માવઠાના કારણે પાકને મોટાપાયે નુકસાન

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ટૂંક સમયમાં ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કરાશે

૭૦ ટકા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ

(સંપૂર્ણ સમાચાર સેવા)

રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. મગફળી અને કપાસની ઉપજ લેવાના સમયે જ રાજ્યમાં માવઠાનો માર જોવા મળ્યો હતો. એક અઠવાડિયા સુધી પડેલા માવઠાના કારણે ઘણા જિલ્લામાં ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે.  આવામાં ઘણા ખેડૂતો નિરાશ થયા છે. તૈયાર પાક નાશ પામતા આ પાકને ખેતરમાંથી લેવાનો ખર્ચો પણ માથે પડે તેમ છે. જે કારણે ખેડૂતો આ પાક સળગાવી દેવા માટે મજબૂર બન્યા છે.

અમરેલી જિલ્લામાં સૌથી વધુ કમોસમી વરસાદ નોંધાયો હતો. જે કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. અમરેલીના સાવરકુંડલા તાલુકાના શાંતિનગર ગામના ખેડૂતે મગફળીનું વાવેતર કર્યું હતું. જે કમોસમી વરસાદના કારણે તૈયાર પાક લેવામાં આવે તે પહેલા જ માવઠાના કારણે પાકને મોટાપાયે નુકસાન થયું હતું.

રાજ્યમાં ૨૪૯ તાલુકાના ૧૬૦૦૦થી વધારે ગામોમાં પાક નુકસાન

આ પાકને લેવાનો ખર્ચો અને મજૂરી વધારે હોવાના કારણે આ ખેડૂતો મગફળીના પાથરા સળગાવી દીધા હતા. ખેડૂતોના જણાવ્યા અનુસાર, જો હવે આ મગફળીને બહાર લઈ જવામાં આવે તો તેમાં પણ મજૂરી લાગે છે. જે કારણે હવે ખેતરોમાં જ આ પાક બાળીને સરકાર સામે પોતાનો રોષ પ્રગટ કરી રહ્યા છે. ખેડૂતો સરકાર પાસે રાહત પેકેજની તાકીદે માંગ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે રાજ્યમાં સૌથી વધુ મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. રાજ્યમાં ૨૨ લાખ હેક્ટર વિસ્તારમાં ખેડૂતો દ્વારા મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. જે ગત વર્ષની સરખામણીમાં ૨૫ ટકા વધુ છે. અને વર્ષ ૨૦૧૭-૧૯ કરતા ત્રણ ગણું છે.

માવઠા પહેલા રાજ્યમાં ૬૬ લાખ મેટ્રિક ટન મગફળીના ઉત્પાદનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો. હાલ સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા ૭૨૬૩ રૂપિયા ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. સરકાર ખેડૂતદીઠ ૧૨૫ મણ મગફળીની ખરીદી કરશે.

ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદના કારણે પ્રાથમિક અંદાજ મુજબ, રાજ્યમાં ૨૪૯ તાલુકાના ૧૬૦૦૦થી વધારે ગામોમાં પાક નુકસાન થયું છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ નુકસાનની સામે હાલની સ્થિતિએ ૭૦ ટકા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે બાકીના વિસ્તારોની કામગીરી ચાલી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આ નુકસાનીનો સર્વે પૂર્ણ થતાની સાથે જ ટૂંક સમયમાં ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવશે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.