Last Updated on by Sampurna Samachar
‘હું જીવિત છું અથવા મારા છેલ્લા શ્વાસ સુધી, પાર્ટીમાં મારો કોઈ ઉત્તરાધિકારી નહીં હોય’
માયાવતીએ મળેલી બેઠકમાં બધુ કર્યુ સ્પષ્ટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક પદ પરથી હટાવી દીધા હોવાની માહિતી મળી છે. માયાવતીએ આનંદ કુમારને રાષ્ટ્રીય સંયોજક બનાવ્યા છે. માયાવતી (MAYAVATI) એ રાજ્યસભા સાંસદ રામજી ગૌતમની જવાબદારી વધારી દીધી અને હવે તેઓ રાષ્ટ્રીય સંયોજક પણ બનશે.
તાજેતરમાં જ માયાવતીએ આકાશ આનંદના સસરા અશોક સિદ્ધાર્થને દૂર કર્યા હતા. બસપાના વડાએ એક બેઠક દરમિયાન પોતાના ઉત્તરાધિકાર અંગેની સ્થિતિ સ્પષ્ટ કરી અને કહ્યું કે મારા છેલ્લા શ્વાસ સુધી કોઈ ઉત્તરાધિકારી નહીં હોય.
માયાવતીના નિર્ણયનો પાર્ટીના લોકોએ કર્યો સ્વીકાર
માયાવતીએ એમ પણ કહ્યું છે કે હવે તેમના ભાઈ આનંદના બાળકો રાજકારણ સાથે સંકળાયેલા પરિવારમાં લગ્ન નહીં કરે. બસપા દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં માયાવતીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે; “માત્ર આ જ નહીં, પરંતુ મેં પોતે પણ હવે નક્કી કર્યું છે કે જ્યાં સુધી હું જીવિત છું અથવા મારા છેલ્લા શ્વાસ સુધી, પાર્ટીમાં મારો કોઈ ઉત્તરાધિકારી નહીં હોય.” આ ર્નિણયનું પાર્ટીના લોકોએ હૃદયપૂર્વક સ્વાગત કર્યું.
પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું હતું કે બસપા વડાએ આજે ફરી એકવાર પોતાના નિવેદનનું પુનરાવર્તન કર્યું છે કે મારા માટે પાર્ટી અને આંદોલન પહેલા આવે છે. ભાઈઓ, બહેનો, તેમના બાળકો અને અન્ય સગાંઓ વગેરે બધા પછી આવે છે. આ સંદર્ભમાં, તેમણે પાર્ટીના લોકોને ખાતરી પણ આપી છે કે જ્યાં સુધી હું જીવિત છું, ત્યાં સુધી હું મારા છેલ્લા શ્વાસ સુધી મારી સંપૂર્ણ પ્રામાણિકતા અને સમર્પણ સાથે પાર્ટીને આગળ વધારવા માટે શક્ય તમામ પ્રયાસો કરીશ.
ગયા વર્ષે મે મહિનામાં માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને તેમના અનુગામી પદ પરથી દૂર કર્યા હતા. ડિસેમ્બર ૨૦૨૩ માં, બસપા સુપ્રીમોએ તેમને તેમના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા હતા. લોકસભા ચૂંટણી વચ્ચે માયાવતીએ પોતાનો ર્નિણય પાછો ખેંચી લીધો. તેમણે કહ્યું કે આકાશ આનંદને સંપૂર્ણ પરિપક્વતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બંને મહત્વપૂર્ણ જવાબદારીઓથી દૂર રાખવામાં આવશે.