Last Updated on by Sampurna Samachar
શ્રીલંકન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને લખ્યો પત્ર
પાકિસ્તાને ભારત સામે નહીં રમવાની વાત પર પિન ચોંટાડી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોલંબોમાં ભારત-પાકિસ્તાન T20 વર્લ્ડ કપ મેચ યોજવાની શક્યતાઓ ધૂંધળી બની રહી છે. શ્રીલંકન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને પત્ર લખીને નાણાકીય નુકસાનનો ઉલ્લેખ કર્યો હતો. જોકે, હજુ પણ પાકિસ્તાને ભારત સામે નહીં રમવાની વાત પર પિન ચોંટાડી રાખી હોવાની વાત સામે આવી રહી છે.

શ્રીલંકન ક્રિકેટ બોર્ડના છેલ્લા પ્રયાસો છતાં, કોલંબોમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન T20 વર્લ્ડ કપ મેચ યોજવાની શક્યતાઓ ધૂંધળી દેખાઈ રહી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર, ર્નિણય લેનારાઓ ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાના પોતાના વલણને બદલવાના મૂડમાં નથી. શ્રીલંકન ક્રિકેટ બોર્ડે PCB ને પત્ર લખીને તેમના ર્નિણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી. પત્રમાં સંભવિત નાણાકીય નુકસાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાનની ભાગીદારી ન થવાથી નુકસાન થઇ શકે
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી કોઈ સકારાત્મક પ્રતિભાવ મળ્યો નથી, કારણ કે તેમના હાથ બંધાયેલા છે. PCB ના સૂત્રોએ જણાવ્યું હતું કે, “હા, અમને પત્ર મળ્યો છે, પરંતુ અમે સરકારના ર્નિણયને ઉલટાવી શકતા નથી. તે સંપૂર્ણપણે સરકારનો ર્નિણય છે.” ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો માને છે કે પાકિસ્તાન સરકાર ટૂંક સમયમાં પોતાનો ર્નિણય ઉલટાવી શકે છે.
વર્લ્ડ કપ શરૂ થવામાં ફક્ત ૨૪ કલાક બાકી છે, છતાં હજુ સુધી કોઈ સકારાત્મક સંકેતો મળ્યા નથી. આ સૂચવે છે કે ઇતિહાસમાં પહેલીવાર, ICC ટુર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાન મેચ રદ થઈ શકે છે. PCB ને લખેલા પત્રમાં, શ્રીલંકા ક્રિકેટે ભારત-પાકિસ્તાન મેચનું આયોજન કરવા માટે ઉત્સુકતા વ્યક્ત કરી હતી. જેમાં જણાવવામાં હતું કે મેચ માટે વ્યવસાયિક, સંચાલન, લોજિસ્ટિકલ અને સુરક્ષા વ્યવસ્થા પૂર્ણ થઈ ગઈ છે, જેમાં હોસ્પિટાલિટી પ્લાનિંગ અને ટિકિટ વેચાણનો સમાવેશ થાય છે. શ્રીલંકા ક્રિકેટે પણ મજબૂત ટિકિટ માંગ અને નોંધપાત્ર વાણિજ્યિક નફાની આશા વ્યક્ત કરી હતી.
શ્રીલંકાએ PCB ને ચેતવણી આપી હતી કે પાકિસ્તાનની ભાગીદારી ન થવાથી નોંધપાત્ર નાણાકીય નુકસાન થઈ શકે છે, જેમાં અપેક્ષિત પ્રવાસન આવકનું નુકસાન અને વ્યાપક આર્થિક અસરનો સમાવેશ થાય છે. પાકિસ્તાનના બહિષ્કારની અટકળો વચ્ચે, કોલંબોમાં તેની અસર પહેલાથી જ અનુભવાઈ ચૂકી છે, ઘણી હોટલ બુકિંગ રદ કર