હિંદુ કુશ પર્વતો ક્ષેત્રમાં જામેલા બરફને લઇ આવી શકે મોટુ જળસંકટ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ICIMOD ના ૨૦૨૫ HKH અપડેટ રિપોર્ટમાં મળ્યુ જાણવા

જમીન પર પડતો બરફ ઝડપથી પીગળી રહ્યો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)

એક તરફ સમગ્ર વિશ્વમાં તાપમાનનો પારો ઝડપથી વધી રહ્યો છે તો બીજી તરફ બરફનું પ્રમાણ ઉત્તરોત્તર ઘટી રહ્યું છે. આની અસર માણસો ઉપર જોવા મળશે. જાહેર કરાયેલા એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે હિંદુ કુશ પર્વતો (HKH) ક્ષેત્રમાં આ વર્ષે બરફનું આવરણ અથવા સામાન્ય રીતે નવેમ્બર થી લઈને માર્ચ મહિના સુધીમાં જમીન પર જામેલો રહેતો બરફ  સામાન્ય કરતાં ૨૩.૬ ટકા ઓછો નોંધાયો હતો, જે છેલ્લા ૨૩ વર્ષમાં સૌથી ઓછો હોવાનું ચોકાવનારુ તારણ સામે આવ્યું છે.

આ અહેવાલ સામે આવ્યા બાદ, આગામી સમયમાં પાણીની ગંભીર સમસ્યા પણ જોવા મળી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત સહિત ઘણા દેશો માટે આ ખરાબ સમાચાર છે. ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટીગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ (ICIMOD) એ તેના ૨૦૨૫ HKH અપડેટ રિપોર્ટમાં જણાવ્યું છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં બરફના આવરણમાં ઘટાડો થવા સાથે આ પ્રદેશમાં સામાન્ય મોસમી બરફના આવરણથી નીચે બરફ રહ્યો હોય તેવું આ સતત ત્રીજું વર્ષ છે.

લોકોને જળસંકટનો ભારે સામનો કરવો પડી શકે

રિપોર્ટમાં એવો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે કે, ઘણી જગ્યાએ જ્યાં હિમવર્ષા જોવા મળી હતી, ત્યાં છેલ્લા ૩ વર્ષથી કોઈ જ હિમવર્ષા થઈ નથી. જ્યાં હિમવર્ષા થઈ રહી છે, તે પણ સરેરાશ કરતાં ઓછી છે. આ જ કારણ છે કે જમીન પર પડતો બરફ ઝડપથી પીગળી રહ્યો છે. ઓછી હિમવર્ષાની અસર નદીઓ પર સ્પષ્ટપણે જોવા મળશે. જો નદીઓમાં પાણી ઓછું રહેશે તો આવનારા દિવસોમાં લોકોને જળસંકટનો ભારે સામનો કરવો પડી શકે છે તે સ્પષ્ટ છે.

ભલે ગ્લેશિયર્સમાં પાણીનો પુરવઠો ઓછો હોય, પરંતુ બરફ અને વૃક્ષો વચ્ચે ઉગતું ઘાસ હિંદુ કુશ હિમાલય પ્રદેશમાં પૂરમાં વધારો કરી શકે છે. સમગ્ર હિંદુકુશ પર્વતમાળામાં બરફના સ્તરમાં ઝડપી ઘટાડો જોવા મળી રહ્યો છે. પાડોશી દેશોમાં લગભગ બે અબજ લોકોનો પાણી પુરવઠો પ્રભાવિત થઈ શકે છે. ICIMOD ના ડાયરેક્ટર જનરલ પેમા ગ્યામશોએ જણાવ્યું હતું કે, માનવ પ્રવૃત્તિઓમાંથી કાર્બન ઉત્સર્જન બરફના આ નુકશાન માટે મુખ્ય કારણ તરીકે ઉભરી રહ્યું છે.

તેમણે ચેતવણી આપી હતી કે જો આપણે આજે કાળજી નહીં રાખીએ તો ભવિષ્યમાં પીવાના પાણી, ખેતી અને વીજળીની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. આ પ્રાદેશિક બરફ કટોકટી અને લાંબા ગાળાના ખોરાક, પાણી અને ઉર્જા સ્થિતિસ્થાપકતા માટે તે જે પડકારો ઉભા કરે છે તેને સંબોધવા માટે, અમારે તાકીદે વિજ્ઞાન-આધારિત, આગળ દેખાતી નીતિઓ તરફ દૃષ્ટાંતરૂપ પરિવર્તન અપનાવવાની જરૂર છે અને ટ્રાન્સબાઉન્ડ્રી વોટર મેનેજમેન્ટ અને ઉત્સર્જન ઘટાડવા માટે પ્રાદેશિક સહકારને પ્રોત્સાહન આપવાની જરૂર છે.

ભારતમાં, ગંગા અને બ્રહ્મપુત્રા નદી પ્રણાલીઓમાં બરફના આવરણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ગંગાના તટપ્રદેશમાં બે દાયકામાં સૌથી ઓછો બરફ પડયો છે, જે સામાન્ય કરતા ૨૪.૧ ટકા ઓછો છે. આનો અર્થ એ છે કે ઉનાળાની શરૂઆતમાં ઓછો બરફ ઓગળશે. આ સમય દરમિયાન, ખેતી અને પીવાના પાણીની માંગ વધુ હોય છે. જ્યારે, બ્રહ્મપુત્રા બેસિનમાં બરફનું સ્તર સામાન્ય કરતાં ૨૭.૯ ટકા ઓછું હતું, જે હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર ઉત્પાદન અને કૃષિ પર ખરાબ અસર કરી શકે છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.