Last Updated on by Sampurna Samachar
પિચ ધીમી થઈ ગઈ હતી, આનાથી રન બનાવવા ખૂબ મુશ્કેલ બન્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ ત્રીજી T૨૦ રાજકોટમાં યોજાઇ હતી. વરુણ ચક્રવર્તી ટીમ ઈન્ડિયાનો ઘાતક બોલર છે અને તેણે ઘણી વાર પોતાનો જાદુ બતાવ્યો છે. રાજકોટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન વરુણે ૫ વિકેટ લીધી હતી. જોકે, તેમ છતા ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. વરુણે ટીમ ઈન્ડિયાની હારનું મુખ્ય કારણ જણાવ્યું. તેમણે કહ્યું કે ટીમ ઈન્ડિયાની ઈનિંગ્સ દરમિયાન પિચ ધીમી થઈ ગઈ હતી. આનાથી રન બનાવવા ખૂબ મુશ્કેલ બન્યા.
રાજકોટમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યા નહીં. ભારતની હાર પર વરુણ ચક્રવર્તી પ્રતિક્રિયા આપી છે. અહેવાલ મુજબ, વરુણે કહ્યું, “મારું મૂલ્યાંકન એ છે કે બીજી ઇનિંગમાં પિચ ધીમી પડી ગઈ. અમને લાગ્યું કે ઝાકળ જતું રહેશે. પણ આવું ન થયું. તેમને આનો ફાયદો થયો. આદિલ રશીદને ખબર છે કે ક્યારે અને કેવી રીતે બોલિંગ કરવી. તેનો તેના પર સંપૂર્ણ નિયંત્રણ હતો.
ખરેખર, ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો ર્નિણય લીધો. છેલ્લી બે મેચમાં આ ર્નિણય તેના માટે યોગ્ય સાબિત થયો. પણ રાજકોટમાં તેનો કોઈ ફાયદો થઈ શક્યો નહીં. ભારતીય ટીમ બીજા દાવમાં બેટિંગ કરવા ઉતરી. આ સમયે પિચ ધીમી થઈ ગઈ અને રન બનાવી શકાયા નહીં. ટીમ ઈન્ડિયા ૨૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને માત્ર ૧૪૫ રન જ બનાવી શકી. જ્યારે ઈંગ્લેન્ડે ૧૭૧ રન બનાવ્યા હતા.
ઈંગ્લેન્ડ તરફથી જીમી ઓવરટને ૩ વિકેટ લીધી. તેણે ૩ ઓવરમાં ૨૪ રન આપ્યા. બ્રાયડન કાર્સે ૪ ઓવરમાં ૨૮ રન આપીને ૨ વિકેટ લીધી. જોફ્રા આર્ચરે પણ ૨ વિકેટ લીધી. તેણે ૪ ઓવરમાં ૩૩ રન આપ્યા. માર્ક વુડ અને આદિલ રશીદે ૧-૧ વિકેટ લીધી. રાશિદે ૪ ઓવરમાં ફક્ત ૧૫ રન આપ્યા.
રાજકોટમાં ભારતીય ટીમની બેટિંગ ફ્લોપ રહી હતી. ઓપનર સંજુ સેમસન ૩ રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવ ૧૪ રન બનાવીને આઉટ થયો હતો. તિલક વર્મા ૧૮ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. અભિષેક શર્માએ કેટલાક રન ઉમેર્યા હતા. તેણે ૧૪ બોલનો સામનો કરીને ૨૪ રન બનાવ્યા હતા. તેણે ૫ ચોગ્ગા ફટકાર્યા હતા. પંડ્યાએ ૪૦ અને અક્ષર પટેલે ૧૫ રન બનાવ્યા હતા.