રતન ટાટાના સાવકા ભાઈ-બહેન ટ્રસ્ટના નવા ટ્રસ્ટી બનશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાના નિધન બાદ હવે તેમના દ્વારા સ્થાપિત ટ્રસ્ટોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશન (RTEF) અને રતન ટાટા એન્ડોમેન્ટ ટ્રસ્ટ (RTET), જેને ટાટા કંપનીઓમાં હિસ્સેદારી વારસામાં મળી છે, તેનું પુનર્ગઠન થશે. રતન ટાટાના સાવકા ભાઈ-બહેન – શીરીન જેજીભોય, ડિયાન જેજીભોય અને નોયલ ટાટા – આ ટ્રસ્ટના નવા ટ્રસ્ટી બનશે. આ બંને ટ્રસ્ટ રતન ટાટાના નાણાકીય સંરક્ષક છે.
આ બદલાવથી સ્પષ્ટ થઈ ગયું છે કે ટાટા ગ્રુપની ભવિષ્યની નીતિઓમાં ટાટા પરિવારની ભૂમિકા યથાવત રહેશે, જ્યારે ટ્રસ્ટના માધ્યમથી સામાજિક કલ્યાણની ગતિવિધિઓને વધુ મજબૂતી મળશે. રતન ટાટાની પાસે ટાટા સન્સમાં ૦.૮૩% ભાગીદારી (હિસ્સેદારી) હતી, જે ગ્રુપની હોલ્ડિંગ કંપની છે.
આ ઉપરાંત ટાટા ડિજિટલ, ટાટા મોટર્સ અને ટાટા ટેકનોલોજીમાં પણ તેમની ભાગીદારી (હિસ્સેદારી) હતી, જેને હવે RTEF ને સ્થાનાંતરિત કરવામાં આવશે. તેમણે ઘણા સ્ટાર્ટઅપ્સમાં પણ રોકાણ કર્યું હતું, જેમાંથી કેટલાકને વેચીને RTET ને નાણાં આપવામાં આવશે, જ્યારે કેટલાકને સીધા ટ્રસ્ટને હસ્તાંતરિત કરવામાં આવશે.
મીડિયા રિપોર્ટ અનુસાર, તેમની કુલ સંપત્તિ ૧૦,૦૦૦ કરોડ રૂપિયા કરતાં વધુ આંકવામાં આવી રહી છે. રતન ટાટાની વસીયતને શીરીન જેજીભોય, ડિયાન જેજીભોય, દારિયસ ખમ્બાટા અને ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી મહેલી મિસ્ત્રી દ્વારા અમલમાં મૂકવામાં આવશે. મિસ્ત્રીને છોડીને બાકીના બધા કોઈને કોઈ રીતે RTEF અને RTEF ના બોર્ડનો ભાગ હશે.
એક મળતા રિપોર્ટ અનુસાર, RTEF અને RTEF બંને ટ્રસ્ટ શિક્ષણ અને આરોગ્ય સેવાઓના વિકાસની સાથે-સાથે સમાજના વંચિત વર્ગોના ઉદ્ધાર પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ તે ઉદ્દેશ્યો છે, જેને રતન ટાટા વ્યક્તિગત રીતે સમર્થન આપતા હતા અને જેના માટે તેમણે જીવનભર યોગદાન આપ્યું હતું.
RTEF અને RTEF ના હાલના બે-બે ટ્રસ્ટીઓની સંખ્યા વધીને અનુક્રમે ૬ અને ૭ થઈ જશે. ટાટા સન્સના અધ્યક્ષ એન ચંદ્રશેખરન બંને સંસ્થાઓના મેનેજિંગ ટ્રસ્ટી બનવાના છે, જેના કારણે તેઓ તેના માર્ગદર્શક બનશે. જોકે, ટાટા સન્સના નિયમો અનુસાર, તેઓ આ ટ્રસ્ટોના અધ્યક્ષ બની શકતા નથી.