Last Updated on by Sampurna Samachar
ફરિયાદ કરતા કારીગરો ન હોવાનું અધિકારીઓનું રટણ
બાળકો અને વૃદ્ધો અવારનવાર અકસ્માતનો બની રહ્યા છે ભોગ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં રોડ રસ્તાની રિપેરિંગ પાછળ કરોડો રૂપિયા ખર્ચ અમ. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ફાળવવામાં આવી રહ્યા છે. તેમ છતાં પૂર્વના ઘણાં વિસ્તારોમાં રોડ બનાવવાની કામગીરીથી લઈ કારીગીરો ન હોવાની ફરિયાદો સામે આવી રહી છે.અમદાવાદ પૂર્વના ઓઢવમાં પસાર થતાં બાળકો અને વૃદ્ધો અવારનવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે. જ્યારે આ અંગે સ્થાનિકોએ ફરિયાદ કરી તો અધિકારીઓ કારીગર નથી તેવા રટણ કરી રહ્યા છે.
દિવાળી બાદ રોડ-રસ્તા રિપેરિંગની કામગીરી ઝડપથી કરવા માટેની અમદાવાદ મ્યુનિ. કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી હતી. અમદાવાદના પૂર્વના ઘણાં વિસ્તારોમાં હજી રોડ બનવાની કામગીરી ટલ્લે ચઢી છે. જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી ઊભી થાય છે. આ અંગે અંબિકાનગરના સ્થાનિક આગેવાને જણાવ્યું કે, જેના કારણે અંબિકાનગર પ્રાથમિક શાળા અને સુપર હાઈસ્કુલમાં જતાં બાળકોને અવરજવરમાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. તેમજ સતત નાના મોટા અકસ્માત રોડ ખરાબ હોવાના કારણે પણ બનતા રહે છે.
આ અંગે જ્યારે સીટી એન્જિનિયરને ફરિયાદ કરવામાં આવી તો તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે, હાલમાં કારીગરો નથી જેવા આવશે તેવા ઝડપથી કામગીરી કરવામાં આવશે. પરંતુ આ કારણે લોકોની મુશ્કેલી વધી રહી છે. જેના અંગે તંત્ર તાકીદે ધ્યાન આપે અને લોકોને ખરાબ રસ્તાની ઝંઝટમાંથી મુક્તિ મળે તે જરૂરી છે.