Last Updated on by Sampurna Samachar
અચાનક ઈગ્લેન્ડ સીરિઝ છોડી ભારત પરત ફર્યા
ખેલાડીઓને ઇંગ્લેન્ડમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડમાં ૫ મેચની ટેસ્ટ સીરિઝ માટે તૈયારી કરી રહી છે. આ દરમિયાન એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર (GAUTAM GAMBHIR) ની માતાની તબિયત બગડતાં તેઓ ભારત પરત ફર્યા હતા. કેટલાક ટ્વિટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની માતાની તબિયત બગડતા તેમને ICU માં દાખલ કરવામાં આવ્યા.
મળતી માહિતી અનુસાર ગૌતમ ગંભીર ૭ જૂને ટીમ સાથે લંડન પહોંચ્યા હતા. ટીમ હાલમાં બેકેનહામમાં પ્રેક્ટિસ કરી રહી છે. આજથી અહીં એક ઇન્ટ્રા-સ્ક્વોડ પ્રેક્ટિસ મેચ રમવાની છે, પરંતુ તે પહેલાં તેણે ટીમ છોડીને ભારત પરત ફરવું પડ્યું હતું. જોકે, ૨૦ જૂનથી શરૂ થનારી ટેસ્ટ પહેલા તે ટીમ સાથે ઇંગ્લેન્ડમાં રહેશે.
ટેસ્ટ ૨૦ જૂનથી લીડ્સના હેડિંગ્લી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે
ગૌતમ ગંભીરની માતાનું નામ સીમા ગંભીર છે. તેમને હાર્ટ એટેક આવ્યો હતો. મળતી માહિતી મુજબ, તેમની તબિયત બગડતાં તેઓને ICU માં દાખલ કરાયા હતા , પરંતુ સારી વાત એ છે કે તેઓ ખતરાની બહાર છે. હવે પ્રાપ્ત માહિતી મુજબ, ગંભીર ૧૭ જૂને ઇંગ્લેન્ડ પરત ફરશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ ૨૦ જૂનથી લીડ્સના હેડિંગ્લી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે.
ગંભીરનો પરિવાર દિલ્હીમાં રહે છે, તેમના પિતાનું નામ દીપક ગંભીર છે. તેમનો ટેક્સટાઇલ્સનો વ્યવસાય છે. તેમની માતા સીમા ગંભીર ગૃહિણી છે. ગંભીરની એક નાની બહેન છે, જેનું નામ એકતા છે. ઓક્ટોબર ૨૦૨૧માં ગંભીરે નતાશા જૈન સાથે લગ્ન કર્યા. તેમને બે પુત્રીઓ છે. ગૌતમ ગંભીર જાણે છે કે આ યુવા ખેલાડીઓને ઇંગ્લેન્ડમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, પરંતુ તે એ પણ જાણે છે કે જ્યારે કોઈ ખેલાડી પોતાને મોટો બનાવે છે. ત્યારે આ તકો છે.
પ્રેક્ટિસ દરમિયાન યુવા ખેલાડીઓને પ્રેરણા આપતા તેમણે કહ્યું કે અલબત્ત અમે ૩ સૌથી અનુભવી ખેલાડીઓ (વિરાટ, રોહિત અને અશ્વિન) વિના રમી રહ્યા છીએ. પરંતુ આ તમારા માટે દેશ માટે કંઈક ખાસ કરવાની તક છે. ભારતીય ક્રિકેટ ટીમે ૧૮ વર્ષથી ઇંગ્લેન્ડમાં કોઈ ટેસ્ટ શ્રેણી જીતી નથી. આ દરમિયાન એમએસ ધોની અને વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ટીમે ઇંગ્લેન્ડમાં ૨-૨ ટેસ્ટ શ્રેણી રમી જેમાંથી ૩ હારનો સામનો કરવો પડ્યો અને ૧ ડ્રો રહી હતી.