Last Updated on by Sampurna Samachar
અમદાવાદની યુવતી પરિવાર સાથે ધર્મશાળા ફરવા ગઇ હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
હિમાચલ પ્રદેશમાં ફરવા ગયેલી ગુજરાતની યુવતીનુ પેરાગ્લાઇડીંગ દરમિયાન મોત નિપજ્યાના સમાચાર સામે આવ્યા છે. ધર્મશાળા ફરવા ગયેલી ૧૯ વર્ષીય ગુજરાતી યુવતી પેરાગ્લાઈડિંગ પાઈલટ બંને ટેક ઓફ પોઈન્ટ પરથી નીચે પડી ગયા હતા. ત્યારે આ અકસ્માતમાં યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું.
મળતી માહિતી મુજબ ગુજરાતના અમદાવાદની એક યુવતી ધર્મશાળામાં પ્રવાસે પહોંચી હતી. આ સમય દરમિયાન, ધર્મશાળાના ઈન્દ્રુ નાગમાં પેરાગ્લાઈડિંગ કરતી વખતે, પેરાગ્લાઈડિંગ પાઈલટ સાથે એક મહિલા ટેક ઓફ પોઈન્ટ પરથી પડી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.
જોકે, પેરાગ્લાઈડિંગ પાઈલટનો આબાદ બચાવ થયો છે. આ ઘટનામાં પેરાગ્લાઈડિંગ પાઈલટને સામાન્ય ઈજા થઈ છે. તે જ સમયે, ગંભીર રીતે ઘાયલ યુવતીને પ્રવાસીને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ તે પહેલા જ રસ્તામાં જ મોત નીપજ્યું હતું.
આ ઘટનામાં મૃતક યુવતી તેના પરિવાર સાથે ધર્મશાળા ફરવા આવી હતી. જે પ્રવાસીની ઓળખ અમદાવાદની ભાવસાર ખુશી તરીકે થઈ છે. જેની ઉંમર ૧૯ વર્ષ હોવાનું કહેવાય છે. યુવતી સહજાનંદ એવન્યુ, ટોરેન્ટ પાવર લિમિટેડ નારણપુરા, જિલ્લો અમદાવાદ, ગુજરાતની રહેવાસી હતી. આ ઘટનામાં પેરાગ્લાઈડિંગ પાઈલટ મુનીશ કુમાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા.
પાયલોટ ધર્મશાલાનો રહેવાસી હોવાનું કહેવાય છે. પાયલોટને ડો. રાજેન્દ્ર પ્રસાદ મેડિકલ કોલેજ, ટાંડામાં ખસેડવામાં આવ્યો છે.ધર્મશાલા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
ASP જિલ્લા કાંગડા વીર બહાદુરે જણાવ્યું કે ધર્મશાલામાં ઈન્દ્રુનાગ પેરાગ્લાઈડિંગ સાઈટ પર અકસ્માત થયો છે. જેમાં પેરાગ્લાઈડિંગ પાઈલટ અને એક યુવતી ટેક ઓફ કરતી વખતે અકસ્માતનો ભોગ બન્યા હતા અને બંને ખાઈમાં પડી ગયા હતા. આ અકસ્માતમાં ૧૯ વર્ષની યુવતીનું મોત થયું હતું. પાયલોટ સુરક્ષિત છે. પોલીસે ઘટનાસ્થળે જઈને તપાસ હાથ ધરી છે. અકસ્માતનું કારણ શું હતું? આ અંગે તપાસ કરવામાં આવશે. ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.