ઇઝરાયલની નેતન્યાહૂ સરકારે સૈનિકો સામે કરી કાર્યવાહી

Share this Article:

Last Updated on by Sampurna Samachar

૧૦૦૦ સૈનિકોની વાયુ સેનામાંથી હકાલપટ્ટીનો નિર્ણય

ઇઝરાયલની સેનામાં વિરોધનો સૂર ચિંતા ઉપજાવશે

(સંપૂર્ણ સમાચાર સેવા)

ઇઝરાયલની સેનામાં સામેલ ૧૦૦૦ એરફોર્સ રિઝર્વ સૈનિકોએ ગાઝા યુદ્ધ વિરૂદ્ધ બળવો કર્યો છે. પરંતુ આ બળવા સામે ઇઝરાયલની નેતન્યાહૂ સરકારે આકરો જવાબ આપતાં તેમની વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં વિરોધ કરનારા તમામ ૧૦૦૦ સૈનિકોની વાયુ સેનામાંથી હકાલપટ્ટી કરવાનો ર્નિણય લીધો છે. આ સૈનિકોએ ગાઝા સાથેના યુદ્ધનો વિરોધ કરતાં સરકારને એક પત્ર લખ્યો હતો કે, સરકાર આ યુદ્ધ રાજકીય ફાયદા માટે લડી રહી છે. તેમનો ઉદ્દેશ બંધકોને ઘરે પરત લાવવાનો નથી.

ઇઝરાયલની સેનાના વિરોધ મુદ્દે ઇઝરાયલના એક સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ‘સેનાની અંદર જ મતભેદો સ્વીકાર્ય નથી. આ એક એવો સમય છે, જ્યારે તમામ સૈનિકોએ સાથે મળીને લડવુ જોઈએ. સહકાર આપવાના બદલે સવાલો ઉઠાવી વિરોધ કરવો યોગ્ય નથી. આમ કરવાથી સૈનિકોનું મનોબળ તૂટી જાય છે.

કાર્યરત સૈનિકોએ રાજીનામું આપ્યું

નેતન્યાહૂ સરકારની આ કાર્યવાહી સામે ૧૦૦૦ સૈનિકોએ નિવેદન આપ્યું છે કે, ‘અમે પણ ર્નિણય લીધો છે, અમારામાંથી કોઈ પણ સૈનિક હવે સેનામાં સેવા આવવા માગતું નથી. ઇઝરાયલની સેનામાં સામેલ ૧૦૦૦ એરફોર્સ રિઝર્વ સૈનિકો અને રિટાયર જવાનોએ યુદ્ધનો વિરોધ કરતા પત્ર પર હસ્તાક્ષર કર્યા હતાં. તેમજ ફરજ પર કાર્યરત સૈનિકોએ રાજીનામું આપ્યું હતું.

આ પત્રમાં માંગ કરવામાં આવી હતી કે, હમાસમાં અમારા કેદ બંધકોને તુરંત પરત લાવવામાં આવે. તેની અવેજમાં ભલે યુદ્ધ સમાપ્ત કરવુ પડે.‘ગાઝા અને ઇઝરાયલ વચ્ચે સીઝફાયરના કરાર વચ્ચે ફરી પાછા હુમલાઓ થઈ રહ્યા છે. ઇઝરાયલ હમાસ પર દબાણ બનાવવા ગાઝા પટ્ટીના રસ્તાઓ બ્લોક કરી હુમલાઓ કરી રહ્યું છે. ઇઝરાયલ માને છે કે, ‘આ હુમલાઓથી હમાસ ઝૂકી જશે અને બંધકોને મુક્ત કરવા સમાધાન કરશે. એવામાં ઇઝરાયલની સેનામાં વિરોધનો સૂર તેમની ચિંતામાં વધારો કરે છે.‘

ઇઝરાયલની સેના દ્વારા હવે બેન્જામિન નેતન્યાહૂ સરકાર પર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. ઇઝરાયલી સેનાના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં હમાસમાં ૫૯ લોકો બંધક છે અને તેમાંથી લગભગ અડધા લોકો મૃત્યુ પામ્યા છે. ઇઝરાયલી નાકાબંધીને કારણે, છેલ્લા ઘણા અઠવાડિયાથી ગાઝા સુધી રાશન, દવા સહિત ઘણી આવશ્યક વસ્તુઓની પહોંચ મુશ્કેલ બની ગઈ છે. ઇઝરાયલ હાલમાં ગાઝાના મોટા ભાગ પર કબજાે ધરાવે છે અને ત્યાં એક નવો સુરક્ષા કોરિડોર પણ સ્થાપિત કર્યો છે. યુદ્ધ વિરુદ્ધ પત્ર લખનારા સૈનિકોએ યુદ્ધમાંથી ખસી જવાની વાત કરી નથી, પરંતુ તેમણે ચોક્કસ વિરોધ કર્યો છે.

પત્ર લખનારાઓમાંના એક ભૂતપૂર્વ સૈનિકે જણાવ્યું કે, ‘આપણે યુદ્ધ લડવાનું ચાલુ રાખીએ તે સંપૂર્ણપણે અતાર્કિક છે. આમ કરીને આપણે બંધકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છીએ. આ ઉપરાંત, આપણા સૈનિકો પણ જોખમમાં છે અને ગાઝાના નિર્દોષ લોકો પણ મૃત્યુ પામી રહ્યા છે. આ યુદ્ધનો કોઈ વિકલ્પ હોઈ શકે છે, જેનો આપણે વિચાર કરવો જોઈએ.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.