી. વાવાઝોડાની અપડેટ પર નજર રાખવા માટે રેલ્વેએ એક ખાસ યુદ્ધ રૂમ શરૂ કર્યો છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.