Last Updated on by Sampurna Samachar
ગુવાહાટીમાં PVR સિનેમા થિયેટરમાં અચાનક બની દુર્ઘટના
દુર્ઘટનામાં બાળક સહિત ૩ ઈજાગ્રસ્ત
(સંપૂર્ણ સમાચાર સેવા)
આસામના ગુવાહાટીમાં ફિલ્મ મહાવતાર નરસિમ્હાની સ્ક્રીનિંગ દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની હતી, અહીં એક PVR સિનેમા થિયેટરમાં અચાનક છત ધરાશાયી થતા ઘટના સ્થળે ૨ બાળકો સહિત ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. વીડિયો વાઇરલ થયા પછી થિયેટર તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું હતું.

મળતી જાણકારી મુજબ દર્શકો પૌરાણિક ફિલ્મ મહાવતાર નરસિમ્હા જોઈ રહ્યા હતા. બધાની નજર સિલ્વર સ્ક્રીન તરફ હતી, તે દરમિયાન છતનો સ્લેબ ધરાશાયી થતાં દર્શકો પર કાટમાળ પડ્યો. આ ઘટનાનો વીડિયો વાઇરલ થયા પછી થિયેટરની ખુરશીઓ પાસે કાટમાળ જોવા મળી રહ્યો છે. દર્શકોએ થિયેટરના માલિક સાથે ઝઘડો પણ કર્યો. ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. થિયેટરના સંચાલકોએ હજી સુધી છત ધરાશાયી બાબતે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
આ ફિલ્મે ૨૩.૪ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું
ફિલ્મ મહાવતાર નરસિમ્હાના કલેક્શનની વાત કરીએ તો બોલિવૂડની હીટ ફિલ્મ સૈયારાની સામે જ આ ફિલ્મ પણ ૧૦૦ કરોડમાં સામેલ થવા જઈ રહી છે. આ ફિલ્મે ૨૩.૪ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. અત્યાર સુધી આ ફિલ્મે ૯૧.૬૫ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.