Last Updated on by Sampurna Samachar
પેટ્રોલ–ડીઝલ ઉપર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો
વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના સપ્લાયમાં મોટો ઘટાડો થતાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝડ્યુટી ૧૦–૧૦ રૂપિયા ઘટાડી દીધી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈરાન–અમેરિકા–ઈઝરાયલ યુદ્ધને કારણે હોર્મૂઝની ખાડી બંધ હોવાથી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના સપ્લાયમાંમોટો ઘટાડો થતાં સંકટની ઘડી સર્જાઈ છે ત્યારે કેન્દ્ર સરકારે એક મહત્ત્વનો ર્નિણય કરતાં પેટ્રોલ અને ડીઝલપરની એક્સાઈઝ ડ્યુટી ૧૦–૧૦ રૂપિયા ઘટાડી દીધી છે. પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી ૧૦ રૂપિયા ઘટાડીને ૩રૂપિયા કરી દેવામાં આવી છે. જ્યારે ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડી શૂન્ય કરી દેવામાં આવી છે.

તેનો અર્થ એ છે કે હવે પેટ્રોલ અને ડીઝલ ૧૦ રૂપિયા સસ્તા થઇ શકે છે. જો કે રાજ્ય સરકારનો વેટ લાગુરહેશે. પહેલા પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી ૧૩ રુપિયા હતી અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ૧૦ રૂપિયા પ્રતિલીટર હતી. જાેકે હવે આ એક્સાઈઝ ડ્યુટી ઘટવાથી રાહત મળી શકે છે અને પેટ્રોલ–ડીઝલના ભાવ ઘટી શકેછે. જો કે આ ર્નિણય હવે ઓઈલ કંપનીઓએ કરવાનો રહેશે.
માત્ર એક મહિનામાં આશરે ૭૮% નો જંગી વધારો નોંધાયો
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસરને કારણે વૈશ્વિક તેલ બજારમાં આવેલા તોતિંગ ઉછાળા વચ્ચે કેન્દ્રસરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનો મોટો ર્નિણય લીધો છે. પેટ્રોલિયમ મંત્રાલયના પીપીએસીના તાજેતરના આંકડા મુજબ, ફેબ્રુઆરી ૨૦૨૬ માં ભારતીય બાસ્કેટના ક્રૂડ ઓઈલનીસરેરાશ કિંમત ૬૯.૦૧ ડોલર પ્રતિ બેરલ હતી, જે ૨૪ માર્ચ સુધીમાં વધીને ૧૨૩.૧૫ ડોલર પ્રતિ બેરલ પર પહોંચીગઈ છે. એટલે કે માત્ર એક મહિનામાં આશરે ૭૮% નો જંગી વધારો નોંધાયો છે.
કાચા તેલના ભાવમાં થયેલાઆ અસહ્ય વધારાએ તેલ કંપનીઓ પર પેટ્રોલ–ડીઝલના છૂટક ભાવ વધારવા માટે દબાણ વધાર્યું હતું. પરંતુસામાન્ય જનતા પર સીધો બોજ નાખવાને બદલે, સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં કાપ મૂકીને રાહત આપવાનો માર્ગપસંદ કર્યો છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર માહિતી આપી હતી કેઆંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો ૭૦ ડોલરથી વધીને ૧૨૦ ડોલરને પાર પહોંચી ગઈ છે, જેના કારણેવિશ્વના અનેક ભાગોમાં પેટ્રોલ–ડીઝલના ભાવમાં ૨૦% થી ૫૦% સુધીનો વધારો થયો છે.
દક્ષિણ–પૂર્વએશિયાઈ દેશોમાં કિંમતોમાં લગભગ ૩૦%-૫૦%, ઉત્તર અમેરિકાના દેશોમાં ૩૦%, યુરોપમાં ૨૦% અનેઆફ્રિકાના દેશોમાં ૫૦% સુધીનો વધારો જોવા મળ્યો છે. દરમિયાન,પશ્ચિમ એશિયામાં વધી રહેલાતણાવ અને ઇરાન–ઇઝરાયલ યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ મોંઘું થયું છે. આ સ્થિતિનોફાયદો ઉઠાવી રહેલા આંતરરાષ્ટ્રીય કારોબારીઓ પર લગામ કસવા માટે ભારત સરકારે મોટો ર્નિણય લીધો છે. સરકારે ભારતમાંથી નિકાસ થતા ડીઝલ અને વિમાનના બળતણ પર એક્સપોર્ટ ડ્યુટીમાં વધારો કર્યોછે.
ક્રૂડ ઓઇલ મોંઘું થવાને કારણે પેટ્રોલ–ડીઝલ બનાવવું ખર્ચાળ બન્યું છે. કેટલાક કારોબારીઓ ભારતમાંથીસસ્તું ડીઝલ અને છ્હ્લ મંગાવીને વિદેશી બજારોમાં ઊંચા ભાવે વેચી નફો કમાઈ રહ્યા હતા. આ બાબતનેધ્યાનમાં રાખીને ઘરેલું બજારમાં ઇંધણની પૂરતી ઉપલબ્ધતા જાળવી રાખવા માટે સરકારે ડ્યુટી વધારવાનોર્નિણય લીધો છે.
કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણે સોશિયલ મીડિયા દ્વારા આ અંગેની જાણકારી આપી હતી. નિકાસ થતાડીઝલ પર પ્રતિ લિટર રૂ.૨૧.૫ ની એક્સપોર્ટ ડ્યુટી લાદવામાં આવી છે. નિકાસ થતા પર પ્રતિ લિટરરૂ.૨૯.૫ ની એક્સપોર્ટ ડ્યુટી લગાવાઈ છે. સાથે જ નાણામંત્રીએ જણાવ્યું કે, પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચેસામાન્ય જનતાને રાહત આપવા માટે ઘરેલું ઉપયોગમાં લેવાતા પેટ્રોલ અને ડીઝલ પરની સેન્ટ્રલ એક્સાઇઝડ્યુટીમાં પ્રતિ લિટર રૂ.૧૦ નો ઘટાડો કરવામાં આવ્યો છે.
સામાન્ય ગ્રાહકો માટે રાહતના સમાચાર એ છે કે આ ર્નિણયની પેટ્રોલ પંપ પર મળતા ઈંધણના ભાવ પર કોઈઅસર નહીં પડે. દેશની સૌથી મોટી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલના જણાવ્યા અનુસાર, સરકારના આર્નિણયથી ગ્રાહકોએ વધુ કિંમત ચૂકવવી પડશે નહીં અને પેટ્રોલ–ડીઝલના ભાવ યથાવત રહેશે.