Last Updated on by Sampurna Samachar
આ વખતનો પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ખાસ : PM મોદી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષમાં પહેલીવાર મન કી બાત કાર્યક્રમને સંબોધિત કર્યુ છે. જે આ મન કી બાતનો ૧૧૮ મો એપિસોડ છે. વાસ્તવમાં, મન કી બાતનો કાર્યક્રમ દર મહિનાના છેલ્લા રવિવારે યોજાય છે પરંતુ આ વર્ષે પ્રજાસત્તાક દિવસ છેલ્લા રવિવારે હોવાથી, મન કી બાતનો કાર્યક્રમ યોજાઈ ગયો હતો. આ દરમિયાન PM મોદીએ મહાકુંભના આયોજનને ઐતિહાસિક ગણાવ્યું અને સ્પેસ ડોકીંગમાં સફળતા મેળવવા બદલ ઈસરોને અભિનંદન આપ્યા હતા.
મન કી બાતમાં PM મોદીએ ગણતંત્ર દિવસની ૭૫ મી વર્ષગાંઠનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, “આ વખતનો પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ખાસ છે.’ આ ભારતીય પ્રજાસત્તાકની ૭૫ મી વર્ષગાંઠ છે. આ વર્ષે બંધારણના અમલીકરણની ૭૫મી વર્ષગાંઠ છે. હું બંધારણ સભાના તે તમામ હસ્તીઓને નમન કરું છું જેમણે આપણને આપણું પવિત્ર બંધારણ આપ્યું.”
PM મોદીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ પર કહ્યું કે, ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ ૨૫ જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે, આ દિવસે ભારતના ચૂંટણી પંચની સ્થાપના થઈ હતી.’ વર્ષોથી, ચૂંટણી પંચે આપણી મતદાન પ્રક્રિયાને સતત આધુનિક અને મજબૂત બનાવી છે, જેનાથી દરેક પગલે લોકશાહી સશક્ત બની છે.
મહાકુંભ વિશે તેમણે કહ્યું, ‘કુંભ’, ‘પુષ્કર’ અને ‘ગંગા સાગર મેળો’ – આપણા આ તહેવારો એવા તહેવારો છે જે આપણી સામાજિક ક્રિયાપ્રતિક્રિયા, સંવાદિતા અને એકતાને વધારે છે. આ તહેવારો ભારતના લોકોને ભારતની પરંપરાઓ સાથે જોડે છે. તેમણે કહ્યું, “અવિસ્મરણીય ભીડ, અકલ્પનીય દ્રશ્ય અને સમાનતા અને સંવાદિતાનો અસાધારણ સંગમ, આ વખતે કુંભમાં ઘણા દિવ્ય યોગ પણ રચાઈ રહ્યા છે. આ તહેવાર વિવિધતામાં એકતાનો ઉત્સવ છે. ફક્ત ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના લોકો આ દિવસે ભેગા થાય છે.” સંગમની રેતી. હજારો વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં કોઈ ભેદભાવ કે જાતિવાદ નથી. કુંભ ભારતના લોકોને પરંપરાઓ સાથે જોડે છે.”