Last Updated on by Sampurna Samachar
સરલા એવીએશન દ્વારા હવામાં ઉડતી ટેક્સીનું ટેસ્ટિંગ
હવે લોકોને ટ્રાફિક જામની સમસ્યાથી છુટકારો મળી શકશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતમાં પ્રથમ એર ટેક્સીનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે. દિવસે ને દિવસે વધતા ટ્રાફિક જામને કારણે હવે તો લોકો બહુ પરેશાન થઇ ગયા છે. ટેક્સી, કેબ કે રીક્ષા દરેક વાહન ટ્રાફિકની સમસ્યામાં ફસાયા જ છે. દરરોજ રોડ પર ચાલતા અઢળક વાહનો અને ટ્રાફિકને કારણે રસ્તાઓ પર થાકી ગયા છે. પરંતુ હવે હવામાં ઉડતી ટેક્સીના કારણે ટ્રાફિક જામની સમસ્યાથી છુટકારો મેળવી શકાશે.

મળતી માહિતી પ્રમાણે એરોસ્પેસ સ્ટાર્ટઅપ સરલા એ હવે આકાશ તરફ નજર કરી છે. હવામાં ઉડતી ટેક્સીના સપના સાથે કંપનીએ પોતાના પ્રથમ એર ટેક્સી પ્રોગ્રામની ગ્રાઉન્ડ ટેસ્ટીંગ શરૂ કરી. પહેલા તો ઉડાન એટલે માત્ર વિમાનો અને મોટા એરપોર્ટ્સની વાત હતી. પરંતુ જો બધુ યોજના મુજબ રહ્યું તો આવતા કેટલાક વર્ષોમાં તમે હવામાં ઉડીને ઓફિસ પણ જઈ શકશો.
એરક્રાફ્ટ સ્કેલ ટેસ્ટિંગ તરફનું એક મોટું અને નિર્ણાયક પગલું
બેંગલુરુ સ્થિત મેન્યુફેક્ચરિંગ સુવિધામાં શરૂ થયેલું આ પરીક્ષણ માત્ર કંપની માટે જ નહીં પરંતુ ભારતના ખાનગી એરોસ્પેસ ક્ષેત્ર માટે પણ એક ઐતિહાસિક માઈલસ્ટોન માનવામાં આવે છે. 2028 સુધી સ્થાનિક મુસાફરી માટે ઈલેક્ટ્રીક એર ટેક્સી લોન્ચ કરવાની યોજના સાથે સરલા એવીએશન હવે કોન્સેપ્ટ માંથી હકીકત તરફ ઝડપથી આગળ વધી રહી છે.
ગ્રાઉન્ડ ટેસ્ટીંગ શરૂ થતા એવિએશનનો એર ટેક્સી પ્રોગ્રામ તેના કોર વેલીડેશન ફેઝમાં પ્રવેશી ગયો છે. કંપનીના જણાવ્યા અનુસાર આ ફેઝ ડિજિટલ કોન્સેપ્ટ અને લેબ – સ્કેલ પ્રયોગોથી આગળ વધી વાસ્તવિક એરક્રાફ્ટ સ્કેલ ટેસ્ટિંગ તરફનું એક મોટું અને નિર્ણાયક પગલું છે. સરલા એવિએશનનું ફ્લેટશીપ પ્રોગ્રામ એક ૬ સીટર ઈલેક્ટ્રિક ટેક્સી છે. જેને બેંગલુરુ, મુંબઈ, દિલ્હી અને પુણે જેવા અત્યંત ભીડભડવાળા શહેરોમાં કમ્યુટ સમય ઘટાડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
ખાસ વાત એ છે કે 2024માં બેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે કેમ્પેગોંડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈલેક્ટ્રિક ટેક્સી શરૂ કરવા માટે ભાગીદારી કરી હતી. બંને સંસ્થાઓ વચ્ચે સસ્ટેનેબલ મોબિલિટી માટે એક સ્ટેટમેન્ટ ઓફ કોલેબોરેશન પર સહી કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને eVTOL એરક્રાફ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ગ્રાઉન્ડ ટેસ્ટિંગ ની શરૂઆત સાથે હવે આ સપનું વધુ સ્પષ્ટ અને મજબૂત સ્વરૂપે લેતું દેખાઈ રહ્યું છે. જે આવનારા સમયમાં ભારતના શહેરી પરિવહનની વ્યાખ્યા બદલી શકે છે.