વક્ફ વિરોધથી હિંસાગ્રસ્ત મુર્શિદાબાદમાં લગભગ ૪,૫૦૦ વકફ પ્રોપર્ટી

Share this Article:

Last Updated on by Sampurna Samachar

વકફ કાયદાને લઈને મુર્શિદાબાદમાં ભારે હિંસા પ્રવર્તી રહી

૫૫૦ મિલકતો પર કબજો કરી લીધો

(સંપૂર્ણ સમાચાર સેવા)

પશ્ચિમ બંગાળનો મુર્શિદાબાદ જિલ્લો વકફ એમેન્ડમેન્ટ એક્ટ વિરુદ્ધ હિંસાથી સૌથી વધુ પ્રભાવિત છે. ખાસ વાત એ છે કે અહીં લગભગ ૪,૫૦૦ વકફ પ્રોપર્ટી છે. જેમાં મોટાભાગની ખેતીની જમીન હોવાનું વહીવટી સૂત્રોએ જણાવ્યું હતું. આ અંદાજે એક લાખ એકર જમીન હશે. એવો આક્ષેપ છે કે સ્થાનિક રીતે પ્રભાવશાળી લોકોએ તેમાંથી ૫૫૦ મિલકતો પર કબજો કરી લીધો છે.

મહત્વનું છે કે સુધારેલા વકફ કાયદાને લઈને મુર્શિદાબાદમાં ભારે હિંસા પ્રવર્તી રહી છે. રાજ્ય વકફ બોર્ડના સભ્ય અને જિલ્લાના જંગીપુરના તૃણમૂલ સાંસદ ખલીલુર રહેમાને જણાવ્યું હતું કે વકફ મિલકત પર અતિક્રમણ કરવામાં આવી રહ્યું છે. તેમણે એ પણ સ્વીકાર્યું કે તૃણમૂલ કોંગ્રેસના કેટલાક લોકોની પણ અતિક્રમણમાં ભૂમિકા છે. તેમણે એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર અને વક્ફ બોર્ડ અતિક્રમણને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે.

મથુરાપુરના TMC સાંસદનુ વિવાદિત નિવેદન

હિંસા વચ્ચે તૃણમૂલ કોંગ્રેસ સાંસદ પોતાનો ગુસ્સો ગુમાવી બેઠા હતા. દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાના મથુરાપુરના ટીએમસી સાંસદ બાપી હલદરે કહ્યું કે જો કોઈ વકફ પ્રોપર્ટી પર નજર નાખે તો તેની આંખો કાઢી લેવી જોઈએ. તેણે હાથ-પગ તોડી નાખવાની ધમકી આપી હતી. ભાજપ અને CPI (એમ) એ ટીએમસી સાંસદના નિવેદનની આકરી ટીકા કરી હતી. મથુરાપુરના લાલપુરમાં તૃણમૂલે વકફ (સુધારા) કાયદા વિરુદ્ધ બેઠક બોલાવી હતી. સાંસદ બાપી હલદરે અહીં આ નિવેદન આપ્યું હતું.

વહીવટીતંત્રે મુર્શિદાબાદ ઉપરાંત માલદા અને બીરભૂમ જિલ્લામાં ઇન્ટરનેટ પરનો પ્રતિબંધ લંબાવ્યો છે. આ આદેશ ૧૫ એપ્રિલે રાત્રે ૧૦ વાગ્યા સુધી અમલમાં રહેશે. આ પછી સ્થિતિની સમીક્ષા કરીને આગળનું પગલું ભરવામાં આવશે. મુર્શિદાબાદ જિલ્લાના કેટલાક અન્ય વિસ્તારોને પણ ઈન્ટરનેટ પ્રતિબંધના દાયરામાં સામેલ કરવામાં આવ્યા છે. અગાઉ હિંસાથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાના સુતી, જાંગીપુર, ધુલિયા અને સમસેરગંજ વિસ્તારોમાં પ્રતિબંધ અમલમાં હતો.

મુર્શિદાબાદના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં BSF ના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. તાજેતરના અહેવાલો અનુસાર, અત્યાર સુધીમાં લગભગ ૫૦૦ પરિવારો મુર્શિદાબાદથી સ્થળાંતર કરી ચૂક્યા છે. આ બધાએ પડોશી માલદા જિલ્લાની એક શાળામાં કામચલાઉ રાહત શિબિરમાં આશ્રય લીધો છે. આ પરિવારો ધુલિયાં અને સમસેરગંજના છે.

બાંગ્લાદેશની સરહદે આવેલા મુર્શિદાબાદ અને માલદા જિલ્લામાં બીએસએફના જવાનોને બાંગ્લાદેશના ભૂગર્ભ ઉગ્રવાદી જૂથો સાથે જોડાયેલા લોકો ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ ન કરે તે સુનિશ્ચિત કરવા માટે એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.