કેરળમાં નિપાહ વાયરસે હાહાકાર મચાવ્યો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

પ્રથમવાર ૧૯૯૮ માં મલેશિયામાં જોવા મળ્યો હતો વાયરસ

આ વાયરસની કોઇ દવા કે વેક્સિન ઉપલબ્ધ નથી

(સંપૂર્ણ સમાચાર સેવા)

કેરળમાં નિપાહ વાઈરસથી ફરી હાહાકાર મચી જવા પામ્યો છે. હાલમાં જ મલપ્પુરમ જિલ્લામાં આ વાઈરસથી એક ૧૮ વર્ષીય યુવાનનું મોત થયું હતું. તેમજ ૪૬ નવા કેસ સામે આવ્યા છે. આ ઘાતક વાઈરસે આરોગ્ય અધિકારીઓને હાઈ એલર્ટમાં મુકી દીધા છે. આ વાઈરસ જીવલેણ છે, કારણ કે તેની કોઈ ખાસ દવા કે વેક્સીન પણ ઉપલબ્ધ નથી.

નિપાહ વાઈરસ (NIV) એક ઝૂનોટિક વાઈરસ છે, એટલે કે, પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે. આ વાઈરસ મુખ્યત્વે ચામાચીડિયા (PTEROPUS  MEDIUS), જેને ફ્લાઈંગ ફોક્સ પણ કહેવામાં આવે છે. આ ડુક્કર દ્વારા માણસોમાં ફેલાય છે. આ પહેલીવાર ૧૯૯૮માં મલેશિયામાં જોવા મળ્યો હતો. ત્યારે બાંગ્લાદેશ, ભારત અને સિંગાપુરમાં તેનો પ્રકોપ જોવા મળ્યો હતો.

નિપાહ વાઈરસનો મૃત્યુદર ખૂબ જ ઊંચો

કેરળમાં ૨૦૧૮ થી અત્યાર સુધી સાત વખત નિપાહ વાઈરસનો પ્રકોપ જોવા મળ્યો છે. જેમાં ૨૦૧૮,૨૦૧૯,૨૦૨૧,૨૦૨૩ અને ૨૦૨૪-૨૫ નો સમાવેશ થાય છે.  નિપાહ વાઈરસનો મૃત્યુદર ખૂબ જ ઊંચો છે, જે ૪૦% થી ૭૫% સુધીનો હોઈ શકે છે. આ વાયરસમાં માનવ-માનવ ટ્રાન્સમિશન દ્વારા ફેલાવાની ક્ષમતા પણ છે, જે તેને વધુ ખતરનાક બનાવે છે.  WHO  એ આ રોગચાળાની સંભાવના ધરાવતા પ્રાથમિકતાવાળા રોગકારક જીવાણુઓમાં સામેલ કર્યો છે.

જુલાઈ ૨૦૨૫માં કેરળમના મુલપ્પુરમ જિલ્લામાં એક ૧૮ વર્ષીય કિશોરનું નિપાહ વાઈરસના કારણે મૃત્યુ થયું હતું. આ સાથે ૪૬ નવા કેસ સામે આવ્યા છે, જેમાં મોટાભાગના મલપ્પુરમ, કોઝિકોડ અને પલક્કડ઼ જિલ્લામાં છે. આરોગ્ય અધિકારીઓએ  ૪૨૫ લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. આ વાઈરસ ચામાચિડીયા અથવા ડુક્કરના મળ, મુત્ર અથવા લાળથી દુષિત થયેલા ભોજન ખાવાથી થાય છે. સંક્રમિત વ્યક્તિના શરીરના પ્રવાહી જેવા કે, લાળ, લોહી અને ખુલ્લામાં છીંક ખાવાથી આ રોગ ફેલાય છે.

લક્ષણો :

વાઈરસ શરીરમાં પ્રવેશ કરતાં ૪ થી ૧૪ દિવસ પછી લક્ષણો જોવા મળે છે.

શરુઆતના લક્ષણો : તાવ આવવો, માથુ દુખવું, સ્નાયુઓમાં દુખાવો, ગળામાં ખારાશ, ઉલ્ટી અને થાક.

ગંભીર લક્ષણ : શ્વાસ લેવામાં તકલીફ પડવી, ચક્કર આવવા, દિશા ભૂલી જવી, એટેક, કોમા અને એન્સેફાલીટીસ (મગજનો સોજો).

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.