નાણાકીય વર્ષ અસેસ્મેન્ટ યર નહીં પણ ટેક્સ યર તરીકે ઓળખાશે

Share this Article:

Last Updated on by Sampurna Samachar

જૂના આવકવેરા કાયદા કરતાં સરળ ભાષામાં હશે

(સંપૂર્ણ સમાચાર સેવા)

નવું આવકવેરા બિલ ૨૦૨૫ ટૂંક સમયમાં લોકસભામાં રજૂ કરવામાં આવી શકે છે અને આ પહેલા તેની ડ્રાફ્ટ કોપી સામે આવી ગઈ છે, જે ૬૦૦ થી વધુ પાના લાંબી છે. જેમ પહેલા અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું, તે જૂના આવકવેરા કાયદા કરતાં સરળ ભાષામાં હશે અને તેમાં સમાવિષ્ટ ઘણા શબ્દો બદલવામાં આવશે અથવા દૂર કરવામાં આવશે.

આ ડ્રાફ્ટમાં પણ જોવા મળી રહ્યું છે. હવે નાણાકીય વર્ષના બધા ૧૨ મહિના ટેક્સ યર તરીકે ઓળખાશે, જ્યારે અસેસ્મેન્ટ યર શબ્દનો ઉપયોગ કરવામાં આવશે નહીં. આ ઉપરાંત, ડ્રાફ્ટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનથી લઈને કેપિટલ ગેઇન ટેક્સ સુધીની દરેક બાબત અંગે ચિત્ર સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આ નવું ટેક્સ બિલ ૧ એપ્રિલ, ૨૦૨૬ થી અમલમાં આવશે.

૬૨૨ પાના અને ૫૩૬ વિભાગોના આ ડ્રાફ્ટ મુજબ, અસેસ્મેન્ટ યરનો ઉપયોગ પૂર્ણ થઈ ગયો છે અને તેને હવે ટેક્સ યર તરીકે ઓળખવામાં આવશે. ડ્રાફ્ટમાં શેરબજાર માટે ટૂંકા ગાળાના મૂડી લાભના સમયગાળામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

કલમ ૧૦૧(બી) હેઠળ, ૧૨ મહિના સુધીના સમયગાળાને ટૂંકા ગાળાના મૂડી લાભ તરીકે ગણવામાં આવશે. આ ઉપરાંત, તેના દરો પણ સમાન રાખવામાં આવ્યા છે. ટૂંકા ગાળાનો મૂડી લાભ કર ૨૦ ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે.નવા આવકવેરા બિલ ૨૦૨૫માં બીજો મોટો ફેરફાર જોવા મળ્યો છે. કે તેમાં પાનાઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે. આ આવકવેરા કાયદા ૧૯૬૧ની સરખામણીમાં ઘણું ઓછું છે, જે ૬૩ વર્ષ પહેલા અમલમાં હતું.

ટેક્સ એક્ટ ૧૯૬૧માં કુલ ૮૮૦ પાના હતા, જે હવે ઘટાડીને ૬૨૨ કરી દેવામાં આવ્યા છે. જાેકે, પ્રકરણ નંબર ૨૩ પર યથાવત રાખવામાં આવ્યો છે.આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ની તુલનામાં નવા કર બિલમાં આગામી મોટો ફેરફાર સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એટલે કે સીબીડીટી સાથે સંબંધિત છે. બિલના ડ્રાફ્ટ મુજબ, અગાઉ આવકવેરા વિભાગને વિવિધ કર યોજનાઓ શરૂ કરવા માટે સંસદનો સંપર્ક કરવો પડતો હતો.

પરંતુ નવા કર કાયદા ૨૦૨૫ મુજબ, હવે સીબીડીટી ને આવી યોજનાઓ સ્વતંત્ર રીતે શરૂ કરવાની સત્તા આપવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય અમલદારશાહી વિલંબની સમસ્યાને દૂર કરવાનો છે.આ સાથે, નવા ટેક્સ બિલ ૨૦૨૫ માં નવી ટેક્સ સિસ્ટમ અંગે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને બજેટમાં જાહેર કરાયેલા દરો એ જ રહેશે.

નવી કર વ્યવસ્થામાં, સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને ૧૨ લાખ રૂપિયા સુધીની આવકને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત, નવી કર વ્યવસ્થા હેઠળ પ્રમાણભૂત કપાત ૭૫,૦૦૦ રૂપિયા અને જૂની કર વ્યવસ્થા હેઠળ તે ૫૦,૦૦૦ રૂપિયા હશે.

 

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.