Last Updated on by Sampurna Samachar
અબ્દુલ્લાએ રોપ-વે પ્રોજેક્ટ સામે કટરાના લોકોના વિરોધને સમર્થન આપ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ (JKNC )ના વડા ફારૂક અબ્દુલ્લાએ માતા શેરા વાલીને સમર્પિત ભજન ગાઈને લોકોને ચોંકાવી દીધા હતા. તેમના ભજનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અબ્દુલ્લાએ કટરામાં રોપ-વેના નિર્માણના મુદ્દા પર પણ વાત કરી અને કહ્યું કે માતા વૈષ્ણોદેવી મંદિરના સંચાલન માટે જવાબદાર લોકોએ આવા કામ કરવાનું ટાળવું જોઈએ જેનાથી લોકોને મુશ્કેલી થાય. કટરાના એક આશ્રમમાં ભજન કાર્યક્રમમાં ગાયક અને બાળકો સાથે જોડાતા અબ્દુલ્લાએ ગાયું, તુને મુજે બુલાયા શેરાવલિયે, મૈ આયા મૈ આયા શેરાવલિયે.
ફારુકના આ ભજનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પ્રસંગે બોલતા અબ્દુલ્લાએ રોપ-વે પ્રોજેક્ટ સામે કટરાના લોકોના વિરોધને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે, મંદિર ચલાવનારાઓએ એવું કોઈ કામ ન કરવું જોઈએ જે સ્થાનિક લોકોના હિતોને નુકસાન પહોંચાડે અથવા તેમના માટે સમસ્યા ઊભી કરે.
ફારુક અબ્દુલ્લાએ શહેરના હિતોને ધ્યાનમાં લીધા વિના રોપ-વે બાંધવા બદલ બોર્ડની ટીકા કરી હતી. તેમણે કહ્યું, તમે હિંમત બતાવી અને આને રોકવા માટે બહાદુરીથી લડ્યા. તેઓ સમજી ગયા છે કે સત્તા લોકોની છે, સરકારની નહી.
અબ્દુલ્લાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, લોકો પાસે સરકાર બનાવવા અથવા તોડવાની સત્તા છે અને હવે અધિકારીઓ તેમની પાસે રોપ-વે ક્યાં બાંધવો જોઈએ તે વિશે વાત કરવા માટે સંપર્ક કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ પહાડોમાં રહેતા લોકો માતાના આશીર્વાદથી અહીં રોજીરોટી કમાવવા માટે આવે છે, પરંતુ તેઓને ભૂલી ગયા છે. તેઓ વિચારે છે કે તેઓ જ સર્વસ્વ છે. તેઓ કંઈ નથી. જ્યારે ભગવાનની શક્તિ પ્રવર્તે છે, ત્યારે તે થાય છે. કેલિફોર્નિયામાં શું થઈ રહ્યું છે તે જુઓ. અબ્દુલ્લાએ કહ્યું કે, તમામ ધર્મોની મૂળભૂત ઉપદેશો સમાન છે અને ઘણીવાર લોકો પોતાના સ્વાર્થ માટે ધર્મનો દુરુપયોગ કરે છે.