Last Updated on by Sampurna Samachar
ગ્રાહક અધિકારોની ચિંતાઓ વધવાની સંભાવના છે
લોકોના ફોનને ધિરાણકર્તા દૂરથી લોક કરી શકશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ધિરાણકર્તા એટલે કે લોન આપનારની તાકાત વધારવા માટે એક નવો નિયમ બનાવવાની યોજના બનાવી છે. RBI નો નિયમ લાગૂ થયા બાદ જે લોકો લોન ચુકવવામાં અસમર્થ હશે તે લોકોના ફોનને ધિરાણકર્તા દૂરથી લોક કરી શકશે. કુલ મળી જોવામાં આવે તો RBI નો આ નિયમ લાગૂ થયા બાદ ધિરાણકર્તાનો પાવર વધશે. પરંતુ તેનાથી ગ્રાહક અધિકારોની ચિંતાઓ વધવાની સંભાવના છે.

૨૦૨૪ માં હોમ ક્રેડિટ ફાઇનાન્સ દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મોબાઇલ ફોન જેવા ત્રીજા ભાગથી વધુ ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સ લોન પર ખરીદવામાં આવે છે. ટેલિકોમ નિયમનકાર અનુસાર, ૧.૪ અબજથી વધુ વસ્તી ધરાવતા દેશમાં ૧.૧૬ અબજથી વધુ મોબાઇલ કનેક્શન છે.
આ મામલામાં કોઈ જવાબ આપ્યો નથી
સૂત્રોએ જણાવ્યું હતું કે ગયા વર્ષે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ધિરાણકર્તાઓને ડિફોલ્ટર દેવાદારોના ફોન લોક કરવાનું બંધ કરવા કહ્યું હતું. લોન આપતી વખતે ધિરાણકર્તાઓના ફોન પર ડિવાઇસ લોક કરવા માટે એક એપ ઇન્સ્ટોલ કરવામાં આવશે. ધિરાણકર્તાઓ સાથે ચર્ચા કર્યા પછી, RBI આગામી થોડા મહિનામાં ફેર પ્રેક્ટિસ કોડ અપડેટ કરવા સાથે ફોન-લોકિંગ મિકેનિઝમ પર માર્ગદર્શિકા જારી કરી શકે છે.
RBI બે વાતોની ખાતરી કરવા ઈચ્છે છે, પ્રથમ તો ધિરાણકર્તા ફોનને લોક કરી લોનના પૈસા રિકવર કરી શકે અને બીજું કે ગ્રાહકોનો ડેટા પણ સુરક્ષિત રાખવામાં આવે. રિપોર્ટ પ્રમાણે આરબીઆઈના પ્રવક્તાએ હાલ આ મામલામાં કોઈ જવાબ આપ્યો નથી.
જો આરબીઆઈનો આ નિયમ લાગૂ થયો તો તેનાથી કંઝ્યુમર પ્રોડક્ટ્સ માટે લોન આરનારી કંપનીઓ જેમ કે બજાજ ફાઇનાન્સ, ડીએમઆઈ ફાઈનાન્લ અને ચોલમાંડલમ ફાઇનાન્સને લાભ પહોંચી શકે છે, જેનાથી રિકવરીની તક વધી શકે છે. ક્રેડિટ બ્યુરો CRIF હાઈમાર્ક અનુસાર ૧૦૦,૦૦૦ રૂપિયાથી નીચેની લોન ડિફોલ્ટના રૂપમાં વધુ જોખમ ભરેલાં છે.