Last Updated on by Sampurna Samachar
શિક્ષણમંત્રીએ કહ્યુ કે શિક્ષક સામે થશે કાર્યવાહી
રાજસ્થાનના શિક્ષકોમાં રાજ્યમંત્રીની જાહેરાતથી ફફડાટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાનના શિક્ષણમંત્રી મદન દિલાવરે શાળામાં નાપાસ થતા વિદ્યાર્થીઓ અંગે મહત્ત્વની જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, હવે રાજ્યની સરકારી શાળામાં વિદ્યાર્થી ફેલ થશે તો તેની જવાબદારી શિક્ષકની રહેશે અને તેમની સામે કાર્યવાહી પણ કરાશે. શિક્ષણમંત્રીની આ જાહેરાતથી રાજ્યના શિક્ષણજગતમાં ખળભળાટ મચી ગયો છે.
શિક્ષણમંત્રીએ મીડિયા સમક્ષ વાત કરતા કહ્યું કે, જો સરકારી શાળાઓના વિદ્યાર્થીઓના પરિણામ સારા નહીં આવે તો શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને લેખીત પરીક્ષામાં ઓછામાં ઓછા ૫૦ ટકા આવવા જોઈએ. વિદ્યાર્થીઓ ૮૦ માંથી ૪૦ નંબર લાવશે અને તેઓ પાસ પણ થઈ જશે, પરંતુ તેમના શિક્ષણને ફેલ કરી દેવાશે.’
શિક્ષણનો રેશિયો સુધારવા પ્રયાસ
તેમણે કહ્યું કે, ‘આ ર્નિણયના કારણે વિદ્યાર્થીઓના ભણતર પર સકારાત્મક પ્રભાર પડશે અને પરીક્ષાના પરિણામ પર પણ અસર જોવા મળશે. જો આમ નહીં થાય તો શિક્ષકની જવાબદારી નક્કી કરવામાં આવશે. અમે શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે આવુ કરી રહ્યા છીએ. શિક્ષણનું સ્તર સુધારવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે.’