વડાપ્રધાન નેતન્યાહુએ ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ પર પૂર્ણ વિરામની જાહેરાત કરી

Share this Article:

Last Updated on by Sampurna Samachar

હમાસે બંધકોની લિસ્ટ શેર કરવામાં મોડુ કર્યુ

(સંપૂર્ણ સમાચાર સેવા)

ઈઝરાયલ અને હમાસના યુદ્ધ પર હવે પૂર્ણ વિરામ આવી રહ્યું છે. વડાપ્રધાન નેતન્યાહુના કાર્યાલયે પોતાના X  એકાઉન્ટ પર પોસ્ટ કરી જણાવ્યું કે, ગાઝામાં યુદ્ધવિરામ કરાર લાગુ થઈ ગયો છે. નેતન્યાહુના કાર્યાલયે જણાવ્યું કે, યુદ્ધવિરામ ત્રણ કલાક મોડુ શરૂ થયું. કારણ કે, હમાસે બંધકોની લિસ્ટ શેર કરવામાં મોડુ કર્યું હતું. વડાપ્રધાન નેતન્યાહુએ એક્સ પોસ્ટમાં જણાવ્યું કે, ઈઝરાયલના બંધકોની યાદી મળી ગઈ છે અને તેમની સિક્યોરિટી તપાસ કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે,  હમાસે નામ સોંપવામાં મોડુ કરવા માટે ‘ટેક્નિકલ ખામી’ ને જવાબદાર ગણાવી હતી. હમાસે કહ્યું કે, અમે ગત અઠવાડિયે જાહેર યુદ્ધવિરામ કરાર માટે પ્રતિબદ્ધ છીએ. જણાવી દઈએ કે, સાત ઓક્ટોબર, ૨૦૨૩ના દિવસે હમાસ દ્વારા ઈઝરાયલમાં પ્રચંડ હુમલા કરાયા હતા, જેમાં આશરે ૧૨૦૦ મોત થયા હતાં. આ દરમિયાન ૨૫૦થી વધુને બંધક બનાવાયા હતા. ત્યારબાદ ઈઝરાયલ તરફથી ગાઝામાં ચલાવાયેલા સૈન્ય અભિયાનમાં અત્યાર સુધી ૪૬,૮૯૯ લોકોના મોત થઈ ગયા છે.

અમેરિકા અને કતરની મધ્યસ્થીમાં થયેલાં કરારની જાહેરાત કરાઈ હતી. હમાસે કહ્યું કે, ગાઝામાં યુદ્ધવિરામના રસ્તા પરથી તમામ અડચણો દૂર થઈ ગઈ છે. હમાસે પહેલાં જ આ કરારનો સ્વીકાર કરી દીધો છે. યુદ્ધવિરામનો આ કરાર ત્રણ તબક્કામાં થશે. ઈઝરાયલ અને હમાસ વચ્ચેનો યુદ્‌ઘવિરામનો પહલો તબક્કો રવિવારે સવારે ૮ : ૩૦ વાગ્યે લાગુ થવાનો હતો. પરંતુ, હમાસે બંધકોની યાદી આપવામાં મોડુ કર્યું જેનાથી તે ત્રણ કલાક મોડુ લાગુ કરવામાં આવ્યું.

કરાર હેઠળ અઠવાડિયાના પહેલાં તબક્કામાં હમાસ ૯૮ બંધકોમાંથી ૩૩ બંધકોને મુક્ત કરશે. તેમાં તમામ મહિલા, બાળકો અને ૫૦થી વધારે ઉંમરના લોકો હશે. જોકે, ઈઝરાયલ તેના બદલે પોતાની જેલમાંથી આશરે બે હજાર પેલેસ્ટાઇનના લોકોને મુક્ત કરશે. તેમાં અહેમદ બરગૌટી જેવા અમુક આતંકવાદી પણ સામેલ છે. બરગૌટી ઈઝરાયલમાં હત્યા માટે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. ઈઝરાયલના ન્યાય મંત્રાલયે કહ્યું કે, રવિવારે પ્રત્યેક મહિલા બંધકની બદલે ૩૦ પેલેસ્ટાઇનના કેદીઓને મુક્ત કરવામાં આવશે. રવિવારે બંધકોને મુક્ત કર્યા બાદ, પ્રમુખ અમેરિકન વાર્તાકાર બ્રેટ મેકગર્કે કહ્યું કે, કરાર અનુસાર સાત દિવસ બાદ ચાર અન્ય મહિલા બંધકોને મુક્ત કરવામાં આવશે. આવતા પાંચ અઠવાડિયામાં બાકીના ૨૬ બંધકોને મુક્ત કરવામાં આવશે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.