ડિસાના લોકો સાથે મને વિશેષ લગાવ : મોદી

Share this Article:

Last Updated on by Sampurna Samachar

વાવથરાદમાં PM મોદીનું સંબોધન, રૂ. ૧૯,૮૦૦ કરોડના વિકાસકાર્યોની ભેટ

લાંબા સમય સુધી ડીસા એરબેઝની ફાઈલ દબાઈ ગઈ હતી, તે મેં ખોલી કરાવી અને  ક્ષેત્રના વિકાસથી ડીસાનો વિકાસ થયો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)​

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ૩૧મી માર્ચે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેઓએ ગાંધીનગરના કોબામાં જૈનહેરિટેઝ મ્યુઝિયમ અને સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ હાલ તેઓ ગુજરાતના નવરચિતજિલ્લા વાવથરાદની મુલાકાતે પહોંચ્યા . વડાપ્રધાન મોદીને સાંભળવા મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જામ્યોછે. ત્યારે  મોદીએ રૂ. ૧૯,૮૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણખાતમુહૂર્ત કર્યું છે.

PM મોદીએ કહ્યું કે, થોડા દિવસ પહેલા ચૈત્રી નવરાત્રિ પૂર્ણ થઈ, જેથી મા અંબાની કૃપાથી અહીં આવવાનોમોકો મળ્યો અને આજે પવિત્ર મહાવીર કલ્યાણક દિવસની શુભકામના. પહેલીવાર મારું વિમાન સીધું ડીસા એરબેઝ પર લેન્ડ થયું ગર્વની વાત છે. એરપોર્ટ આંતરરાષ્ટ્રીય સરહદથી ૧૩૦ કિમી દૂર છે, જે દેશનીસુરક્ષા માટે મહત્ત્વનો ભાગ ભજવે છે.

દિલ્હીમાં રાજ કરનારાઓને ગુજરાતીઓ સાથે નફરત હતી

ડીસામાં એરબેઝ હોવું જરૂરી હતું પરંતુ, તે સમયે દિલ્હીમાં રાજ કરનારાઓને ગુજરાતીઓ સાથે નફરત હતી, જેથી લાંબા સમય સુધી ડીસા એરબેઝની ફાઈલ દબાઈ ગઈ હતી. તે મેં ખોલી કરાવી અને આજે ક્ષેત્રના વિકાસથી ડીસાનો વિકાસ થયો છે.

વધુમાં તેઓએ ઉમેર્યું કે, વિસ્તારમાં એક સમયે પાણીની અછતને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાતી હતી. માબહેનદીકરીઓને કિમી દૂર જઈને પાણી લેવા જવું પડતું હતું, પરંતુ અમે નર્મદાનું પાણી ગામ ગામ સુધીપહોંચ્યું. જેના કારણે ખેડૂતોનો વિકાસ થયો છે, જેથી ડીસાના બટેટા દેશમાં વખણાય છે.

અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે કોરિડોર ક્ષેત્રને સમર્પિત છે. વિકાસથી ઉદ્યોગ અને રોકાણ વધ્યું, રોજગારી વધી છે. હિંમતનગરખેડબ્રહ્મા ગેસ કન્વર્ઝન અને આજે હિંમતનગરઅસરવા ટ્રેન સેવા શરૂ થઈ બધો વિકાસ ૨૦૧૪બાદ ડબલ એન્જીનની સરકારે કરી છે.

નોંધનીય છે કે, વાવથરાદમાં PM મોદીએ કેન્દ્ર સરકારના ઊર્જા, માર્ગ પરિવહન અને હાઈવે તેમજરેલવેના વિકાસ કાર્યોની ભેટ આપી, વડાપ્રધાન આવાસ યોજનાના ૩૪ જિલ્લાઓમાં ૩૮,૯૪૯ મકાનોમાંલાભાર્થીઓનો ગૃહપ્રવેશ કરાવ્યો છે.

પ્રવાસન, પરિવાર કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગના રૂ.,૮૮૬નાકાર્યોની ભેટ આપી વડાપ્રધાન મોદીએ વાવથરાદમાં બે બાયોગેસ સ્ટેશનનું લોકાર્પણ પણ કર્યું છે. ભીલડીમાં રૂ.૩૭૫ કરોડના ખર્ચે ૧૨૫ એકરમાં ફેલાયેલા પશુ સંવર્ધન કેન્દ્રનું લોકાર્પણ કર્યું છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.