Last Updated on by Sampurna Samachar
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને CM ભજનલાલ રહેશે હાજર
કરણી માતા દેવી દુર્ગાનો અવતાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના બિકાનેરમાં સ્થિત પ્રખ્યાત કરણી માતા મંદિરની મુલાકાત ૨૨ મેના રોજ લેશે. આ દરમિયાન કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ PM મોદી સાથે હાજર રહેશે.
કરણી માતા મંદિર રાજસ્થાનના બિકાનેરથી લગભગ ૩૦ કિલોમીટર દૂર દેશનોક વિસ્તારમાં આવેલું છે. આ મંદિર વિશે એવી માન્યતા છે કે કરણી માતા દેવી દુર્ગાનો અવતાર છે. વર્ષના બંને નવરાત્રિ નિમિત્તે કરણી માતા મંદિરમાં ભારે ભીડ ઉમટે છે. આ સમય દરમિયાન, કરણી માતાના મંદિરને શણગારીને પણ આ તહેવાર ઉજવવામાં આવે છે.
બિકાનેર અને જોધપુર રજવાડાઓની સ્થાપના
કરણી માતા મંદિરનું નિર્માણ ૧૫મી સદીની આસપાસ રાજપૂત રાજાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જોધપુર અને બિકાનેર પર શાસન કરનારા રાઠોડ રાજાઓ દ્વારા કરણી માતાની પૂજા કરવામાં આવતી હતી. કરણી માતા (KARNI MATA) ને બિકાનેર રાજવી પરિવારની કુળદેવતા માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે તેમના આશીર્વાદથી જ બિકાનેર અને જોધપુર રજવાડાઓની સ્થાપના થઈ હતી. માહિતી અનુસાર, કરણી માતાનું હાલનું મંદિર ૨૦મી સદીની શરૂઆતમાં બિકાનેર રાજ્યના મહારાજા ગંગા સિંહ દ્વારા બનાવવામાં આવ્યું હતું.