Last Updated on by Sampurna Samachar
અગ્નિ-૫ મિસાઈલે ઉડાન વચ્ચે ૯૦ ડિગ્રીનો શાર્પ ટર્ન લીધો
અગ્નિ-૫ એક ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતે અગ્નિ-૫ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું, આ મિશન દિવ્યસ્ત્ર નામ આપવામાં આવ્યું હતું. આ પરીક્ષણમાં અગ્નિ-૫ મિલાઈલે મલ્ટીપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ ટેકનોલોજીનું પ્રદર્શન કર્યું, જે તેને એકસાથે અનેક લક્ષ્યોને નિશાન બનાવવાની ક્ષમતા આપે છે. પરંતુ આ વખતે સૌથી વધુ ચર્ચામાં મિસાઈલનો ૯૦ ડિગ્રીનો શાર્પ ટર્ન છે, જે સામાન્ય બેલિસ્ટિક મિસાઇલો માટે અશક્ય માનવામાં આવે છે. આ પરાક્રમ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન તકનીકી શક્તિનું પ્રતીક છે.
અગ્નિ-૫ એક ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ છે. તે ભારતની સૌથી લાંબી રેન્જની મિસાઈલ છે, જેની રેન્જ ૫૦૦૦ થી ૮૦૦૦ કિલોમીટર છે. આ મિસાઈલ ત્રણ-તબક્કાની ઘન ઈંધણ પ્રણાલી દ્વારા સંચાલિત છે અને તે મેક ૨૪ (૨૯,૪૦૦ કિમી/કલાક)ની ઝડપે પહોંચી શકે છે.
DRDO એ સત્તાવાર રીતે ૪ વોરહેડ્સની પુષ્ટિ કરી
અગ્નિ-૫ મિસાઈલ ચીનના ઉત્તરીય ભાગો અને યુરોપના કેટલાક વિસ્તારોને પણ નિશાન બનાવી શકે છે. અગ્નિ-૫ને રોડ-મોબાઇલ અને કેનિસ્ટરાઇઝ્ડ બનાવવામાં આવ્યું છે, એટલે કે, તેને ટ્રક દ્વારા ગમે ત્યાં લઈ જઈ શકાય છે અને થોડીવારમાં લોન્ચ કરી શકાય છે. તેનું વજન ૫૦ ટન છે. તે ૧.૫-૨ ટન સુધીનો પેલોડ વહન કરી શકે છે.
સામાન્ય બેલિસ્ટિક મિસાઈલ એક નિશ્ચિત દિશા પર ચાલે છે, પરંતુ આ વખતે અગ્નિ-૫ મિસાઈલે મિડ ફેજમાં ૯૦ ડિગ્રીનો શાર્પ ટર્ન લીધો હતો, જે તકનીકી રીતે અસાધારણ છે. સામાન્ય મિસાઈલમાં આવા શાર્પ ટર્ન ય્-ફોર્સ (ગુરુત્વાકર્ષણ બળ) અને પ્રીસેશનને કારણે મિસાઈલ તૂટી જવાનો જર રહે છે, પરંતુ DRDO એ આ અશક્યને શક્ય કરી બતાવ્યું.
પ્રેશર ટેન્ક: આ સિસ્ટમ પ્રોપેલન્ટ લાઇનમાં દબાણ જાળવી રાખે છે અને ટેન્કોમાં નિયંત્રિત પ્રવાહ સુનિશ્ચિત કરે છે. આ મિસાઇલની ગતિ અને દિશાને ચોક્કસ રીતે નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
ઓક્સિડાઈઝર ટેન્ક : તે થ્રસ્ટ અને મેન્યુવરેબિલિટી પ્રદાન કરે છે, જેનાથી પોસ્ટ-બૂસ્ટ વાહન અથવા MIRV બસને વિવિધ દિશામાં વોરહેડ્સ તહેનાત કરવા માટે ફેરવી શકાય છે.
સ્વદેશી એવિઓનિક્સ અને સેન્સર્સ: અગ્નિ-૫ મિસાઈલમાં ફીટ કરાયેલા સટીક સેન્સર પેકેજ અને એવિઓનિક્સ સિસ્ટમ ખાતરી કરે છે કે વોરહેડ્સ ચોકસાઈ સાથે લક્ષ્ય સુધી પહોંચાડવામાં આવે છે.
ઓછું વજન : DRDO એ કંપોઝીટ મટીરિયલ અને ઈલેક્ટ્રો-મિકેનિકલ એક્ટ્યુએટર્સનો ઉપયોગ કરીને મિસાઈલનું વજન ૨૦ ટકા ઘટાડ્યું, જેનાથી તેની ગતિશીલતા અને રેન્જમાં વધારો થયો.
૧૧મી માર્ચ ૨૦૨૪ના રોજ અગ્નિ-૫નું પહેલું મલ્ટીપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ પરીક્ષણ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ટાપુ (ઓડિશા)થી કરવામાં આવ્યું હતું. MIRV ટેકનોલોજીનો અર્થ એ છે કે એક મિસાઇલ અનેક પરમાણુ હથિયારો વહન કરી શકે છે, જે વિવિધ લક્ષ્યોને નિશાન બનાવી શકે છે.
દરેક હથિયારનું વજન ૪૦૦ કિલોગ્રામ સુધી હોઈ શકે છે. મિશન દિવ્યસ્ત્રમાં અગ્નિ-૪ એ ૪ પરમાણુ હથિયારો વહન કરવાની ક્ષમતા દર્શાવી. આ ટેકનોલોજીથી ભારત એવા દેશો (અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ અને યુકે)ના જૂથમાં જાેડાય છે જેમની પાસે MIRV મિસાઇલો છે.
આ ટેકનોલોજી ભારતની ન્યુક્લિયર ડિયરન્સને વધુ મજબૂત બનાવે છે, ખાસ કરીને ચીન સામે, જેની પાસે પહેલાથી જ DF-5B જેવી MIRV મિસાઈલો છે.
અગ્નિ-૫ મિસાઈલની MIRV બસ ૪થી ૫ વોરહેડ્સ વહન કરી શકે છે, જે તેના કદ અને વ્યાસ પરથી અંદાજવામાં આવે છે. કેટલાક નિષ્ણાતો માને છે કે તે ૧૦-૧૨ વોરહેડ્સ વહન કરી શકે છે, પરંતુ DRDO એ સત્તાવાર રીતે ૪ વોરહેડ્સની પુષ્ટિ કરી છે.