Last Updated on by Sampurna Samachar
બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું
બિહારમાં આ ગુજરાતી ફોર્મ્યુલા કામ નહીં કરે!
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. બિહારની ચૂંટણીના રણમાં ગુજરાતની એન્ટ્રી થઈ છે. RJD અધ્યક્ષ લાલૂ યાદવે ગુજરાત વિશે ટિપ્પણી કરી છે. જીત જોઈએ બિહારમાં અને ફેક્ટરી આપે ગુજરાતમાં એવું કહી લાલુએ પ્રધાનમંત્રી પર સીધો કટાક્ષ કર્યો છે. બિહાર ચુંટણી પહેલા રાજકારણમા ગરમાવો આવ્યો છે.
બિહારના રાજકારણમાં ગુજરાતની એન્ટ્રી થઈ છે. RJD અધ્યક્ષ લાલુ યાદવે સોશિયલ મીડિયા એક્સ પર ગુજરાત વિશે ટિપ્પણી કરી છે. સોશિયલ મીડિયા પર લાલૂ પ્રસાદ યાદની પોસ્ટથી વિવાદ ઉભો થયો છે. તેમણે કહ્યું કે, જીત જોઇએ બિહારમા અને ફેક્ટરી ગુજરાતમાં. આ ફોરમ્યુલા બિહારમાં નહિ ચાલે.
ગુજરાત મોડલ બાહ્ય રીતે ખોટો પ્રચાર કરીને બનાવાયું
અરે મોદીજી, તમે બિહારમાંથી જીત ઇચ્છો છો અને અમને ગુજરાતમાં ફેક્ટરીઓ આપો છો? બિહારમાં આ ગુજરાતી ફોર્મ્યુલા કામ નહીં કરે! શું વડાપ્રધાન મોદીએ આજે ભાજપના સભ્યોને આખા બિહાર અને બિહારીઓની માતાઓ, બહેનો અને દીકરીઓ સાથે દુર્વ્યવહાર કરવાનો આદેશ આપ્યો છે? ગુજરાતીઓએ બિહારીઓને આટલી હળવાશથી ન લેવા જોઈએ. આ બિહાર છે.
ભાજપના ગુંડાઓ અને બદમાશો આદરણીય શિક્ષકો, રસ્તા પર ચાલતી મહિલાઓ, વિદ્યાર્થીનીઓ, ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને પત્રકારો સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે, તેમની સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે અને તેમની સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે? શું આ સાચું છે? શરમજનક! ઈંબિહાર
તમને જણાવી દઈએ કે, લાલુ યાદવ ઘણી વખત આરોપ લગાવી રહ્યા છે કે બિહારમાંથી સત્તા મળવા છતાં, રોકાણ, ઉદ્યોગ અને રોજગારની બાબતમાં રાજ્ય પાછળ રહી ગયું. આરજેડી સહિત વિપક્ષી પાર્ટીઓનો આરોપ છે કે કેન્દ્ર સરકાર બિહાર પાસેથી મત અને ટેકો લે છે, પરંતુ ગુજરાત અને અન્ય રાજ્યોમાં હંમેશા ઉદ્યોગો, કારખાનાઓ અને મોટા પ્રોજેક્ટ્સ સ્થપાય છે.
લાલુયાદવે ગુજરાત વિશે કરેલી ટીપ્પણીનો મામલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, લાલુપ્રસાદ યાદવને હજુ ગુજરાત મોડલની ખબર નથી. જે પ્રકારે સ્થિતિ થઈ છે તે ગુજરાત મોડલ બાહ્ય રીતે ખોટો પ્રચાર કરીને બનાવાયું છે. ગુજરાતમાં બેરોજગારી સહિત અનેક મુદ્દાઓથી ગુજરાતની પ્રજાત્રસ્ત બની છે.
ભાજપ પ્રવક્તા અરવિંદ સિંહે લાલુ યાદવના ટ્વીટ પર કહ્યું કે, જીત કૌભાંડો અને નોકરીઓના બદલામાં જમીન રજીસ્ટર કરાવવાથી મળતી નથી. જ્યારે તમને બિહારનો વિકાસ કરવાની તક મળી ત્યારે તમે બિહારને લૂંટ્યું. આ કારણે, આજે તેઓ પંચાયતની ચૂંટણી પણ લડી શકતા નથી. પીએમ મોદી અને નીતિશ કુમારના નેતૃત્વમાં બિહારમાં વિકાસ થઈ રહ્યો છે.