રજત શર્માને અપાયું આચાર્ય તુલસી સન્માન

Share this Article:

Last Updated on by Sampurna Samachar

રજત શર્માએ પુરસ્કારને, બાળકોના શિક્ષણ માટે આપવાની કરી જાહેરાત

સકારાત્મક પત્રકારત્વના યોગદાન માટે ૧૬માં “આચાર્ય તુલસી સન્માન

(સંપૂર્ણ સમાચાર સેવા)

મુખ્યમંત્રીએ તેરાપંથી જૈન સમાજના આચાર્ય શ્રમણજીના દર્શન કરી – આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીએ સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રવિકાઓને વંદન કરી સૌનું દિલ જીતી લીધું હતું. આ પ્રસંગે રાજયપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ઇન્ડિયા ટીવીના મુખ્ય સંપાદક અને પદ્મભૂષણ રજત શર્માને તેમના સ્વચ્છ, સંયમિત તેમજ સકારાત્મક પત્રકારત્વના યોગદાન માટે ૧૬માં “આચાર્ય તુલસી સન્માન”થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રજત શર્માને સન્માન પત્ર, મોમેન્ટો અને એક લાખ રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવ્યું હતું. રજત શર્માએ એક લાખ રૂપિયાના પુરસ્કારને, બાળકોના શિક્ષણ માટે કાર્યરત ઇંડિયા ટીવીના ટ્રસ્ટમાં આપવાની જાહેરાત કરી હતી.

જ્યાં અહિંસા છે ત્યાં આનંદ જ આનંદ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, ભગવાને રચેલા સૃષ્ટિના નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ક્યારેય સુખી નથી થઈ શકતી. કાર્ય અને કારણ વચ્ચે અવિભાજ્ય સંબંધ હોય છે, કારણ વગર કોઈ કાર્ય થતું નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ભગવાન મહાવીર સ્વામીએ સ્થાપેલી જૈન પરંપરામાં અહિંસા એ મુખ્ય આધારશીલા છે. જ્યાં હિંસા છે ત્યાં દુ:ખ છે, અને જ્યાં અહિંસા છે ત્યાં આનંદ જ આનંદ છે.

સત્ય, અહિંસા, સંયમ, અપરિગ્રહ અને અસ્તેયને જીવનમાં સ્થાન આપનારા વ્યક્તિ જ સાચા અર્થમાં શાંતિ અને સુખ અનુભવે છે, જ્યારે આ સિદ્ધાંતોને ત્યજી દેવામાં આવે ત્યારે જીવનમાં દુ:ખોનો આરંભ થાય છે. આ દુનિયાના અવિનાશી સિદ્ધાંતો છે. રાજ્યપાલે વધુમાં જણાવ્યું કે, આપણે આવ્યા એ પહેલા પણ આ દુનિયા હતી અને આપણે ગયા પછી પણ દુનિયા યથાવત્ રહેશે. જે આપણું નથી તેને છોડી દેવું એ જ ઋષિ-મુનિઓની પરંપરા છે.

દુનિયામાં કોઈપણ પ્રાણી દુ:ખ ઈચ્છતું નથી, દરેક જીવ માત્ર સુખની ઈચ્છા રાખે છે. પરંતુ અનુકૂળતા અને પ્રતિકૂળતા વચ્ચેના સંઘર્ષથી જ દુ:ખ પેદા થાય છે. અનુકૂળતા સુખનું કારણ છે જ્યારે ઈચ્છા વિરુદ્ધ મળેલું પરિણામ દુ:ખનું કારણ બને છે. આ શાશ્વત સિદ્ધાંતો આપણને ઋષિ-મુનિઓ તથા જૈન સંતોએ આપેલા છે.

તેમણે શાસ્ત્રોક્ત સિદ્ધાંતોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, જે કાર્ય કરતા ભય લાગે, જે કાર્ય કરતા લજ્જા અનુભવાય અને જે કાર્ય કરતા શંકા થાય તેવું કાર્ય કરવું ન જોઈએ. આ જ શાસ્ત્રોનું અમૂલ્ય માર્ગદર્શન છે. આચાર્ય તુલસીએ આવા સિદ્ધાંતોના પ્રચાર-પ્રસાર માટે અવિરત પ્રયત્નો કર્યા હતા અને આજે આચાર્ય મહાશ્રમણજી પણ સમાજહિતનું કાર્ય કરી રહ્યા છે. આ સંતોની પરંપરા એ આપણને વિચારોની અણમોલ પુંજી આપી છે, જેને અપનાવવાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.