નાઇજીરીયામાં ગેસોલીન ભરેલા ટેન્કરમાં બ્લાસ્ટ થતાં આગના બનાવમાં 70 લોકો જીવતા હોમાયા

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ગેસોલિન ટેન્કરમાંથી ઈંધણની ચોરી કરવાના પ્રયાસ દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો

(સંપૂર્ણ સમાચાર સેવા)

નાઈજીરીયા દેશમાં એક મોટી આગના બનાવથી કેટલાય લોકોના ભોગ લેવાયા છે. જેમાં ગેસોલીનથી ભરેલા ટેન્કરમાં અચાનક વિસ્ફોટ થતાં જોરદાર આગ લાગી હતી, જેમાં ૭૦ લોકોના કરૂણ મોત થયા હતા. નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના ચીફ હુસૈની ઈસાએ આગની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે આ અકસ્માત ઈંધણ ટ્રાન્સફર દરમિયાન થયો હતો.

નોર્થ-સેન્ટરમાં નાઈજર રાજ્યના સુલેજા વિસ્તાર પાસે એક ટેન્કરમાં લાગેલી આગનો બનાવ બન્યો હતો. મળતી માહિતી પ્રમાણે કેટલાક લોકો જનરેટરનો ઉપયોગ કરીને એક ટેન્કરમાંથી બીજા ટેન્કરમાં ગેસોલીન ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ટેન્કરમાં વિસ્ફોટ થયો અને આગ લાગી. જેના કારણે ગેસોલીન ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરી રહેલા લોકો જીવતા સળગી ગયા હતા. આગ નજીક ઉભેલા લોકોને પણ લપેટમાં આવી ગયા હતા. જોત જોતામાં આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

નાઈજરના ગવર્નર મોહમ્મદ બાગોએ આ અકસ્માત અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે નાઈજર સ્ટેટના ડિક્કો વિસ્તારમાં ગેસોલિન ટેન્કરમાંથી ઈંધણની ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો ત્યારે અચાનક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં લગભગ ૭૦ લોકોના મોત થયા છે. પોલીસ અને ફાયર બ્રિગેડે આવીને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. પોલીસે સ્થળ પર જ ફાટી નીકળેલી અરાજકતાને કાબૂમાં લીધી હતી. ફાયર બ્રિગેડે આગ ઓલવવામાં સફળતા મેળવી હતી.

આગ બુઝાવ્યા બાદ પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. ઘાયલોને પણ નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ વિભાગ અને વહીવટીતંત્રના અધિકારીઓ અને સરકારી અધિકારીઓ અકસ્માત સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે બચાવ કામગીરીને સફળ બનાવનારાઓની પ્રશંસા કરી હતી અને પોલીસને અકસ્માત માટે જવાબદારો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે નાઈજીરિયામાં પેટ્રોલ ટેન્કરમાં વિસ્ફોટ સામાન્ય બાબત છે. અવાર-નવાર ટેન્કર બ્લાસ્ટના અકસ્માત સર્જાય છે. સપ્ટેમ્બર ૨૦૨૪માં પણ હાઇવે પર પેટ્રોલ ભરેલા ટેન્કરમાં વિસ્ફોટ થતાં ૪૮ લોકોના મોત થયા હતા. નાઈજીરિયાના રાષ્ટ્રપતિ બોલા તિનુબુએ પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.