નેપાળ ભારતીય ચલણના ઉપયોગને લઇ કરશે ફેરફાર

Share this Article:

Last Updated on by Sampurna Samachar

નોટ પ્રતિબંધના લગભગ એક દાયકા પછી આવ્યો

કામદારો અને બંને દેશો વચ્ચેના વેપારને અસર કરશે

(સંપૂર્ણ સમાચાર સેવા)

ભારતીય રૂપિયા અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કારણ કે પડોશી દેશ નેપાળ ભારતીય ચલણના ઉપયોગને નિયંત્રિત કરતા તેના નિયમોમાં નોંધપાત્ર ફેરફારો કરવા જઈ રહ્યું છે. આ ફેરફાર ખાસ કરીને ભારતીય પ્રવાસીઓ, સ્થળાંતર કામદારો અને બંને દેશો વચ્ચેના વેપારને અસર કરશે.

નેપાળ હવે ૧૦૦ રૂપિયાથી વધુ મૂલ્યની ભારતીય ચલણી નોટોને સત્તાવાર રીતે સ્વીકારવાની તૈયારી કરી રહ્યું છે. આ ર્નિણય ૨૦૧૬ માં ભારતીય નોટબંધી પછી લાગુ કરાયેલા પ્રતિબંધના લગભગ એક દાયકા પછી આવ્યો છે.

પ્રવાસન અને આતિથ્ય ક્ષેત્રને સીધો ફાયદો થશે

આ નવા પગલાથી બંને દેશો વચ્ચે મુસાફરી, વેપાર અને રેમિટન્સમાં નોંધપાત્ર સરળતા આવવાની અપેક્ષા છે. નેપાળી સ્થળાંતર કામદારો, વિદ્યાર્થીઓ, યાત્રાળુઓ અને પ્રવાસીઓને હવે જૂના નિયમો હેઠળ રોકડ વહન કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહીં. એક્સપર્ટ કહે છે કે આ ફેરફારથી નેપાળના પ્રવાસન અને આતિથ્ય ક્ષેત્રને પણ સીધો ફાયદો થશે, ખાસ કરીને સરહદી વિસ્તારો, કેસિનો અને યાત્રાધામોમાં.

નેપાળ રાષ્ટ્ર બેંક આ ર્નિણયને લાગુ કરવાના અંતિમ તબક્કામાં છે. બેંકના પ્રવક્તા ગુરુ પ્રસાદ પૌડેલે જણાવ્યું હતું કે નેપાળ ગેઝેટમાં સત્તાવાર સૂચના પ્રકાશિત કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ પછી, નવા નિયમો અંગે બેંકો અને નાણાકીય સંસ્થાઓને પરિપત્રો જાહેર કરવામાં આવશે. જ્યારે સત્તાવાર તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ સમગ્ર પ્રક્રિયા તેના અંતિમ તબક્કામાં છે.

નેપાળનો ર્નિણય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વિદેશી વિનિમય વ્યવસ્થાપન અને આયાત-નિકાસ નિયમોમાં તાજેતરના સુધારાને અનુસરીને લેવામાં આવ્યો છે. નવા નિયમો અનુસાર, લોકો હવે ભારત અને નેપાળ વચ્ચે કોઈપણ રકમમાં ૧૦૦ રૂપિયા સુધીની ભારતીય ચલણી નોટોનું પરિવહન કરી શકે છે. બંને દિશામાં કુલ ૨૫,૦૦૦ રૂપિયા માટે ૧૦૦ રૂપિયાથી વધુની નોટોની મંજૂરી આપવામાં આવશે.

એ નોંધવું જોઈએ કે ૨૦૧૬ માં ભારતના નોટબંધી પછી, નેપાળે ઉચ્ચ મૂલ્યની ભારતીય ચલણી નોટો પર કડક પ્રતિબંધો લગાવ્યા હતા. આ પગલું નકલી નોટો અને સુરક્ષા જોખમો અંગેની ચિંતાઓને કારણે લેવામાં આવ્યું હતું. આનાથી મુસાફરોને નાની ચલણી નોટો પર આધાર રાખવાની ફરજ પડી હતી, જેના પરિણામે ઘણીવાર અજાણતા ઉલ્લંઘન માટે દંડ અથવા અટકાયતનો સામનો કરવો પડ્યો હતો.

નેપાળ રાષ્ટ્ર બેંકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ ફેરફાર લાંબા સમયથી માંગણી હતી, અને ભારતે સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. તેમણે સમજાવ્યું કે મોટી સંખ્યામાં નેપાળી નાગરિકો કામ અને અન્ય હેતુઓ માટે ભારતમાં મુસાફરી કરે છે અને જૂના ચલણના નિયમો તેમના માટે અસુવિધાનું કારણ હતા. આ ફેરફાર બંને દેશો વચ્ચે આર્થિક પ્રવૃત્તિને સરળ બનાવશે અને વેપાર અને પર્યટન ક્ષેત્રોને વેગ આપશે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.