Last Updated on by Sampurna Samachar
પરોક્ષ રીતે EVM પર સવાલ ઉઠાવ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના બે મહિના પછી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ પરિણામો પર સવાલ ઉઠાવ્યા છે. મુંબઈના વર્લીમાં આયોજિત પાર્ટી કાર્યકર્તાઓના સંમેલનમાં રાજ ઠાકરેએ ચૂંટણી પરિણામો પર શંકા વ્યક્ત કરી અને પરોક્ષ રીતે EVM પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે ભાજપને ૧૩૨ બેઠકો મળી તે સમજી શકાય તેવી વાત છે, પરંતુ અજિત પવારને ૪૧ બેઠકો અને શરદ પવારને માત્ર ૧૦ બેઠકો મળે તે સમજની બહાર છે.
વર્લીમાં પાર્ટીના અધિકારીઓ અને કાર્યકરોને સંબોધતા રાજ ઠાકરેએ કહ્યું, “ચૂંટણી પરિણામો પછી, હું કેટલીક વાતો પર વિશ્વાસ કરી શકતો નથી. વિધાનસભા ચૂંટણી પરિણામો પછી, રાજ્યમાં એક અલગ પ્રકારનું મૌન છવાઈ ગયું, આવું મૌન મેં પહેલાં ક્યારેય જોયું ન હતું.”. પરિણામો પછી, ઘણા જીતેલા લોકોએ મને ફોન કર્યો. તેઓ પણ પોતાની જીત પર વિશ્વાસ કરી શકતા નહોતા.”
મનસેના વડા રાજ ઠાકરેએ કહ્યું, “લોકોએ અમને મત આપ્યા છે, પરંતુ તે અમારા સુધી પહોંચ્યા નહીં, તે ગાયબ થઈ ગયા. જો આવું થાય, તો ચૂંટણી ન લડવી જ સારી છે. અમારા પક્ષના ઉમેદવાર રાજુ પાટિલ કલ્યાણ ગ્રામીણ બેઠક પરથી ચૂંટણી લડી. તેમને પોતાના ગામમાં એક પણ મત મળ્યો નથી, તેઓ ત્યાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. બીજી ઘણી બાબતો છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. વિધાનસભા ચૂંટણીના પરિણામો અંગે પણ લોકો મૂંઝવણમાં છે.”
રાજ ઠાકરેએ તેમના પર લગાવવામાં આવી રહેલા આરોપોનો પણ જવાબ આપ્યો. તેમણે કહ્યું, “તેમના પર હંમેશા પોતાનું સ્ટેન્ડ બદલતા રહેવાનો આરોપ લાગે છે, પરંતુ મહારાષ્ટ્રના તમામ રાજકીય પક્ષોએ એક યા બીજા સમયે પોતાનું સ્ટેન્ડ બદલ્યું છે. મેં મારા રાજકીય હિતો માટે ક્યારેય મારુ સ્ટેન્ડ બદલ્યું નથી.”
ED કેસને કારણે ભાજપને ટેકો આપવાના આરોપો પર સ્પષ્ટતા આપતા રાજ ઠાકરેએ કહ્યું, “હું શિવાજી મહારાજની શપથ લઉં છું કે મેં ધંધો કર્યો હતો. અમે કોહિનૂર મિલ માટે ટેન્ડર ભર્યું હતું. અમને ટેન્ડર મળ્યું, પરંતુ અમે કાનૂની ગૂંચવણોને કારણે તેમનાથી બહાર થઈ ગયા. રાજ ઠાકરેએ લોકસભા ચૂંટણીમાં NDA (મહારાષ્ટ્રમાં મહાયુતિ) ને ટેકો આપ્યો હતો, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં તેમણે પોતાના પક્ષના ૧૨૩ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. આ બધા ઉમેદવારોનો પરાજય થયો. તેમના પુત્ર અમિત ઠાકરે પણ મુંબઈની માહિમ બેઠક પરથી હારી ગયા. ચૂંટણી પરિણામો જાહેર થયા પછી, જ્યારે અન્ય વિપક્ષી પક્ષોએ હાર માટે ઈફસ્ ને દોષી ઠેરવ્યા, ત્યારે રાજ ઠાકરેએ મૌન જાળવી રાખ્યું હતું.