અમદાવાદમાં ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલનો પ્રારંભ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

૨૩ નવેમ્બર સુધી બુક ફેસ્ટિવલનું આયોજન

ભુપેન્દ્ર પટેલ દ્વારા ફૂડ ફેસ્ટિવલ ૨૦૨૫નું ઉદ્ઘાટન કરાયું

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ભવ્ય ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ ૨૦૨૫’ની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સંયૂક્ત રીતે ઉદ્ઘાટન કર્યું.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ફૂડ ફેસ્ટિવલ ૨૦૨૫નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, અને રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય બુક ફેસ્ટિવલનું આયોજન પણ કરવામાં આવ્યું છે, ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલના હસ્તે બુકફેર ખુલ્લો મૂકાયો છે અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન હાજર રહ્યાં છે, ૨૩ નવેમ્બર સુધી બુક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

નિ:શુલ્ક ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ચાર દિવસ ફૂડ ફેસ્ટિવલ ચાલશે અને રૂપિયા ચૂકવીને તેમાં પ્રવેશ મેળવી શકાશે તેવી વાત સામે આવી છે, ખાવા-પીવાના અલગ-અલગ સ્ટોલ પણ મૂકવામાં આવ્યા છે જેમાં કયુઆર સ્કોડ મારફતે પેમેન્ટ કરીને જમી શકાશે તેમજ ઓનલાઈન વેબસાઈટ બુક માય શો ઉપર ટિકિટ બુકિંગ કરાવી શકાશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂડ ફેસ્ટિવલના મેનુ અને પ્રોગ્રામની માહિતી માટે ઊઇ કોર્ડ જાહેર કર્યો છે જે સ્કેન કરવાથી ફૂડનું મેનું અને ભાવ મળી રહશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પુરી જગન્નાથ મંદિરનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્રપ્રધાન અને નિયર સહિતના મહાનુભાવો દ્વારા પણ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રિન્સિપાલને આ ૧૧-દિવસીય જ્ઞાનના મહાકુંભમાં જોડાવવા માટે ખાસ આહ્વાન કરવામાં આવ્યું છે. એક લાખથી વધુ સ્ક્વેર ફીટ વિસ્તારમાં ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-૨૦૨૫‘નું આયોજન થયું છે. આ ૧૧ દિવસ સુધી ચાલનારા અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-૨૦૨૫‘મા ૩૦૦થી વધુ ઇવેન્ટ્સ અને દરેક યુવા માટે એક મુખ્ય સ્ટેજ તૈયાર છે. આ ઉપરાત પ્રવેશ સંપૂર્ણ નિ:શુલ્ક છે અને કાર્યક્રમ સ્થળની પાસે આવેલા ગ્રાઉન્ડમાં નિ:શુલ્ક પાર્કિંગ સુવિધા પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

પરંતુ ગુજરાતનો સૌથી મોટો ક્લાસરૂમ છે, જ્યાં કોઈ દીવાલો નથી. ધોરણ ૧ થી ૧૨ અને કોલેજના વિદ્યાર્થીઓ નિ:શુલ્ક નોંધણી કરાવીને આ ફેસ્ટિવલને તેમની વાર્ષિક શૈક્ષણિક યાત્રા બનાવી શકે છે. આ બુક ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ માટે ઝોન-વાઇઝ તકો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઝોન ૧ – ચિલ્ડ્રન્સ કોર્નર , જેમાં સવારના સ્લોટ્સ (સવારે ૯ થી ૧૨.૩૦) શાળા જૂથો માટે ખાસ તૈયાર કરાયેલા છે, જેમાં સ્ટોરી ટેલિંગ, પપેટ થિયેટર, મંડલા આર્ટ, બેસ્ટ-આઉટ-ઓફ-વેસ્ટ અને ડાન્સ-ડ્રામા જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

ઝોન ૨ – જ્ઞાન ગંગા, જેમા રોજિંદા લેખન અને ડિઝાઇન સ્ટુડિયો (સવારે ૧૦ થી સાંજે ૫) ગઝલ, કવિતા, ડ્રામા, ફિલ્મ-સ્ક્રિપ્ટ, નિબંધ, બાયોગ્રાફી વર્કશોપ્સ, હેન્ડ્સ-ઓન પ્રવૃત્તિઓ જેમ કે ફેબ્રિક પપેટ, ઝાઈન મેકિંગ, ટેરાકોટા હોર્સ, માતા-ની-પચ્છેડી, ઓઈલ પેઈન્ટિંગ, મેટલ એમ્બોસિંગનો સમાવેશ થાય છે. જ્યારે ઝોન ૩ –સ્કૂલ બોર્ડ શતાબ્દી મહોત્સવ પેવેલિયનમાં ઇન્ટર-સ્કૂલ મેગા કોન્ટેસ્ટના સિટી લેવલના ફાઇનલ રાઉન્ડ (રોજ સવારે ૧૦ થી સાંજે ૭:૩૦) યોજાશે.

મુખ્ય આકર્ષણો અને ઇન્ટર-સ્કૂલ મેગા કોન્ટેસ્ટ્સની વાત કરીએ તો, ૧૩ અને ૧૪ નવેમ્બર ક્વિઝ, ૧૫ નવેમ્બર વાર્તાકથન , ૧૬ નવેમ્બર ફેન્સી ડ્રેસ, ૧૭ નવેમ્બર કિડ્સ પેનલ ડિસ્કશન, ૧૮ નવેમ્બર ઇન્ટર-સ્કૂલ કોન્ટેસ્ટ, ૧૯ નવેમ્બર ઇમ્પ્રમ્પ્ટુ સ્પીચ, ૨૦ નવેમ્બર બુક રીડિંગ કોન્ટેસ્ટ તેમજ ૨૧ નવેમ્બર મસ્તી કી પાઠશાલા મુખ્ય આકર્ષણો રહેશે.

આ ઉપરાંત વિજેતાઓને ઈનામો અને ટ્રોફી એનાયત કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ફેસ્ટિવલમાં નિ:શુલ્ક ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રોજ સાંજે ૫.૩૦ થી ૭.૩૦ દરમિયાન અંદાજિત ૪ થી ૭ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મોનું પ્રદર્શન થશે.

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ ૨૦૨૫ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેના દરરોજ સાંજે ૫.૩૦ વાગ્યાથી સાંસ્કૃતિક કાર્યક્રમોનો મહાકુંભનો પ્રારંભ થશે. કિર્તીદાન ગઢવીનું લોક ઓર્કેસ્ટ્રા, અંકિત ત્રિવેદી સાથે ગુજરાતી કાવ્ય-સંગીત, સંદીપ ક્રિશ્ચિયન ઓર્કેસ્ટ્રા સાથે હિન્દી ફિલ્મ ગીતો પર કાવ્યાત્મક સંગીત પ્રદર્શન, કવિઓ સાથે ગ્રાન્ડ મુશાયરો, તેમજ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) કેજેએસ ઢીલોન અને આઈપીએસ (નિવૃત્ત) કે વિજયકુમાર સાથે શૌર્ય સંવાદ થશે.

આ ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓને જાણીતા આચાર્ય પ્રશાંત, ગુરચરણ દાસ, નિતિન સેઠી, કુલપ્રીત યાદવ જેવા મહાનુભાવોને મળવાનો અવસર મળશે. એઆઈ, ક્રાઇમ જર્નાલિઝમ, ગાંધી-મંડેલા લેગસી પર લાઇવ સેશન યોજાશે. આ ઉપરાંત પ્રકાશકો સાથે સ્થળ પર જ ઇન્ટર્નશિપ અને કન્ટેન્ટ-રાઇટિંગની તકો મળશે.

આ કાર્યકમમાં કેવી રીતે જોડાવવા માટે

૦૧-તમારી સમગ્ર શાળા/કોલેજ માટે એક જ ફોર્મ ભરો.

૦૨-તમારી અનુકૂળ તારીખ અને ઝોન પસંદ કરો.

૦૩-કન્ફર્મ થયેલ બસ-પાર્કિંગ સ્લોટ અને શિક્ષક પાસ રિટર્ન મેઇલ દ્વારા મેળવો.

૦૪-યુનિફોર્મમાં આવેલા વિદ્યાર્થીઓ અને સાથ આપતા શિક્ષકો (૧.૧૫ના રેશિયોમાં) માટે પ્રવેશ નિ:શુલ્ક છે. કૃપા કરીને આઈડી કાર્ડ સાથે રાખો.

 

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.