Last Updated on by Sampurna Samachar
ટૂર્નામેન્ટમાં કુલ ૧૯ મેચો રમાશે
T૨૦ ફોર્મેટમાં રમાશે એશિયા કપ મેચ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ICC ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહિનાઓ સુધી મહાજંગનું વાતાવરણ રહ્યું હતું. ૨૩ ફેબ્રુઆરીએ ફેન્સની રાહનો અંત આવ્યો અને પાકિસ્તાનને કારમી હારનો સામનો કરવો પડ્યો. હવે ચેમ્પિયન્સ ટ્રોફીમાં આ મહાજંગનો મામલો ઠંડો પડી ગયો છે. આ વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ મેચો યોજાવાની છે. વર્ષના છેલ્લા મહિનામાં એશિયા કપ (ASIA CUP) શરૂ થશે જે T૨૦ ફોર્મેટમાં રમાશે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચો રમાશે.
રિપોર્ટ અનુસાર એશિયા કપ સપ્ટેમ્બરમાં યોજાય તેવી શક્યતા છે. આ માટે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એ અસ્થાઈ શેડ્યૂલ તૈયાર કર્યું છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, ટૂર્નામેન્ટમાં કુલ ૧૯ મેચો રમાશે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક કે બે નહીં પરંતુ ૩ મેચ રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ સ્ટેજમાં ટક્કર થશે. ત્યાર પછી સુપર ફોર રાઉન્ડમાં અને કદાચ ફાઈનલમાં પણ ટક્કર થઈ શકે છે.
શ્રીલંકા એશિયા કપની યજમાની કરશે
રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે, આ ટુર્નામેન્ટ મૂળ રૂપથી ભારતને ફાળવવામાં આવી હતી. પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ જોવા મળ્યો હતો. હાઇબ્રિડ મોડલ પર મેગા ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માંગ પણ પૂરી કરવામાં આવી હતી. પાકિસ્તાનની ટીમ પણ ભારતમાં રમવા નહીં આવે. જેના કારણે શ્રીલંકા એશિયા કપની યજમાની કરશે.
અગાઉની આવૃત્તિની જેમ આઠ ટીમોને બે જૂથોમાં વહેંચવામાં આવશે. જેમાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં જોવા મળશે. આ ટુર્નામેન્ટની તૈયારી માટે પાકિસ્તાન પાસે થોડા મહિનાનો સમય છે. પાકિસ્તાનની ટીમ એશિયા કપમાં ચેમ્પિયન્સ ટ્રોફીના ઘા રુઝાવવા માંગશે.