વડાપ્રધાન મોદીએ લોકાર્પણ બાદ ૪ મોટા ર્નિણય લીધા

Share this Article:

Last Updated on by Sampurna Samachar

PM નરેન્દ્ર મોદીના હસ્તે નવા કાર્યાલય સેવાતીર્થનું લોકાર્પણ

રાયસીના હિલ્સ સ્થિત સાઉથ બ્લોકથી સેવા તીર્થમાં શિફ્ટ થશે

(સંપૂર્ણ સમાચાર સેવા)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેવા તીર્થ સંકુલનું ઉદ્ઘાટન કર્યું છે. અહીં પ્રધાનમંત્રી કાર્યાલય , રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કેબિનેટ સચિવાલય સ્થિત હશે. PM મોદીએ મહિલાઓ, ખેડૂતો, યુવાનો અને નબળા જૂથોના કલ્યાણ માટે પહેલો ર્નિણય લીધો. પ્રધાનમંત્રીએ પીએમ રાહત યોજના શરૂ કરવાની મંજૂરી આપતી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા, સાથે જ દરેક નાગરિકને જીવનરક્ષક સુરક્ષા પૂરી પાડવા અને લખપતિ દીદીઓની સંખ્યાને છ કરોડ કરવાની મંજૂરી આપી.

વડાપ્રધાનનું કાર્યાલય રાયસીના હિલ્સ સ્થિત સાઉથ બ્લોકથી સેવા તીર્થમાં શિફ્ટ થઈ જશે. સેવા તીર્થમાં જ વડાપ્રધાનના કાર્યાલયની સાથે સાથે નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ સચિવાલય તથા કેબિનેટ સચિવાલય પણ છે. સેવા તીર્થના લોકાર્પણ બાદ વડાપ્રધાન મોદીએ ૪ મોટા ર્નિણય લીધા. જેની જાણકારી તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપી હતી.

ભારતના વહીવટી શાસન માળખાને પ્રતિબિંબિત કરે છે

આ પ્રસંગે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહ અને મુખ્ય સચિવ પીકે મિશ્રા અને શક્તિકાંત દાસ સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. હવેથી PMO અને અન્ય મહત્ત્વના મંત્રાલયોનું સંચાલન નવનિર્મિત કર્તવ્ય ભવન-૧ અને ૨ માંથી કરવામાં આવશે, જ્યાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો માટે અત્યાધુનિક સુવિધાઓ સાથેની નવી ઓફિસો તૈયાર કરવામાં આવી છે.

PM રાહત યોજના : આ દરેક નાગરિક માટે જીવનરક્ષક સુરક્ષા યોજના છે. વડાપ્રધાન મોદીએ PM રાહત યોજના શરૂ કરવાને મંજૂરી આપી છે. આ પહેલ હેઠળ અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિઓને કોઈપણ રોકડ ચુકવણી વિના સારવાર મળશે. જેમાં ૧.૫ લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ થશે. તેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે તાત્કાલિક તબીબી સહાયના અભાવે કોઈનું મૃત્યુ ન થાય. આ ર્નિણય યુવાનો અને સામાન્ય નાગરિકોને મોટી રાહત આપનારો છે.

લખપતિ દીદીનો ટાર્ગેટ ડબલ : સરકારે પહેલાથી જ ૩ કરોડ લખપતિ દીદીઓનો આંકડો પાર કરી લીધો છે. આ મૂળ લક્ષ્ય માર્ચ ૨૦૨૭ના એક વર્ષ પહેલા પ્રાપ્ત થયું. હવે વડાપ્રધાનએ એક નવો મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે. જે માર્ચ ૨૦૨૯ સુધીમાં ૬ કરોડ લખપતિ દીદી બનાવવાનું છે. આનાથી ગ્રામીણ મહિલાઓની આર્થિક શક્તિમાં વધુ વધારો થશે.

ખેડૂતો માટે ભેટ : આ ર્નિણયોમાં ખેડૂતો માટે પણ ભેટ છે. પીએમ મોદીએ ખેડૂતોને મજબૂત બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. ખેડૂતો માટે હાલનું ફંડ ૧ લાખ કરોડ રૂપિયા હતું, જે હવે વધારીને ૨ લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. આનાથી કૃષિની વેલ્યુ ચેન ઉત્પાદનથી લઈને સંગ્રહ અને માર્કેટિંગ સુધી મજબૂત બનશે. ખેડૂતોને વધુ સારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટોરેજ અને સુવિધાઓ મળશે.

સ્ટાર્ટઅપ ફંડિંગમાં પણ વધારો થયો : ભારતના ઈનોવેશન ઈકોસિસ્ટમ, ખાસ કરીને ડીપ ટેકનોલોજી, પ્રારંભિક તબક્કાના વિચારો, અદ્યતન ઉત્પાદન અને અત્યાધુનિક ટેકનોલોજીઓને સશક્ત બનાવવા માટે વડાપ્રધાનએ ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના ફંડ સાથે સ્ટાર્ટઅપ ઇન્ડિયા FoF 2.0  ૨.૦ને મંજૂરી આપી છે. આનાથી યુવાનોને તેમના નવા આઈડિયાને વાસ્તવિકતામાં ફેરવવા માટે ફન્ડિંગ મેળવવાનું સરળ બનશે.

એક અધિકારીએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ નવા પીએમઓ પરિસર સેવા તીર્થ ખાતે સેવાની ભાવનાને પ્રતિબિંબિત કરતા ર્નિણયો સંબંધિત મહત્વપૂર્ણ ફાઇલો પર હસ્તાક્ષર કર્યા છે. અગાઉ વડાપ્રધાન મોદીએ શુક્રવારે દિલ્હીમાં સેવા તીર્થ પરિસરનું ઉદ્ઘાટન કર્યું છે. તેમાં વડાપ્રધાન કાર્યાલય, કેબિનેટ સચિવાલય અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય સ્થિત છે. સેવા તીર્થ પરિસરની દિવાલ પર નાગરિક દેવો ભવ સૂત્ર અંકિત થયેલ છે. કેન્દ્ર સરકારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, નવી ઇમારતો ભારતના વહીવટી શાસન માળખાને પ્રતિબિંબિત કરે છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.