Last Updated on by Sampurna Samachar
૫૦ વર્ષના પતિને ૨૮ વર્ષની પત્ની રાધિકાએ મોતને ઘાટ ઉતાર્યો
વટપૂર્ણિમાનો દિવસ પતિ માટે છેલ્લો દિવસ બન્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાતો જન્મે એ જ પતિ મળે, એ માટે દરેક સ્ત્રી વટપૂર્ણિમાના દિવસે વડના ઝાડની પરિક્રમા કરી ભગવાનને પ્રાર્થના કરે છે. પરંતુ એક પત્નીએ વટપૂર્ણિમાના દિવસે જ પહેલા જન્મમાં પતિ નથી જોઈતો એવું નક્કી કરી તેનો જીવ લઈ લીધો. સાંગલીના કુપવાડમાં એકતા કોલોનીમાં રહેતા ૫૦ વર્ષના અનિલ લોખંડેને તેની ૨૮ વર્ષની પત્ની રાધિકાએ માથામાં કુહાડીનો ઘા મારી હત્યા કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અનિલ લોખંડેનું રાધિકા સાથે આ બીજું લગ્ન હતું. તેમની પહેલી પત્નીનું કેન્સરથી મૃત્યુ થયું હતું. અનિલને પહેલી પત્નીથી બે દીકરીઓ હતી, જેમના લગ્ન પણ થઈ ગયા હતા.

એકલા જીવન જીવતા અનિલે આગળના જીવન માટે લગ્ન કરવાનો ર્નિણય લીધો. ૧૭ મે ૨૦૨૫ના રોજ સાતારા જિલ્લાના ખટાવની ૨૮ વર્ષની રાધિકા ઇંગળે સાથે તેમણે લગ્નની ગાંઠ બાંધી. લગ્નના તમામ વિધિ પરંપરાગત રીતે પૂર્ણ થયા. લગ્નને ૧૭ દિવસ થયા હતા. ૧૦ જૂનના રોજ વટપૂર્ણિમા હોવાથી અનિલે પત્ની રાધિકાને તેની માસીના ઘરે મૂકી. વટપૂર્ણિમાનો તહેવાર ઉજવાયા બાદ અનિલે રાત્રે પત્નીને ઘરે પાછી લાવી.
માથામાં કુહાડીનો ઘાતક ઘા માર્યો
રાત્રે ઘરે આવ્યા બાદ બંને વચ્ચે ઝઘડો થયો. ત્યારબાદ અનિલ ઊંઘી ગયો. પરંતુ પતિ પ્રત્યે રાધિકાના મનમાં ગુસ્સો હતો. તેણે અનિલને કાયમ માટે ખતમ કરવાનો ર્નિણય લીધો. ઊંઘેલી સ્થિતિમાં અનિલના માથામાં કુહાડીનો ઘાતક ઘા માર્યો, જેનાથી અનિલ લોખંડેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.
પતિની હત્યાના કેસમાં પત્ની રાધિકા વિરુદ્ધ કુપવાડ એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો છે અને રાધિકાની ધરપકડ પણ કરવામાં આવી છે. જે પતિ માટે સાતો જન્મના સંસારની પ્રાર્થના કરવામાં આવે છે, તે જ વટપૂર્ણિમાનો દિવસ અનિલ લોખંડેના જીવનનો છેલ્લો દિવસ બની ગયો.