Last Updated on by Sampurna Samachar
જ્વેલર્સે ભ્રામક જાહેરાત આપીને ગ્રાહકોને બોલાવ્યા
સ્ટોક હશે ત્યાં સુધી આ જાહેરાતનો લાભ મળશે કર્યો ઉલ્લેખ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિવાળીના તહેવારોની સિઝન અને વૈશ્વિક બજારમાં ચાંદીના વધતા ભાવોને કારણે અમદાવાદ સહિત અનેક શહેરોમાં સોના-ચાંદીના ભાવ દિવસેને દિવસે ઉંચકાઈ રહ્યા છે, બીજી બાજુ સોના કરતા પણ ચાંદીની ડિમાન્ડમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે.
હાલમાં જ શહેરના એક જાણીતા જ્વેલર્સને પેપરમાં જાહેરાત કરવી ભારે પડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જ્વેલર્સની જાહેરાત બાદ દુકાને પહોંચેલા ગ્રાહકોને ચાંદી ન મળતા તેમણે હોબાળો મચાવ્યો હતો. જોકે, જ્વેલર્સે પેપરમાં આપેલી જાહેરાતમાં ઉલ્લેખ કર્યો હતો કે સ્ટોક હશે ત્યાં સુધી આ જાહેરાતનો લાભ મળશે.
અમદાવાદીઓ તહેવાર માણવામા મોંખરે
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, શહેરમાં ચાંદીની વધતી માંગ વચ્ચે એક અગ્રણી જ્વેલર્સ દ્વારા અખબારમાં જાહેરાત આપવામાં આવી હતી કે ચાંદી પ્રતિ ગ્રામ ૧.૬૩ લાખ (પ્લસ ય્જી્)ના ભાવે ઉપલબ્ધ છે. આ જાહેરાત વાંચીને મોટી સંખ્યામાં ગ્રાહકો ચાંદીના બિસ્કિટ અથવા લગડી ખરીદવા માટે જ્વેલર્સના શોરૂમ પર પહોંચ્યા હતા.
જોકે, ગ્રાહકોને સ્ટોરમાં ચાંદીના બિસ્કિટ કે લગડી મળી ન હતી, જેના પગલે ગ્રાહકોમાં ભારે રોષ ફેલાયો હતો. તેમને લાગ્યું કે જ્વેલર્સે ભ્રામક જાહેરાત આપીને તેમને બોલાવ્યા છે. થોડી જ વારમાં મામલો ગરમાયો અને ગ્રાહકોએ જ્વેલર્સના શો-રૂમમાં ભારે હોબાળો મચાવ્યો.
વધતા હોબાળા અને અંકુશ બહાર જઈ રહેલી પરિસ્થિતિને જોતા, જ્વેલર્સ દ્વારા તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થિતિ સંભાળીને ગુસ્સે ભરાયેલા ગ્રાહકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાને પગલે બજારમાં ચાંદીની સપ્લાય અને ભાવને લઈને ફરી એકવાર ચર્ચા જાગી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ચાંદીના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે સ્ટોક જાળવવામાં વેપારીઓને પણ મુશ્કેલી પડી રહી છે. જોકે, જ્વેલર્સે પેપરમાં આપેલી જાહેરાતમાં ઉલ્લેખ કર્યો હતો કે સ્ટોક હશે ત્યાં સુધી આ જાહેરાતનો લાભ મળશે. જોકે, લોકોને ચાંદી ના મળતા હોબાળો મચાવ્યો હતો. જોકે બજારમાં ૧૦૦ જાતની મીઠાઈ મળે છે. જેથી ઘરેલુ કે કોરપોરેટ ક્ષેત્રે લોકોને મીઠાઈના વધુ વિકલ્પ મળતા થયા.
જોકે તે તમામ મીઠાઈમાં રો મટિરિયલનો ભાવ વધતા મીઠાઈના ભાવમાં ૫ થી ૧૦ ટકા ભાવ વધારો નોંધાયો છે. જ્યાં ૪૦૦ થી લઈ ૩ હજાર સુધીની મીઠાઈ મળે છે. તો ગિફ્ટ પેકમાં ૩૬૦ થી ૨૭૦૦ ના ગિફ્ટ પેકેટ મળી રહ્યા છે. જે તમામ માં ભાવ વધારો છે. આ એટલા માટે કહેવુ પડી રહ્યુ છે કેમ કે મોંધવારીએ માઝા મુકી છે. કાજુ હોય ઘી હોય.
ખાધતેલ હોય કે મીઠાઈ નું રો મટીરીયલ હોય. તમામમા ભાવ વધારો ઝીંકાયો છે. જે ભાવ વધારાની અસર દિવાળી પર પણ જોવા મળી છે. કેમ કે માલ સામાન ના ભાવમા વધારો થતા મીઠાઈના ભાવમાં વધારો ઝીંકાયો છે. અને તેમાં પણ ચાંદીના ભાવ વધતા કેટલાક મીઠાઈના વેપારીઓ દવારા કાજુ પિસ્તા રોલ. અંજીર રોલ. રજવાડી લાડુ અને ડ્રાયફ્રુટ કેક જેવી મીઠાઈ પરથી ચાંદીની વરખ જ કાઢી નાખી અને કાજુ નો ભૂકો નાખી મીઠાઈની નવો લુક આપ્યો.
તો સૌથી વધુ બજારમાં વેચાતી અને ડિમાન્ડ ધરાવતી કાજુ કતરી કે જેના પર ચાંદીની વરખ આવે તેમાં ૧૦૦ થી ૨૦૦ નો ભાવ વધારો જોવા મળ્યો. જેની ગ્રાહકો પર અસર પડી હોવાનું લોકો માની રહ્યા છે. તો ગ્રાહકે સારી જગ્યા પરથી જ ખરીદી કરવા લોકોને આગ્રહ કર્યો. તો તરફ ડોકટર દ્વારા પણ ચાંદીની વરખની મીઠાઈ ને લઈને પ્રશ્ન ઉભા કરી લોકોને સચેત રહેવા અપીલ કરી હતી. સાથે જ સાચી ચાંદીની વરખ કઈ હોય તે જાણવાનો ઉપાય પણ કહ્યો..
કહેવાય છે કે અમદાવાદીઓ તહેવાર માણવામા મોંખરે છે. તે પછી પરિસ્થીતી કેવી પણ કેમ ન હોય પણ ભાવ વધારો તમામ લોકોને અસર કરે અને તેના કારણે લોકો નુ બજેટ પણ ખોરવાય. અને તેમા પણ થોડા વર્ષ પહેલા કોરોના અને હવે મોંધવારીએ લોકોની કમર તોડી નાખી છે. જેના કારણે આ વખતે મીઠાઈની ખરીદીમા લોકોએ ક્યાંક કાપ મુક્યો છે.
અને તેમાં પણ ચાંદી મોંઘી થતા મીઠાઈ પરથી ચાંદીની વર ગાયબ થતા અને ચાંદીની વરખની મીઠાઈ નો ભાવ વધતા તહેવારની મીઠાસમા કાપ મુકાયા નુ પણ લોકોને લાગી રહ્યુ છે. જોકે ખરીદી કરવા વાળા મન મુકીને ખરીદી કરી રહ્યા છે. કેમ કે દિવાળી પર્વ છે જે વર્ષમાં એક વાર આવે જેની ઉજવણીમાં લોકો કોઈ પણ કચાસ રાખવા નથી માંગી રહ્યા. પણ આ વચ્ચે મિલાવટ વાળી ચાંદીની વરખ ન આવે તે પણ લોકોએ ધ્યાન રાખવું પડશે.