Last Updated on by Sampurna Samachar
મતદાનની ટકાવારીમાં ગેરરીતિની શંકા હોય તેઓ ફોર્મ-૧૭C સાથે મેચ કરી શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
લોકસભાની ચૂંટણીના સમયથી ચૂંટણી પંચે મતદાનની ટકાવારી અંગે મોરચો ખોલનારા વિપક્ષોને માત્ર મતદાનની ટકાવારી એકત્ર કરવાનું સંપૂર્ણ ગણિત જ સમજાવ્યું નથી, પરંતુ સમજ્યા વિના ચૂંટણી પ્રક્રિયા પર શંકા ઉભી કરવાની બાબત પણ ખોટી ગણાવી છે. ચૂંટણી પંચે કહ્યું કે, કોઈપણ રીતે ચૂંટણી પૂરી થયા પછી તમામ બૂથ પર વર્તમાન રાજકીય પક્ષોના એજન્ટને ફોર્મ-૧૭C આપવામાં આવે છે, જેમાં તે બૂથ પર પડેલા મતોની સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ હોય છે. જેમને મતદાનની ટકાવારીમાં ગેરરીતિની શંકા હોય તેઓ ફોર્મ-૧૭C સાથે મેચ કરી શકે છે.
પંચે લોકસભા ચૂંટણી વખતે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓને પણ આ જવાબ આપ્યો હતો, પરંતુ હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણી દરમિયાન જ્યારે વિપક્ષે આ મુદ્દો ફરીથી ઉઠાવ્યો ત્યારે પંચે માત્ર લેખિત જ જવાબ ન આપતા આયોગે પૂછેલા પ્રશ્નોની યાદીમાં આને લગતા પ્રશ્નો અને જવાબોનો પણ સમાવેશ કર્યો છે.
ચૂંટણી પંચે તાજેતરમાં પૂર્ણ થયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ૨૦૨૪માં કોંગ્રેસની ફરિયાદોનો જવાબ આપતા, ચૂંટણી દરમિયાન મતદાર યાદી અને મતદાર યાદી તૈયારીની પ્રક્રિયા વિશે વિગતવાર સમજાવ્યું. ઈઝ્રએ જણાવ્યું હતું કે, ફોર્મ ૧૭C એ કોઈપણ મતદાન મથક પર થયેલા કુલ મતોનો એક માત્ર કાનૂની સ્ત્રોત છે અને તે મતદાન મથક બંધ થાય તે પહેલાં ઉમેદવારોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
પંચના જણાવ્યા મુજબ, ક્યારેક મતદાનનો સમય ૬ વાગ્યા સુધી રહે છે, તો ક્યારેક લાંબી લાઈનોને કારણે, મતદાન રાત્રે ૮ વાગ્યા સુધી ચાલુ રહે છે. આવું એટલા માટે થાય છે કારણ કે પંચનો નિયમ છે કે મતદાનના સમય સુધી લાઈનમાં ઉભા રહેલા તમામ લોકોને મતદાન કરવાની તક આપવામાં આવશે. મતદાન પૂર્ણ થતાની સાથે જ મતદાન કર્મચારીઓ બૂથમાં મતદાનની સંપૂર્ણ વિગતો ફોર્મ-૧૭ઝ્રમાં દાખલ કરે છે, તેની એક નકલ તમામ ઉમેદવારોના એજન્ટને આપે છે અને તેમની સામે ઈફસ્ સીલ કરીને જમા કરાવવામાં આવે છે. સ્ટ્રોંગ રૂમમાં EVM જમા કરાવવાનું કામ સામાન્ય રીતે સાત વાગ્યે શરૂ થાય છે, જે આખી રાત ચાલુ રહે છે. આ સમયગાળા દરમિયાન, જેમ જેમ મશીનો એકઠા થાય છે, તે બૂથના મતદાનની અંતિમ વિગતો પણ ઓનલાઈન અપલોડ કરવામાં આવે છે.
કમિશનના જણાવ્યા અનુસાર, તે સામાન્ય રીતે ૧૧.૩૦ વાગ્યે નોંધાયેલી વિગતો જાહેર કરે છે. પરંતુ આ પછી પણ મતદાન ટીમો આવવાનું, ઈવીએમ એકત્રિત કરવાનું અને વિગતો અપલોડ કરવાનું કામ ચાલુ રહે છે, ત્યારબાદ તમામ વિગતો અપલોડ થયા પછી બીજા દિવસે મતદાનની અંતિમ ટકાવારી જાહેર કરવામાં આવે છે.
પંચે મતદાનના દિવસે અને અંતિમ આંકડામાં મતદાનની ટકાવારી વધારવા અંગે વિપક્ષના પ્રશ્નોના જવાબ પણ આપ્યા છે. જેમ કમિશને કહ્યું કે, જ્યાં સુધી દરેક બૂથ પર મતદાનની વિગતો ફોર્મ-૧૭C સાથે મેચ કરીને રેકોર્ડ કરવામાં ન આવે ત્યાં સુધી માત્ર મતદાનની ટકાવારીના અંદાજિત આંકડા જ આપવામાં આવે છે. આની નોંધણી કરવાનું કામ સામાન્ય રીતે મતદાનના બીજા દિવસે સવાર સુધી ચાલુ રહે છે. આવી સ્થિતિમાં અંતિમ આંકડા બીજા દિવસે જ આવે છે.
પંચના મતે, કોઈપણ રીતે મતદાનના દિવસે મતદાન અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા આંકડામાં થોડો ઘટાડો કરવામાં આવે છે, જેથી જાે મતગણતરીમાં કોઈ વિસંગતતા હોય તો તેને સુધારી શકાય. પંચે મતદાનના ચાર દિવસ પછી મતદાનની ટકાવારીમાં ફેરફારના આરોપો અંગે પણ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે પુનઃ મતદાનના કિસ્સામાં ચાર દિવસ પછી મતદાનના અંતિમ આંકડા જાહેર કરવામાં આવે છે.