Last Updated on by Sampurna Samachar
આ કઠીન ર્નિણય લેવાની જવાબદારી ટીમ મેનેજમેન્ટની છે
કોમેન્ટેટર સંજય માંજરેકરે ઇન્ટરવ્યૂમાં કહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજના ખરાબ પ્રદર્શનને લઇ સવાલો ઉઠવા પામ્યા છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર સંજય માંજરેકરે હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શુભમન ગિલને સિરાજનું ખરાબ ફોર્મ પર ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે.
માંજરેકરે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, હવે ટીમના મેનેજમેન્ટે સિરાજની જગ્યાએ કોઈ બીજો વિકલ્પ પર વિચાર કરવો જોઈએ અને આ કઠીન ર્નિણય લેવાની જવાબદારી ટીમ મેનેજમેન્ટે લેવી પડશે. ઇંગ્લેન્ડ સામે હેડિંગ્લે ટેસ્ટ મેચમાં સિરાજે પહેલી ઇનિંગમાં બે વિકેટ જરૂર લીધી, પણ બીજી ઇનિંગમાં તે પૂર્ણ રીતે ફ્લોપ રહ્યો હતો.
સિરાજની હાલની ફોર્મને જોતાં આ જરૂરી
જોકે એક બે સ્પેલમાં તેણે જરૂર સારો બોલ નાખ્યો હતો. તેને બેન ડકેટને ૯૭ રન પર આઉટ કરવાની તક મળી હતી. પણ યશસ્વી જયસ્વાલે તે કેચ છોડી દીધો હતો. સિરાજનું ખરાબ પ્રદર્શનના કારણે સંજય માંજરેકરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, હવે ટીમને મુશ્કેલ ર્નિણય લેવાનો સમય આવી ગયો છે.
સિરાજ ટીમમાં સીનિયર બોલર છે, તેણે તેના અનુભવ પ્રમાણે બોલિંગ કરી છે. હેડિંગ્લેમાં તેનો સ્પેલ સારો હતો અને તેનો જૂનો રિકોર્ડ પણ ઠીકઠાક હતો, પણ હાલમાં આપણે આજની સ્થિતિ પર નજર રાખવી જોઈએ. સંજય માંજરેકરની અવલોકન સિરાજના આંકડાઓ પર આધારિત છે. તેના છેલ્લા ૧૦ ટેસ્ટ મેચોમાં ૨૮ વિકેટ લીધી છે, અને તેનું ખરાબ પ્રદર્શન પણ રહ્યું છે. એવામાં ટીમ ઈન્ડિયાને સારો બોલર શોધવો જરૂરી છે.
માંજરેકરે સિરાજના બદલે પ્રસિદ્ધ કૃષ્ણાને સારો વિકલ્પ જણાવ્યો. તેણે કહ્યું કે ટેસ્ટ મેચ દરમિયાન છેલ્લા સમયે કેપ્ટન શુભમન ગિલ પોતે વિકેટ માટે બોલાવી રહ્યા હતા. ટેસ્ટના અંતિમ તબક્કામાં પ્રસિદ્ધ કૃષ્ણા એવો બોલર હતો, જેને જોઈ શુભમન ગિલ વિકેટની આશા રાખી રહ્યો હતો. તે થોડો મોંઘો સાબિત રહ્યો, પણ વિકેટ લેવાની ભૂખ તેનામાં સ્પષ્ટ દેખાઈ રહી હતી. જો કોઈ મને ટીમ પસંદ કરવા કહે તો, સિરાજની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણાને ટીમમાં લઈશ. આ કઠિન ર્નિણય છે, પરંતુ સિરાજની હાલની ફોર્મને જોતાં આ જરૂરી છે.