Last Updated on by Sampurna Samachar
અટલ બિહારી વાજપેયીએ પોતાનું જીવન એક મજબૂત, સમૃદ્ધ અને આર્ત્મનિભર ભારતના નિર્માણ માટે સમર્પિત કર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન મોદીએ દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીને તેમની ૧૦૦મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. આ અવસર પર, PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં કહ્યું હતું કે તેમનું વિઝન અને મિશન વિકસિત ભારતના સંકલ્પને બળ આપવાનું ચાલુ રાખશે.”

દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ૧૦૦મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ, દિલ્હી સ્થિત અટલ બિહારી વાજપેયીના સમાધિસ્થળે જઈને શ્રદ્ધાંજલી અર્પી હતી. જયારે PM મોદી રાજઘાટ પર અટલ મેમોરિયલ પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન તેમણે મોદીએ કહ્યું કે અટલ બિહારી વાજપેયીએ પોતાનું જીવન એક મજબૂત, સમૃદ્ધ અને આર્ત્મનિભર ભારતના નિર્માણ માટે સમર્પિત કર્યું.
આ અવસર પર વડાપ્રધાન મોદીએ નમો એપ પર એક લેખ પણ શેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે પૂર્વ વડાપ્રધાને જે રીતે બંધારણીય મૂલ્યોનું જતન કરીને દેશને એક નવી દિશા અને ગતિ આપી છે, તેની અસર હંમેશા ‘અચળ’ રહેશે. તેમણે કહ્યું, “તેમનુ ભરપુર સાનિધ્ય અને આશીર્વાદ મળ્યાં એ મારું સૌભાગ્ય છે.” વધુમાં મોદીએ રાજકીય અસ્થિરતાના સમયમાં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યું કે ૨૧મી સદીને ભારતની સદી બનાવવા માટે તેમની એનડીએ સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓએ દેશને નવી દિશા અને નવી ગતિ આપી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે પણ અટલ મેમોરિયલ જઈને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ૧૦૦મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ અટલ મેમોરિયલ ગયા હતા અને વાજપેયીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ NDA ના સંયોજક અને આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડૂએ પણ રાજઘાટ સ્થિત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સમાધિ સ્થળે જઈને વાજપેયીની ૧૦૦મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલી અર્પી હતી.