Last Updated on by Sampurna Samachar
હજારો કાચબાઓનો જાણે મેળો ભરાયો
‘ઓડિશામાં પ્રકૃતિનો અદ્ભુત નજારો જોવા મળ્યો , IAS ઓફિસરે કરી પોસ્ટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓડિશાના દરિયાકિનારે આવું અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. જે જોઇ સૌ કોઇ આશ્ચર્યમાં મુકાયા હતા. વાત કરીએ તો અહીં ઓલિવ રિડલે કાચબાનો મેળો ભરાયો હતો અને કાચબાઓએ લાખો ઈંડા મૂકીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. ગંજમ જિલ્લાના રુશિકુલ્યા રોકરીમાં આ વખતે ૬.૮૨ લાખથી વધુથી કાચબાએ ઈંડા મૂકીને ગયા વર્ષનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે.
IAS સુપ્રિયા સાહુએ X પર વીડિયો પોસ્ટ કરતા કહ્યું હતું કે, ‘ઓડિશા (ODISHA ) માં પ્રકૃતિનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. લગભગ ૩ લાખ ઓલિવ રિડલે કાચબા માસ નેસ્ટીંગ માટે અહીં આવ્યા છે, જે અરિબાડા તરીકે ઓળખાય છે. આ એક દુર્લભ ઘટના છે.
કાચબાઓનુ પરત આવવું એ સ્વસ્થ રહેઠાણની આશાસ્પદ નિશાની
આ કાચબાઓ દરિયાઈ જીવસૃષ્ટિની જાળવણીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને તેમનુ પરત આવવું એ સ્વસ્થ રહેઠાણની આશાસ્પદ નિશાની છે. ઓડિશાના બેરહામપુર ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર સન્ની ખોકરેના જણાવ્યા અનુંસાર અત્યાર સુધીમાં ૬.૮૨ લાખથી વધુ ઓલિવ રિડલે કાચબાએ બીચ પર ઇંડા મૂક્યા છે. આ સંખ્યા ૨૦૨૩માં ૬.૩૭ લાખ દરિયાઈ પ્રજાતિઓના આગમનના અગાઉના રેકોર્ડને વટાવી ગઈ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ૨૦૨૩માં ૨૩ ફેબ્રુઆરીથી ૨ માર્ચ સુધીના ૮ દિવસના સામૂહિક માળખા દરમિયાન કુલ ૬,૩૭,૦૦૮ કાચબાએ ઈંડા મૂક્યા હતા, જ્યારે ૨૦૨૨માં ૫.૫૦ લાખ કાચબાએ ઈંડા મૂક્યા હતા. તેમજ હાલ જગ્યા આ બીચ વન વિભાગની કડક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે.
નિષ્ણાતો કહે છે કે માસ નેસ્ટીંગ માટે દરિયાકિનારા પર ઓલિવ રિડલે કાચબાના રેકોર્ડ સંખ્યામાં આવવાનું મુખ્ય કારણ અનુકૂળ આબોહવા છે. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (WILL), દેહરાદૂનના વરિષ્ઠ વૈજ્ઞાનિક બિવાસ પાંડવે જણાવ્યું હતું કે, ‘આ વર્ષે, સારી આબોહવાના કારણે રુશિકુલ્યા નદીના મુખ પર વધુ સંખ્યામાં કાચબાએ ઈંડા મુક્યા છે. રુશિકુલ્યા નદી કાચબા માટે મુખ્ય આશ્રયસ્થાન તરીકે ઉભરી રહી છે.’
એક વરિષ્ઠ વૈજ્ઞાનિકના કહેવા અનુસાર, ZSI વૈજ્ઞાનિકોએ અત્યાર સુધીમાં ૩૩૦ થી વધુ ઓલિવ રિડલે કાચબાને શોધી કાઢ્યા છે જેઓ ફરીથી અહીં આવ્યા છે. કારણ કે આ કાચબાને ૨૦૨૧-૨૩ના સમયગાળામાં ટેગ કરવામાં આવ્યા હતા.
ખલ્લીકોટ રેન્જ ઓફિસરે જણાવ્યું હતું કે, ‘સરકારે નવા વિસ્તારોને વાડ કરી છે કારણ કે આ વખતે કાચબાઓએ ન્યુ પોદામપેટાથી પ્રયાગી સુધીના લગભગ ૯ કિલોમીટરના વિસ્તારમાં માસ નેસ્ટીંગ કર્યું છે. તેમણે કહ્યું કે આ વાડ ઈંડાને શિકારીઓથી બચાવવા માટે લગાવવામાં આવી છે. અમે ઈંડાની સુરક્ષા માટે સંપૂર્ણ સાવચેતી રાખી છે.’