Last Updated on by Sampurna Samachar
આ સિદ્ધિ નૌકાદળની તાકાતને વધુ મજબૂત બનાવે છે
પાકિસ્તાન જ્યાં મિસાઇલ પરીક્ષણ કરવાનુ હતુ ત્યાં ભારતે બતાવી તાકત
(સંપૂર્ણ સમાચાર સેવા)
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર એક્શન મોડમાં છે. એક દિવસ પહેલા પડોશી દેશ વિરુદ્ધ મોટા ર્નિણયો લીધા બાદ, હવે લશ્કરી સ્તરે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આ માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ દરમિયાન, ભારતીય નૌકાદળે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

ભારતીય નૌકાદળના સ્વદેશી રીતે નિર્મિત યુદ્ધ જહાજ INS એ સુરત ખાતે સમુદ્રમાં ઝડપથી ઉડતા લક્ષ્ય પર સચોટ હુમલો કરીને મોટી સફળતા મેળવી છે. આ સિદ્ધિ નૌકાદળની તાકાતને વધુ મજબૂત બનાવે છે. આ સફળતા સ્વદેશી યુદ્ધ જહાજ ડિઝાઇન, ડેવલપમેન્ટ અને કામગીરીમાં ભારતીય નૌકાદળની વધતી જતી શક્તિ દર્શાવે છે. આ સંરક્ષણ ક્ષેત્રમાં આર્ત્મનિભર ભારતના વિઝનને વધુ મજબૂત બનાવે છે.
IB વડાઓની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ
અરબી સમુદ્રમાં કરવામાં આવેલું આ સફળ પરીક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે પાકિસ્તાન પણ આ જ વિસ્તારમાં મિસાઇલનું પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. માહિતી અનુસાર, પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા ઝડપી ર્નિણયો બાદ, પાકિસ્તાન એક મિસાઇલ પરીક્ષણ કરવા જઈ રહ્યું છે અને પાકિસ્તાને આ સંદર્ભમાં એક સૂચના જારી કરી છે.
પાકિસ્તાને અરબી સમુદ્ર ક્ષેત્રમાં મિસાઈલનું પરીક્ષણ કરવાનો ર્નિણય લીધો છે. આ મિસાઇલ સપાટીથી સપાટી પર પ્રહાર કરશે અને તેનું પરીક્ષણ ૨૪-૨૫ એપ્રિલના રોજ કરાચી કિનારે કરવામાં આવશે. ભારતની તપાસ એજન્સીઓ આ ઘટનાક્રમ પર નજર રાખી રહી છે. આ અંગે ગૃહ મંત્રાલયમાં ગૃહ સચિવ સાથે IB વડાઓની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ રહી છે.
તમને જણાવી દઈએ કે પહેલગામ હુમલા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) એ સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધી હતી. આ પહેલી વાર છે જ્યારે ભારતે આટલી મોટી અને કડક કાર્યવાહી કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મોટા યુદ્ધો થયા છે પરંતુ આ સંધિ પહેલાં ક્યારેય સ્થગિત કરવામાં આવી નથી.