ગેરેજ, વર્કશોપ અને સર્વિસ સ્ટેશનોએ વિગતવાર રેકોર્ડ જાળવવો પડશે

Share this Article:

Last Updated on by Sampurna Samachar

અમદાવાદ સિટી પોલીસ કમિશનરેટ દ્વારા કડક પગલાં લેવાયા

અમદાવાદમાં દિલ્હી વિસ્ફોટની ગહન અસર

(સંપૂર્ણ સમાચાર સેવા)

દિલ્હીના લાલ કિલ્લા નજીક તાજેતરમાં બનેલી કાર-બોમ્બ ઘટનાના પગલે અમદાવાદના પોલીસ કમિશનરે ગેરેજ માલિકોને વાહનોના રેકોર્ડ રાખવા અને કેમેરા લગાવવા માટે ફરજિયાત આદેશ જારી કર્યો છે. અમદાવાદ સિટી પોલીસ કમિશનરેટ દ્વારા તાજેતરમાં લેવાયેલા એક કડક પગલામાં શહેરના તમામ વર્કશોપ્સ, ગેરેજો અને સર્વિસ સ્ટેશનોના સઘન મોનિટરિંગ માટે એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે. આ ર્નિણય પર દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર-બોમ્બ વિસ્ફોટની ઘટનાની ગહન અસર જોવા મળી રહી છે.

૧૮ નવેમ્બરથી ૧૬ જાન્યુઆરી સુધી અમલમાં રહેનારા આ નિર્દેશ મુજબ તમામ ગેરેજોને વાહનો અને તેમના માલિકોના વિગતવાર રેકોર્ડ જાળવવા અને તેમના પરિસરમાં ઝ્રઝ્ર્ફ કેમેરા લગાવવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે.

રેકોર્ડિંગ ઓછામાં ઓછા ૩૦ દિવસ સુધી સાચવવું પડશે

શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકે ૧૭ નવેમ્બરના રોજ જાહેર કરેલા આદેશમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે રિપેરિંગ, સર્વિસિંગ કે મોડિફિકેશન માટે આવતા તમામ વાહનો માટે ગેરેજ, વર્કશોપ અને સર્વિસ સ્ટેશનોએ વિગતવાર રેકોર્ડ જાળવવો પડશે અને પ્રવેશ તથા બહાર નીકળવાના સ્થળોએ કેમેરા લગાવવા પડશે.

જાહેરનામા મુજબ ઝડપી ઔદ્યોગિક વિકાસને કારણે અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો અમદાવાદમાં આવી રહ્યા છે. વધતી વસ્તી ગીચતા સાથે, ચોરી, લૂંટ અને સ્નેચિંગ જેવી ઘટનાઓમાં પણ વધારો જોવા મળ્યો છે. પોલીસ નોંધે છે કે આવા ઘણા ગુનાઓમાં ગુનેગાર અને અસામાજિક તત્વો દ્વારા ચોરાયેલા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરનો ઉપયોગ કરવામાં આવે છે.

જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગુનો આચર્યા બાદ અપરાધીઓ વારંવાર આ વાહનોને છોડી દે છે અથવા રિપેર, મોડિફિકેશન કે નિકાલ માટે સ્થાનિક ગેરેજોમાં લઈ જાય છે. જોકે, ગેરમાર્ગે દોરવા અથવા સંડોવણીના ડરથી, ઘણા ગેરેજ માલિકો ગ્રાહકોની ઓળખ અથવા વાહનના દસ્તાવેજોનો રેકોર્ડ રાખવામાં નિષ્ફળ જાય છે, જેનાથી તપાસમાં મોડું થાય છે અને ગુનેગારો છટકી જાય છે.

આ ખામીઓને દૂર કરવા માટે કમિશનર મલિકે તમામ ગેરેજ, વર્કશોપ અને સર્વિસ સ્ટેશનના માલિકો, ઓપરેટરો અને મેનેજરોને તેમના પરિસરમાં આવતા દરેક વાહન માટે ફરજિયાત રજિસ્ટર જાળવવાનો આદેશ આપ્યો છે.

વાહન માલિકનું નામ, સરનામું અને મોબાઇલ નંબર

માલિક અથવા વાહન લાવનાર વ્યક્તિનો ઓળખનો પુરાવો

ગેરેજ-સર્વિસ સ્ટેશનની વિગતો

મુલાકાતનો હેતુ (રિપેર, સર્વિસિંગ, મોડિફિકેશન, સ્ટોરેજ)

વાહન લાવનાર અથવા લઈ જનાર વ્યક્તિનું નામ

જાહેરનામા મુજબ ગેરેજ માલિકોએ વાહન માલિકના ID પ્રૂફ અને વાહનના રજિસ્ટ્રેશન દસ્તાવેજોની નકલો પણ મેળવીને રાખવી પડશે. પોલીસ અધિકારીઓ દ્વારા નિરીક્ષણ દરમિયાન માંગણી કરવામાં આવે ત્યારે આ રેકોર્ડ્સ રજૂ કરવા પડશે.

તમામ ગેરેજો અને સર્વિસ સ્ટેશનોને તેમના પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળોએ કેમેરા લગાવવા જરૂરી છે, અને તેનું રેકોર્ડિંગ ઓછામાં ઓછા ૩૦ દિવસ સુધી સાચવવું પડશે. પોલીસ દલીલ કરે છે કે આવી સર્વેલન્સ શંકાસ્પદ વાહનોની હિલચાલને ટ્રેક કરવામાં મદદ કરશે અને ગુનાહિત તપાસ દરમિયાન નિર્ણાયક પુરાવા પૂરા પાડશે.

આ આદેશ હેડ કોન્સ્ટેબલ અને તેથી ઉપરના રેન્કના તમામ પોલીસ અધિકારીઓને ભંગ કરનારાઓ સામે પગલાં લેવા માટે અધિકૃત કરે છે. જો કોઈ ગેરેજ અથવા સર્વિસ સ્ટેશન આ નિર્દેશોની અવગણના કરતું જણાશે, તો તેમને કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.