મોદી સરકારે જાતિ જનગણના વિશે લીધો મોટો નિર્ણય

Share this Article:

Last Updated on by Sampurna Samachar

કેન્દ્ર સરકારે નવા હાઇવેના નિર્માણને મંજૂરી આપી

જાતિઓની ગણતરી આગામી વસ્તી ગણતરીમાં કરાશે

(સંપૂર્ણ સમાચાર સેવા)

સમગ્ર દેશ આતંકી હુમલા બાદ પાકિસ્તાન સામે સૈન્ય કાર્યવાહીની રાહ જોઈ રહ્યો છે, તેની વચ્ચે મોદી સરકારે એક અતિ મહત્વનો ર્નિણય લીધો છે. લાંબા સમયથી ચાલતી જાતિ આધારિત વસ્તી ગણતરી પર મોદી (MODI) કેબિનેટે મંજૂરીની મહોર મારી છે. જેમાં યોજાયેલી એક બેઠકમાં મોદી કેબિનેટે જાતિઆધારિત વસ્તી ગણતરી માટે મંજૂરી આપી દીધી છે.

વાસ્તવમાં, રાજકીય બાબતોની કેબિનેટ સમિતિ એટલે કે CCPA ને સુપર કેબિનેટ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેમાં કેન્દ્રીય કેબિનેટના ટોચના મંત્રીઓનો સમાવેશ થાય છે. CCPA ના વર્તમાન સભ્યોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સમાવેશ થાય છે,  જે તેના અધ્યક્ષ છે. આ સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી, નાણાં પ્રધાન ર્નિમલા સીતારમણ અને વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલનો પણ તેમાં સમાવેશ થાય છે.

વસ્તી ગણતરીમાં જાતિ વસ્તી ગણતરીનો સમાવેશ

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે શિલોંગ અને સિલચર વચ્ચે એક નવા હાઇવેના નિર્માણને મંજૂરી આપી છે, જેનો કુલ ખર્ચ ૨૨,૮૬૪ કરોડ રૂપિયા હશે. આ સાથે, ૨૦૨૫-૨૬ શેરડીની સીઝન માટે ખેડૂતોને રાહત આપતા, પ્રતિ ક્વિન્ટલ ૩૫૫ રૂપિયાના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ને પણ મંજૂરી આપવામાં આવી છે.

પત્રકારોને સંબોધતા અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે રાજકીય બાબતોની કેબિનેટ સમિતિ (CCPA) ની બેઠકમાં ર્નિણય લેવામાં આવ્યો છે કે આગામી વસ્તી ગણતરીમાં જાતિ વસ્તી ગણતરીનો સમાવેશ કરવામાં આવશે. આને એક ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે, કારણ કે અત્યાર સુધી જાતિ વસ્તી ગણતરી મૂળભૂત વસ્તી ગણતરીનો ભાગ રહી નથી. તેમણે કહ્યું, “કેટલાક રાજ્યોએ પોતાના સ્તરે જાતિ સર્વેક્ષણો કર્યા છે, પરંતુ સામાજિક માળખાને સમજવા માટે એક સર્વાંગી અભિગમ જરૂરી છે. CCPA એ ર્નિણય લીધો છે કે હવે જાતિઓની ગણતરી આગામી વસ્તી ગણતરીમાં કરવામાં આવશે, કોઈ અલગ સર્વેક્ષણ હેઠળ નહીં.”

કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધતા અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કોંગ્રેસ સરકારોએ હંમેશા જાતિ વસ્તી ગણતરીનો વિરોધ કર્યો છે. ૨૦૧૦ માં, સ્વર્ગસ્થ ડૉ. મનમોહન સિંહે કહ્યું હતું કે જાતિ વસ્તી ગણતરીનો મુદ્દો કેબિનેટમાં ધ્યાનમાં લેવો જોઈએ. આ વિષય પર વિચાર કરવા માટે મંત્રીઓનું એક જૂથ બનાવવામાં આવ્યું હતું. મોટાભાગના રાજકીય પક્ષોએ જાતિગત વસ્તી ગણતરીની ભલામણ કરી હતી. આમ છતાં, કોંગ્રેસ સરકારે જાતિ સર્વેક્ષણ અથવા જાતિ વસ્તી ગણતરી તેમણે કહ્યું કે એ વાત સારી રીતે સમજી શકાય છે કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ જાતિગત વસ્તી ગણતરીનો ઉપયોગ ફક્ત રાજકીય હથિયાર તરીકે કર્યો છે.

કેટલાક રાજ્યોએ જાતિઓની ગણતરી માટે સર્વેક્ષણો હાથ ધર્યા છે. જ્યારે કેટલાક રાજ્યોએ તે સારી રીતે કર્યું છે, ત્યારે કેટલાક રાજ્યોએ ફક્ત રાજકીય દૃષ્ટિકોણથી બિન-પારદર્શક રીતે આવા સર્વેક્ષણો કર્યા છે. આવા સર્વેક્ષણોએ સમાજમાં શંકાઓ ઉભી કરી છે. રાજકારણથી આપણું સામાજિક માળખું નષ્ટ ન થાય તે માટે, સર્વેક્ષણને બદલે વસ્તી ગણતરીમાં જાતિ ગણતરીનો સમાવેશ થવો જોઈએ.

તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે બંધારણના અનુચ્છેદ ૨૪૬ હેઠળ, કેટલીક રાજ્ય સરકારોને પોતાના સ્તરે સામાજિક સર્વેક્ષણ કરવાનો અધિકાર છે. પરંતુ જાતિના ડેટાનો સમાવેશ હવે કેન્દ્રીય વસ્તી ગણતરી હેઠળ કરવામાં આવશે, જેથી એકરૂપતા અને ચોકસાઈ જાળવી શકાય. મોદી સરકારે શેરડીના ખેડૂતોને મોટી ભેટ આપી છે. શેરડીના FRP માં વધારો કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે શિલોંગથી સિલ્વર કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે. સરકારે મેઘાલયથી આસામ સુધીના નવા હાઇવેને મંજૂરી આપી છે, જે ૧૬૬.૮ કિમી લાંબો ૪-લેન હાઇવે હશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર જાતિગત વસ્તી ગણતરી કરશે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.