દેશવાસીઓને ભરોસો આપતાં રાજનાથ સિંહે કહ્યું

Share this Article:

Last Updated on by Sampurna Samachar

આપણા સશસ્ત્ર દળો કોઈપણ પડકારને પહોંચી વળવા સૂસજ્જ

પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે ગભરાવાની જરૂર નથી, સરકાર દરેક હિલચાલ પર નજર રાખી રહી છે  : રાજનાથ સિંહ

(સંપૂર્ણ સમાચાર સેવા)​

પશ્ચિમ એશિયામાં ઈરાન સાથે જોડાયેલા યુદ્ધના કારણે સર્જાયેલા વૈશ્વિક તણાવ વચ્ચે ભારતના સંરક્ષણ મંત્રીરાજનાથ સિંહે દેશની સુરક્ષાને લઈને અત્યંત કડક સંદેશ આપ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કેવર્તમાન સુરક્ષા સ્થિતિને જોતાં ભારતનો પડોશી દેશ કોઈપણ પ્રકારનું દુ:સાહસ કે ખોટી હરકત કરી શકે છે, પરંતુ જો  એવું થયું તો ભારતનો જવાબ અભૂતપૂર્વ અને નિર્ણાયક હશે.

રાજનાથ સિંહે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, દેશની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને આપણા સશસ્ત્ર દળો કોઈપણ પડકારને પહોંચી વળવામાટે સંપૂર્ણ રીતે સજ્જ છે. નિવેદન માત્ર પડોશી દેશો માટે ચેતવણી નથી, પરંતુ સંકેત પણ છે કે ભારત હવે દરેક ખતરાનો જડબાતોડ જવાબ આપવા તૈયાર છે.

જનતાનો વિશ્વાસપણ જાળવી રાખવા માંગે

દેશવાસીઓને ભરોસો આપતાં રાજનાથ સિંહે કહ્યું કે, આપણે આપણા નાગરિકોની રક્ષા માટે દરેક જરૂરીપગલાં લેવા સક્ષમ પણ છીએ અને તૈયાર પણ છીએ. સાથે તેમણે પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે લોકોને આશ્વાસન આપતાં કહ્યું કે, ગભરાવાની જરૂર નથી. સ્થિતિ ગંભીર ચોક્કસ છે પરંતુ સરકાર દરેક હિલચાલ પર ઝીણવટભરી નજર રાખી રહી છે. સરકાર કડક વલણ અપનાવવાની સાથે જનતાનો વિશ્વાસપણ જાળવી રાખવા માંગે છે.

 જો  કોઈ દુ:સાહસ કરશે તો ભારત વખતે તેને છોડશે નહીં. સેના દરેકપરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે અને કોઈપણ પ્રકારના ઉશ્કેરણીજનક પગલાંને સહન કરવામાં આવશેનહીં.

દરમિયાન દેશમાં ઊર્જા સંકટની ફેલાઈ રહેલી અફવાઓ પર પણ સંરક્ષણમંત્રીએ પૂર્ણવિરામ મૂક્યું છે. તેમણે ઊર્જા સંકટની આશંકાઓને ફગાવતાં કહ્યું કે, કેટલાક લોકો યુદ્ધના બહાને ખોટી માહિતી ફેલાવીને ડરનો માહોલ બનાવી રહ્યા છે, પરંતુ દેશમાં પેટ્રોલ, ડીઝલ કે રસોઈ ગેસની કોઈ અછત નથી.

તેમણે લોકોનેઅફવાઓથી દૂર રહેવા અપીલ કરી અને ખાતરી આપી કે જરૂરી સંસાધનોનો પુરવઠો સામાન્ય છે. વિદેશમાંરહેતા ભારતીયોની સુરક્ષા પણ સરકારની મોટી જવાબદારી છે અને તે માટે જરૂરી યોજનાઓ તૈયાર કરવામાંઆવી રહી છે.

અંતે પીએમ મોદીના નેતૃત્વનો ઉલ્લેખ કરતાં રાજનાથ સિંહે જણાવ્યું કે, સરકાર ઉચ્ચ સ્તરીય બેઠકો દ્વારાસતત સ્થિતિની સમીક્ષા કરી રહી છે. કોઈપણ કટોકટીમાં તાત્કાલિક કાર્યવાહી કરવા માટે વ્યૂહનીતિ તૈયાર છે. તેમણે દેશના હિતમાં સૌને રાજનીતિથી ઉપર ઉઠીને એકજૂથ રહેવા અપીલ કરી હતી. રાજનાથ સિંહનો સંદેશ સ્પષ્ટ છે કે ભારત હવે કોઈ પણ ખતરાને હળવાશથી લેશે નહીં અને દેશની સુરક્ષા સાથે કોઈ સમજૂતીકરવામાં આવશે નહીં.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.