Last Updated on by Sampurna Samachar
કસૂરી લાંબા સમયથી ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની માહિતી
મોટાભાગની રેલીઓ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં યોજાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના પ્રતિબંધિત જમાત-ઉદ-દાવાના રાજકીય પક્ષ, પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગએ પાકિસ્તાની સેનાને ટેકો આપવા માટે ૫૦ થી વધુ શહેરોમાં રેલીઓનું આયોજન કર્યું હતું.

જે બેઠકો ફેડરલ, પંજાબ અને સિંધ સરકારોના આશ્રય હેઠળ યોજાઈ હતી. મોટાભાગની રેલીઓ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં યોજાઈ હતી. રેલીમાં પ્રમુખ ખાલિદ મસૂદ સિંધુએ એક રેલીમાં કહ્યું, “યુમ-એ-તકબીર ના દિવસે, આખો દેશ પાકિસ્તાની સશસ્ત્ર દળો સાથે ઉભો છે, કારણ કે ૨૭ વર્ષ પહેલા આ દિવસે (૧૯૯૮ માં) પાકિસ્તાન પરમાણુ શક્તિ બન્યું હતું.”રેલીઓનું આયોજન કરવામાં આવેલા મુખ્ય શહેરોમાં ઇસ્લામાબાદ, લાહોર, કરાચી અને પેશાવરનો સમાવેશ થાય છે.
કસૂરીએ પહેલગામ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ
લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર સૈફુલ્લાહ કસુરી પણ ભારત વિરોધી રેલીઓમાં જાેડાયો હતો. કસૂરીએ પહેલગામ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ પણ છે. તેમણે રેલીમાં કહ્યું, “પહલગામ હુમલા માટે મને દોષિત ઠેરવવામાં આવી રહ્યો છે, હવે મારું નામ આખી દુનિયામાં પ્રખ્યાત થઈ ગયું છે.”
કસૂરી લાંબા સમયથી ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે. તે લશ્કરના મહત્ત્વપૂર્ણ સભ્યોમાંનો એક છે. હાફિઝ સઈદના પુત્ર તલ્હા સઈદે પણ તાજેતરની રેલીમાં ભાગ લીધો હતો. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ લોકોએ જીવ ગુમાવ્યા.
પાકિસ્તાનના આ ષડયંત્ર પછી, ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા યોગ્ય જવાબ આપ્યો. ઘણા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો, જાેકે, પાકિસ્તાન હજુ પણ સુધરવાનો ડોળ કરી રહ્યું છે. તે વર્ષોથી આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડી રહ્યુ