Last Updated on by Sampurna Samachar
બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મામલે વિવિધ ચર્ચા થઈ
નાગરિકો અને વેપારીઓ સરળતાથી કરી શકશે વેપાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને મોરિશિયસ ટૂંક સમયમાં લોકલ કરન્સી (સ્થાનિક ચલણ) માં વેપાર કરી શકશે. બંને દેશો વચ્ચે આર્થિક અને નાણાકીય સંબંધોને વધુ ગાઢ બનાવતા આ પગલું લેવામાં આવ્યું હોવાનું વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે.
વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરિશિયસના વડાપ્રધાન ડો. નવીનચંદ્ર રામગુલામ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક કરી હતી. જેમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મામલે વિવિધ ચર્ચા થઈ હતી. બંને દેશોએ પોતાના સ્થાનિક ચલણમાં વેપારને મંજૂરી આપવા સહમતિ દર્શાવી હતી. બંને દેશોના વડાએ ચાગોસ કરાર સંપન્ન થવા પર શુભકામના પાઠવી હતી.
બંને દેશો વચ્ચે એનર્જી ટ્રાન્ઝિશન પાર્ટનરશીપ
મોરિશિયસ વડાપ્રધાન નવિનચંદ્ર રામગુલામ ભારતની મુલાકાતે છે. વારાણસીમાં તેમનું ભવ્ય સ્વાગત થયુ હતું. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ગતવર્ષે મોરિશિયસમાં યુપીઆઈ અને રૂપે કાર્ડ સર્વિસ શરૂ કર્યા બાદ આ ર્નિણય લેવામાં આવ્યો છે. હવે બંને દેશોના નાગરિકો અને વેપારીઓ સરળતાથી સ્થાનિક ચલણમાં જ ટ્રાન્ઝેક્શન કરી શકશે.
વડાપ્રધાન મોદીએ ખાસ આર્થિક પેકેજ રજૂ કર્યું છે. આ પેકેજ હેઠળ ૫૦૦ બેડની સર સીવુસગુર રામગુલમ નેશનલ હોસ્પિટલ, વેટરનિટી સ્કૂલ અને એનિમલ હોસ્પિટલ અને આયુષ સેન્ટર ઓફ એક્સેલન્સ સહિતના પ્રોજેક્ટમાં ફંડ ફાળવશે. જે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવાની સાથે રોજગારીની તકોનું સર્જન કરશે. જે હેલ્થકેર સુવિધામાં સુધારો કરશે.
બંને દેશો વચ્ચે એનર્જી ટ્રાન્ઝિશન પાર્ટનરશીપ પણ છે. ભારત મોરિશિયસને ૧૦૦ ઈલેક્ટ્રિક બસ ફાળવવાનું છે. જેમાંથી ૧૦ બસનો સપ્લાય થઈ ચૂક્યો છે. વડાપ્રધાન મોદીએ ટમરિન્ડ ફોલ્સ ખાતે ૧૭.૫ મેગાવોટ ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવા આર્થિક સહાય આપવાની ખાતરી પણ આપી છે.