Last Updated on by Sampurna Samachar
સુપ્રીમ કોર્ટના આદેશને પગલે ગુજરાત સરકારનો નિર્ણય
ફટાકડા ઈ કોમર્સ વેબસાઈટ પર પણ વેચાણ નહિ થઈ શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત સરકારે દિવાળી પહેલા મોટો ર્નિણય લીધો છે. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે રાજ્ય સરકારે વિદેશી કે ચાઈનીઝ ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે. જાહેર જગ્યાઓ ઉપર પણ ફટાકડા નહીં ફોડી શકાય એ પ્રકારની ગાઈડલાઈન જાહેર કરી છે.
રાજ્યમાં આ દિવાળીએ ચાઈનીઝ ફટાકડાનું વેચાણ નહિ કરી શકાય. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે ર્નિણય લીધો છે. વિદેશથી ફટાકડાની આયાત પણ નહીં કરાવી શકાય. સુપ્રીમ કોર્ટે ભારે ઘોંઘાટ કરતા ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે. જાહેરમાં ફટાકડા ન ફોડવા મુદ્દે પણ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. જે મુજબ, રાત્રે ૮ થી ૧૦ વાગ્યા દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે.
ક્રિસમસ અને નૂતન વર્ષ માટે સમય વધારાયો
દિવાળી દરમિયાન જાહેરમાં ફટાકડા ફોડવા બાબતે સૂચનાઓ જાહેર કરાઈ છે. ગૃહ વિભાગે જાહેરમાં ફટાકડા ફોડવા બાબતે સૂચનાઓ જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ નિશ્ચિત સમયમાં જ ફટાકડા ફોડી શકાશે. રાત્રે ૮ થી ૧૦ દરમિયાન ફટાકડા ફોડી શકાશે. વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે. તેમજ ફટાકડા ઈ કોમર્સ વેબસાઈટ પર પણ વેચાણ નહિ થઈ શકે.
સરકારની શું છે ગાઈડલાઈન
૧. સુપ્રિમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એનિશન ઉત્પન્ન કરે છે તેનાં ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવેલ છે. આ સિવાયનાં તમામ પ્રકારનાં ફટાકડાનાં ઉત્પાદન અને વેચાણ પર નામ.સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ છે.
૨. ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોવાથી તથા વધુ પ્રમાણમાં હવાનું પ્રદુષણ અને ઘન કચરો પેદા કરતાં બાંધેલા ફટાકડા પર સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ છે.
૩. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ દ્વારા કરવાનું રહેશે. આ વેપારીઓએ સુપ્રિમ કોર્ટનાં આદેશ મુજબ માન્ય રાખવામાં આવેલ ફટાકડાઓનું જ પેચાણ કરવાનું રહેશે.
૪. ઉપરાંત તમામ – કોમર્સ વેબસાઈટને ઓનલાઈન તમામ પ્રકારનાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકેલ છે.
૫. ફટાકડા બનાવવા માટે બેરીયમનાં ઉપયોગ પર સુપ્રિમ કોર્ટે પ્રતિબંધ મુકેલ છે
૬. દિવાળી તથા અન્ય તહેવારો કે જેમાં ફટાકડા ફોડવામાં આવે છે તેમાં ફટાકડા રાત્રે ૮.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધી જ ફોડી શકાશે. તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષનાં તહેવાર દરમિયાન ફટાકડા રાત્રે ૨૩.૫૫ કલાકથી ૦૦.૩૦ કલાક સુધી જ ફોડી શકાશે.
સુપ્રિમ કોર્ટના ઉક્ત આદેશ અન્વયે ગૃહ વિભાગનાં તા.૦૩/૧૧/૨૦૧૮નાં પરિપત્રથી દિવાળી તથા અન્ય તહેવારો તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષનાં તહેવાર દરમિયાન રૂટાકડા ફોડવા સંબંધમાં જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે. જે અનુસાર સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટ/પોલીસ ક્મિશનર દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-૧૬૩ હેઠળ પ્રતિબંધાત્મક આદેશો બહાર પાડવામાં આવે છે.