Last Updated on by Sampurna Samachar
સામાન્ય ગ્રાહકો પર કોઈ અસર નહીં પડે તેવો સરકારનો દાવો
ભાવ વધારો આજથી અમલમાં આવી ગયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્ર સરકારે દેશમાં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં પ્રતિ લિટર રૂ. ૨ નો વધારો જાહેર કર્યો છે. આ ર્નિણયને સરકારની આવક વધારવા અને બજેટરી ખાધને નિયંત્રિત કરવાની વ્યૂહરચનાના ભાગ રૂપે જોવામાં આવી રહ્યો છે. વધેલી એક્સાઈઝ ડ્યુટી લાગુ થતાની સાથે જ ઓઈલ કંપનીઓ આ બોજ ગ્રાહકો પર નાખી શકે છે.

રાહતની વાત એ છે કે સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરવાની સાથે, સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેની સામાન્ય ગ્રાહકો પર કોઈ અસર નહીં પડે. આંતરરાષ્ટ્રીય તેલ કિંમતોમાં વધઘટ વચ્ચે સરકારે આ ર્નિણય લીધો છે અને આ ફેરફાર અમલમાં આવી ગયો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલની કિંમતોમાં અસ્થિરતા જોવા મળી
સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો હશે, પરંતુ તેણે એ વાતનો ઇનકાર કર્યો છે કે તેનાથી ગ્રાહકો પર અસર થશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે એક્સાઇઝ ડ્યુટી દરમાં વધારા પછી, PSU ઓઇલ માર્કેટિંગ કંપનીઓને પેટ્રોલ (PETROL) અને ડીઝલના છૂટક ભાવમાં વધારો ન કરવા કહેવામાં આવ્યું છે. હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલની કિંમતોમાં અસ્થિરતા જોવા મળી રહી છે.
આવી પરિસ્થિતિમાં, સરકારનું આ પગલું સામાન્ય માણસના ખિસ્સા પર વધુ બોજ લાવી શકે છે, ખાસ કરીને જે લોકો રોજિંદા વાહન દ્વારા મુસાફરી કરે છે અથવા પરિવહન ક્ષેત્ર સાથે જોડાયેલા છે. બીજી તરફ, સરકારનું તર્ક છે કે આ વધારાથી દેશની નાણાકીય સ્થિતિ વધુ મજબૂત થશે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત અન્ય વિકાસ યોજનાઓમાં નાણાંનું રોકાણ કરી શકાશે.
નિષ્ણાતોનું માનવું છે કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો સ્થિર રહે તો તેની અસર મર્યાદિત રહી શકે છે, પરંતુ જો ભાવ વધે તો મોંઘવારી પર પણ તેની અસર જોવા મળી શકે છે. હાલમાં જનતાને ઈંધણના ખર્ચ માટે થોડી વધારાની તૈયારી રાખવી પડી શકે છે.
ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વસૂલવામાં આવતી એક્સાઈઝ ડ્યુટી અને રાજ્ય સરકારો દ્વારા લગાવવામાં આવતો વેટ (વેલ્યુ એડેડ ટેક્સ) મુખ્ય છે. વર્ષ ૨૦૨૧ માં પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી ?૨૭.૯૦ પ્રતિ લિટર અને ડીઝલ પર ?૨૧.૮૦ પ્રતિ લિટર હતી.
મે ૨૦૨૨ માં, કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને રાહત આપવા માટે પેટ્રોલના ભાવમાં ૮ રૂપિયા અને ડીઝલના ભાવમાં ૬ રૂપિયાનો ઘટાડો કર્યો હતો, ત્યારબાદ આ દરો અમલમાં આવ્યા હતા. હાલની વાત કરીએ તો, ભારતમાં પેટ્રોલ અને ડીઝલની મૂળ કિંમત આશરે ૩૨ રૂપિયા પ્રતિ લિટર છે. આના પર કેન્દ્ર સરકાર ૩૩ પ્રતિ લિટર એક્સાઈઝ ડ્યુટી વસૂલે છે. આ પછી, વિવિધ રાજ્ય સરકારો પોતાના નિયમો અનુસાર વેટ અને સેસ લગાવે છે, જેના કારણે ડીઝલ અને પેટ્રોલના ભાવ તેમની મૂળ કિંમતથી લગભગ ત્રણ ગણા વધી જાય છે.