Last Updated on by Sampurna Samachar
સોશિયલ મીડિયામાં નિવેદન થયુ ટ્રોલ
ભાજપે આકરા પ્રહાર કરી માફીની માંગણી કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સમાજવાદી પાર્ટીને હિંદુઓ સાથે દુશ્મની હોય તેમ જાણે અવાર નવાર વિવાદિત નિવેદન સામે આવતા હોય છે. જ્યાં પહેલાં પાર્ટીના નેતાઓએ હિંદુઓના સૌથી મોટા મહોત્સવ મહાકુંભને લઈને સવાલ ઉઠાવ્યા તો હવે પાર્ટીના સાંસદ રામજીલાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગાને લઈને વિવાદિત નિવેદન આપી દીધું છે. આ નિવેદન પછી નવી દિલ્હીથી લઈને રાજસ્થાન સુધીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપે તેના પર આકરા પ્રહાર કરતાં માફીની માંગણી કરી છે.

મળતી માહિતી અનુસાર રાજ્યસભામાં હિંદુઓ વિશે ખુલ્લેઆમ ગદ્દાર બોલ્યા હતા. ઉપસભાપતિએ ચૂપ કરાવવાનો પ્રયાસ કર્યો છતાં પણ તેઓ બોલતાં રહ્યા. રામજી લાલનું વિવાદિત નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું છે. જેના પર ભાજપે મોરચો ખોલી નાંખ્યો. જે બાબતે ભાજપ (BHAJAP) ના નેતા સંજીવ બાલિયાને સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી કે…ધિક્કાર છે તુષ્ટિકરણની તમામ હદ પાર કરીને સપા નેતાએ મહાન વીર રાણા સાંગાનું અપમાન કર્યુ છે. તેમણે અમારા રાજપૂત સમાજ અને સમસ્ત હિંદુ સમાજનું પણ ઘોર અપમાન કર્યુ છે. સપાના આવા શરમજનક કૃત્ય પર આખા દેશ પાસે માફી માંગવી જોઈએ.
રાજપૂત સમાજ મેદાનમાં ઉતરી કરી માફીની માંગણી
તો આ તરફ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને ભાજપના પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ પણ રામજીલાલ સુમનના નિવેદનને હિંદુ વિરોધી ગણાવ્યું. ઈતિહાસ મહાન રાણા સાંગા વિશે શું કહે છે તે પણ જાણવું અત્યંત જરૂરી છે. મહારાણા સાંગા ૧૫૦૮ માં મેવાડના રાજા બન્યા હતા. તેમણે પોતાના જીવનમાં કુલ ૧૦૦થી વધુ યુદ્ધ લડ્યા હતા. ખાનવા સિવાય તેમની કોઈપણ લડાઈમાં હાર થઈ નહોતી.
આજ કારણે તેમને હિંદુપતની ઉપાધિ આપવામાં આવી હતી. સતત યુદ્ધના કારણે તેમણે પોતાની એક આંખ ગુમાવી હતી. તેમના શરીર પર ૮૦ થી વધારે ગંભીર ઈજાના નિશાન હતા. રાણા સાંગાએ દિલ્લી, માલવા અને ગુજરાતના સુલ્તાન સાથે ૧૮ લડાઈ લડી. જેમાં તેમણે બધાને હરાવીને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. ઈબ્રાહિમ લોદીને રાણા સાંગાએ દરેક યુદ્ધમાં પરાજિત કર્યો હતો.
ઈતિહાસના અજ્ઞાની એવા રામજી લાલ સુમને પોતાની નાપાક બુદ્ધિનું પ્રદર્શન કર્યુ છે. તેમણે કમસે કમ એકવાર જાણી લેવાની જરૂર હતી કે તેઓ કોનું અપમાન કરી રહ્યા છે. હાલ તો સમગ્ર રાજપૂત સમાજ મેદાનમાં આવી ગયો છે અને તેમની માફીની માંગણી કરી રહ્યો છે.